Breaking News

મહાદેવના મંદિરમાં આવેલા લીમડામાંથી નીકળ્યું દૂધ જેવું પ્રવાહી, લોકોએ કહ્યું આ કોઈ સામાન્ય પ્રવાહી નહી પરતું.. વાંચો..!

તમે એવી ઘણી ઘટનાઓ જોઈ હશે કે જે જોતાની સાથે જ તમે અચરજ પામી જતા હોય છે. કારણ કે અમુક વસ્તુઓ ખૂબ અવનવી રીતે આપણી નજર સમક્ષ દેખાતી હોય છે. આવી વસ્તુઓ ને જોઈને કુતૂહલ સર્જાયું છે. હાલ કાંકરેજના ઈન્દ્રમાણા ગામમાં એવી એક ઘટના નોંધાઈ છે…

જે જોયા બાદ સૌ કોઈ રોકો જુદી જુદી અટકળો કરવા લાગ્યા છે. ઈન્દ્રમાણા ગામમાં ચંદ્રમોલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. મંદિરના આગળના ભાગ પર એક લીમડાનું વૃક્ષ છે. જેમાંથી એક સફેદ કલરનો પ્રવાહી નીકળી રહ્યું છે. સૌ કોઈ લોકોની માન્યતા એવી છે. કે આ પ્રવાહી કોઈ સામાન્ય પ્રવાહ નહીં પરંતુ દૂધ છે…

આ ઘટના સર્જાતાની સાથેજ આજુબાજુમાં રહેતા લોકો રોજ ત્યાં ઉમટી પડે છે. અને આ પ્રવાહીને કોઈ વાસણમાં ભરીને પોતાના ઘરે લઈ જતા હોય છે. લોકોનું કહેવું છે કે, આ પ્રવાહી પીધા પછી વા અને ડાયાબિટીસ જેવા અનેક રોગો ઝડપથી મટી જાય છે. આ વૃક્ષનો છેલ્લા ઘણા સમયથી આ પ્રકારનું પ્રવાહી નીકળે છે…

ઇન્દ્રામણા ગામ બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલું છે. અહીંના ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિરને સૌ કોઈ લોકો આસ્થાનું પ્રતિક માની છે. આ લીમડાના વૃક્ષમાંથી નીકળતું પ્રવાહી ક્યાંથી આવે છે..? અને શા માટે આવે છે..? તેનો હાલ કોઈ જવાબ આવ્યો નથી. પરંતુ સ્થાનિક લોકોનું કહેવું છે કે,,

લીમડા માંથી દૂધ જેવું પ્રવાહી નીકળે છે. જેનાથી ડાયાબિટીસ અને વા જેવા કેટલાય રોગો ને દૂર કરી શકાય છે. લોકો મહાદેવના મંદિરે દર્શને આવે છે. અને ત્યારબાદ લીમડા માંથી નીકળતા પ્રવાહીને કોઈ વાસણમાં ભરીને પોતાના ઘરે લઈ જાય છે. આ કુતુહલ છેલ્લા ૨ મહિનાથી દેખાઈ છે એટલા માટે લોકો ખુબ જ ઉમટી પડ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *