હાલ ગુજરાતમાં નાના કોમળ બાળકોને ત્યજી દેવાના કિસ્સાઓ ખૂબજ વધી રહ્યા છે. રોજ રોજ ગુજરાતના કોઈને કોઈ શહેરમાંથી તો એવા સમાચાર મળે છે કે, આજે આટલા વર્ષ ના બાળકને પરિવારે ત્યજી દીધું. આ પ્રકારનો વધુ એક ચોંકાવનારો કિસ્સો મહેસાણા જિલ્લામાંથી સામે આવ્યો છે.
અહીં એક સાથે બે બાળકોને ત્યજી દેતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં આવેલા કુકરવાડા ગામ ની પાંચ વર્ષના બાળકને કોઇ અજાણ્યો યુવક એકલો મૂકીને ભાગી ગયો છે. તેમજ મહેસાણાના ઉનાવામાં આવેલી મીરા દાતાર દરગાહ ની પાસે બે વર્ષની બાળકીને પણ પરિવારે તને છોડી દીધેલી છે…
આ બંને ઘટના એક જ દિવસે સામે આવતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગયો છે. માતા-પિતાએ કરેલી ભૂલોના કારણે થયેલા જન્મને લીધે તેઓને તને છોડી દેવામાં આવે છે. જો તેઓનામા બાળકોને સાચવવાની ત્રેવડ ન હોય તો અજાણ્યા લોકો સાથે શા માટે શારી.રિક સં.બં.ધો બાંધતા હશે…
એ બાબતને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા ઓછો થઈ રહી છે. અગાઉ પણ એક નાની બાળકીને તેની માતાએ તરછોડી દીધી હતી. આ ઉપરાંત સવારની કડકડતી ઠંડીમાં આ બાળકીને કપડા વગરની ખુલ્લા મેદાનમાં છુટ્ટી મૂકી દીધી હતી. બાળકી ઠંડી ને સહન ન કરી શકતા અંતે મૃત્યુ પામી હતી…
ત્યાંના સ્થાનિક લોકોને બાળકી મૃત હાલતમાં મળી હતી પોલીસે તપાસ કરી તો જણાવ્યું છે કે આ બાળકીને તેના પરિવારે તરછોડી દીધી છે. જ્યારે આ પ્રકારની ઘટના સામે આવે છે ત્યારે કોઇ પણ માણસનું દિલ દ્રવી ઉઠે છે. નાના બાળકો એવું તો શું બગાડ્યું છે કે તેઓને આખરે આ પ્રકારની સજા ભોગવવાનો વારો આવ્યો હશે…
આખરે કોણ ફૂલ જેવા કોમળ બાળકોની જિંદગી સાથે ખિલવાડ કરે છે અને આવા બાળકોને રસ્તે રખડતા મૂકી દેવામાં આવે છે લોકો અનેક સવાલ ઉઠાવી રહ્યા છે.. પોલીસ હાલ આ બબાતે તપાસ કરી રહી છે. આ ઘટનામાં કોણ કોણ સપડાયેલું છે તે અંગે જાણ મેળવી રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]