ગુજરાતમાં ચોરીના બનાવો છાશવારે સામે આવતા હોય છે. જેમાં ઘણા બનાવો તો ખૂબ જ ચોંકાવનારા પણ હોય છે. હાલ એવો જ એક ચોરીનો કિસ્સો રીતોદરા ગામમાં નોંધાયો છે. અસીયારા તાલુકામાં આવેલા રીતોદરા ગામમાં મોટા ફળિયામાં જેરામભાઈનો પરિવાર વસવાટ કરે છે..
મોટા ફળીયામાં રેહતા જેરામભાઈનો દીકરો રજનીશ અને તેની પત્ની પ્રિયંકા બંને સાથે રહે છે.જેરાજભાઈનો દીકરો ખેતીના કામ માટે ખેતરે ગયો હતો. જ્યારે જેરાજ અન્ય કામ માટે બહારગામ ગયા હતા. આ સમય દરમ્યાન રજનીશભાઈની પત્ની પ્રિયંકા ઘરે એકલી હતી. પ્રિયંકા સવાર સવારમાં 10:00 આસપાસ ઘરના પાછળ માં ભાગમાં લોખંડનો દરવાજો બંધ કરીને ઘરનો કચરો આગળના બારણા થી કચરાપેટીમાં નાખવા માટે ગઈ હતી.
અને ત્યારબાદ તે આવીને હિંચકા ઉપર બેસી ગઈ હતી. ઘરના આગળના ભાગે હીંચકતી હતી એ સમય દરમિયાન અચાનક જ ઘરમાંથી કંઈક ખળભાળટનો અવાજ આવ્યો હતો. આ અવાજ આવતાની સાથે જ પ્રિયંકા હીંચકા પરથી તરત જ ઊભી થઈ હતી. અને ઘરમાં અંદર ભાગીને ગયા અને જોયું તો બે લોકો તેના ઘરના પાછળના બારણેથી લોખંડની જાળી ને કૂદીને જઈ રહ્યા હતા.
પ્રિયંકાબેને આ બંને યુવકોને પકડવાની કોશિશ કરી પરંતુ તેઓ ભાગી ગયા હતા. ત્યારબાદ પ્રિયંકાએ ઘરમાં આવીને જોયું તો ઘરમાં રહેલા ત્રણ કબાટના લોક તૂટેલી સ્થિતિમાં હતા. તેમજ તેની અંદરનો તમામ સામાન વેરવિખેર થઈ ગયો હતો. તેણે કબાટ અંદરના લોકર ચેક કર્યા તો તેમાંથી ત્રણ હજાર રૂપિયા રોકડા તેમજ 6 તોલા જેટલું સોનું ગાયબ હતું..
આ બનાવ બન્યા બાદ આસપાસના લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા. પરંતુ લુખ્ખા તત્વો ચોરી કરીને ભાગી ગયા હતા. પ્રિયંકાબેન ઘરનો કચરો નાખીને ઘરે પરત આવ્યા એ સમય અરસામાં જ આ બે લુખ્ખા તત્વો ઘરમાં ઘૂસીને ચોરી કરી રહ્યા હતા. આજકાલના સમયમાં સહેજ પણ ધ્યાન ભટકે એટલે તરત જ લુખ્ખા કે ગુંડા તત્વો પોતાના કાર્યમાં સફળ થઇ જતા હોય છે…
તેમજ સામાન્ય લોકોને જાળમાં ફસાવી દેતા હોય છે. પ્રિયંકાએ પોલીસને જણાવ્યું હતું કે આ ચોર અંદાજે 30 થી 35 વર્ષના હતા. તેણે શર્ટ અને પેન્ટ પહેર્યું હતું. તેમજ તેની હાઈટ પણ મધ્યમ હતી. તેણે ચોરોનું વર્ણન પોલીસ સમક્ષ રજૂ કર્યું હતું. ત્યારબાદ પોલીસે ગુનો નોંધ્યો હતો. તેમજ ઘટનાસ્થળે તપાસ કરતાં જણાવ્યું હતું કે..
આ કબાટને ખોલવા માટે ચાવીની મદદ લેવાઈ નથી. અને લોકરમાં કીમતી સમાન છે તેની પણ તેઓને ખબર હોઈ તેવું જણાતું હતું એટલા માટે એવું સામે આવ્યું છે કે આ ચોર કોઈ જાણીતો વ્યક્તિ હોઈ શકે છે. કારણ કે તેણે કબાટની ચાવીને શોધવાનો પણ પ્રયત્ન કર્યો હતો નહી. તેમજ પ્રિયંકાબેન ઘર માંથી કચરો નાખવા માટે બહાર ગયા છે તેની પણ તેઓને ખબર હતી..
અને તે કચરો નાખીને આવ્યા બાદ પણ ઘરની બહાર હિંચકા ઉપર બેઠા છે. આ બાબતની જાણ કોઈ નજીકના વ્યક્તિનું જ હતી એટલા માટે જ તેઓએ ચોરી કરવામાં સફળ રહ્યા છે. હાલ પોલીસે ચોરને પકડવા માટે કાર્યવાહી કરી રહી છે. ચોરીના આ બનાવે આસપાસના વિસ્તારમાં ચકચાર મચાવી દીધો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]