આજકાલ ના સમયમાં ઘણા બધા દીકરા અને દીકરીઓ તેમની આવડત અને હોશિયારીથી તેમના માતા-પિતાનું નામ રોશન કરે છે. તો કેટલાક વ્યક્તિઓ તેમના માતા પિતાની ઈજ્જત કાઢી નાખવામાં કોઈ અસર બાકી મૂકતા નથી, આ વાક્ય કડવું જરૂર છે. પરંતુ આ એક સત્ય હકીકત છે કે, ઘણા બધા દીકરાની દીકરીઓ ખરાબ સંગતમાં આવી જઈને એવું પગલું ભરી લે છે..
કે તેમના માતા-પિતાને જિંદગીભર પછતાવાનો વારો આવે છે. અત્યારે એક દીકરીએ તેના મા બાપ માટે ખૂબ જ મોટી મુશ્કેલી ઉભી કરી નાખી હતી. આ ઘટના બિંજલ કૃપા સોસાયટીની છે. આ સોસાયટીમાં પીન્ટુભાઇ તેમના પરિવાર સાથે રહે છે. પરિવારમાં તેમની જુવાન જોધ દીકરી રાધિકા તેમની પત્ની જયશ્રી અને તેમનો એક નાનકડો દીકરો નીરવનો સમાવેશ થાય છે..
પીન્ટુભાઇના કુટુંબી સભ્યોમાં લગ્ન પ્રસંગ આવી પહોંચતા રાધિકાને તેના પરિવારજનોને કહ્યું કે, મહેંદી મૂકવા માટે તેની સહેલીના ઘરે જવા ઈચ્છે છે. પરિવારજનોની મંજૂરી લઈને તે મહેંદી મૂકવાના બહાને ઘરેથી નીકળી ગઈ હતી અને ત્યારબાદ લાંબો સમય વીત્યા બાદ પણ તે ઘરે પરતનો આવતા પીન્ટુભાઇને તેમની દીકરીની ચિંતા થવા લાગી હતી..
તેઓ વારંવાર તેમની દીકરીને ફોન કોલ લગાવી રહ્યા હતા, પરંતુ રાધિકા એક પણ વાર ફોન ઊંચક્યો નહીં અને મોડી રાત્રે ફોન કરીને રાધિકાએ જણાવ્યું કે, તે તેના ક્લાસમાં ભણતા ધીરજ નામના યુવકને ખૂબ જ પ્રેમ કરે છે. અને તેની સાથે જ લગ્ન કરવા ઈચ્છે છે. આપણા પરિવારની અંદર પ્રેમ સંબંધને ક્યારેય પણ માન્યતા આપવામાં આવતી નથી..
એટલા માટે આ લગ્ન તેને અશક્ય લાગવા લાગ્યા હતા, પરંતુ તે તેના પ્રેમીના પ્રેમને ભૂલી શકે નહીં એટલા માટે હવે તે તેના પ્રેમી સાથે ભાગીને લગ્ન કરી લેવા માંગે છે. તેઓ લગ્ન કરીને ઘરે પરત આવી જશે બસ આ શબ્દો સાંભળતાની સાથે જ પીન્ટુભાઇ અને જયશ્રીબેન ના હોશ ઉડી ગયા હતા..
તેઓ વિચારવા લાગ્યા કે, તેમની ઉછેર કરવાની પદ્ધતિમાં એવી તો શી ખામી રહી ગઈ હશે કે તેમની દીકરીએ સંસ્કાર ભૂલી જઈને આવડું મોટું પગલું ભરી લીધું છે. પીન્ટુભાઇએ જણાવ્યું કે જો આ ઘટનાની જાણકારી પરિવારના અન્ય સભ્યો સુધી પહોંચશે તો તેઓ આ અપમાન ને ક્યારેય પણ સહન કરી શકશે નહીં અને ઈજ્જત જવાની બીકે એમ પીન્ટુભાઇ અને જયશ્રીબેને ઝેરી ટીકડા પીઈને આપઘાત કરી લીધો હતો..
આ કપાતર દીકરીના કારણે આજે એક મા-બાપે જીવન ટૂંકવી દીધું હતું. તો નાનકડો દીકરો નીરવ હવે મા બાપ વગરનો થઈ ગયો છે. જ્યારે મા બાપના મૃત્યુના સમાચાર તેની દીકરી સુધી પહોંચ્યા ત્યારે રાધિકા દોડતી દોડતી આવી પહોંચી હતી, પરંતુ તેણે એક આવું મોટું પગલું ભરી લીધું જેના કારણે તેના માતા-પિતા નું મોત થઈ ગયું છે..
આ ઘટના આટલી બધી હચમચાવી દેતી હતી કે, જેના વિશે જાણ્યા બાદ સૌ કોઈ લોકોના કાળજા ધમધમની ઊઠ્યા છે. આવી ઘટના ક્યારેય પણ બને નહીં એટલા માટે દરેક મા-બાપે તેમના દીકરાને દીકરી માટે સમય કાઢીને તેમની સાથે વાતચીત કરવી જોઈએ અને તેમના મનની અંદર શું ચાલી રહ્યું છે..
તેમજ આવનારા સમયની અંદર તેઓ કોઇ વિચારધારાથી આગળ વધી રહ્યા છે. વગેરેની પણ જાણ રાખવી જોઈએ, જો માતા-પિતા બાળકો સાથે ખુલ્લા મને વાતચીત કરશે નહીં તો આવનારા સમયની અંદર આ પ્રશ્ન ખૂબ જ મોટો અને પડકાર જનક સાબિત થવા જઈ રહ્યો હોય તેવું અત્યારથી જ લાગી રહ્યું છે. આ કિસ્સાએ સૌ કોઈ લોકોની આંખો ઉઘાડી નાખી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]