દીન પ્રતિ દિન હાઇવે ઉપરથી ઘણા બધા અકસ્માતના બનાવો સામે આવે છે. જેમાંથી અમુક બનાવો તો ભલભલા લોકોના કાળજા પણ ધ્રુજાવી નાખે તેવા હોય છે. અત્યારે ભગવાનના દર્શને જતા શ્રદ્ધાળુની કારને અડફેટે લેતા કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. આ કાળજા ધ્રુજાવતો અકસ્માત કુલ ચાર લોકોના જીવને તાણી ગયો છે..
આ બનાવ જ્યારે સામે આવ્યો ત્યારે હાઇવે ઉપર ચારેકોર ચકચાર મચી જવા પામ્યો હતો. પ્રકાશ રાય, ગૌરાંગ કુમાર, જીતેન્દ્ર દાસ તેમજ અંકિત સિંહ નામના ચાર યુવકો મહાશિવરાત્રીના પાવન પર્વ ઉપર ભગવાન મહાદેવના દર્શન માટે તેમના ગામથી દૂર આવેલા મહાદેવના મંદિરે જઈ રહ્યા હતા.
આ ઉપરાંત તેઓ ત્યાં બે દિવસ સુધીનું રોકાણ કરવાના ઇરાદે થી ઘરેથી નીકળ્યા હતા. પરંતુ મહાદેવના દર્શન માટે આ શ્રદ્ધાળુને કાર મંદિર સુધી પહોંચે એ પહેલા જ તેમને એક કાળમૂખો અકસ્માત નડી ગયો હતો. ત્યારે તેઓ હાઇવે ઉપરથી પસાર થતા હતા. ત્યારે સામેની બાજુએથી એક ટ્રક બેકાબુ થઈને તેમની કારની સામે આવી ગયો..
અને તેમની કારને અડફેટે લઈ લેતા કારનો બોલી ગયો હતો. કારની અંદર બેઠેલા ચારે ચાર વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હતું. આ કારને પ્રકાશ રાય ચલાવી રહ્યો હતો. કાર ત્રણથી ચાર પલટી ખાઈ જતા કાર ચલાવનાર પ્રકાશ રાય તેમજ તેની બાજુની સીટ ઉપર બેઠેલો ગૌરાંગ કુમાર બંને તો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા..
જ્યારે આકસ્માત સર્જાયો ત્યારે આસપાસના ઘણા બધા લોકો ત્યાં દોડી આવ્યા અને તરત જ આ કારની અંદરથી લોકોને બહાર કાઢવા લાગ્યા હતા. પરંતુ પ્રકાશ રાય અને ગૌરાંગ કુમારનું ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે પાછળની સીટ ઉપર બેઠેલા જીતેન્દ્ર દાસ તેમજ સિંહની હાલત એટલી બધી નાજુક હતી કે જો તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલે પહોંચાડવામાં આવે..
તો તેમનું પણ મૃત્યુ થઈ શકે તેમ હતું અન્ય વ્યક્તિના વાહનની અંદર આ બંને વ્યક્તિને હોસ્પિટલે પહોંચાડવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી પરંતુ હોસ્પિટલ પહોંચે એ પહેલા જ રસ્તામાં તેમનો પણ મૃત્યુ થઈ ગયું હતું. કાળમુખા અકસ્માતની અંદર એક સાથે ચાર વ્યક્તિઓના મૃત્યુ થઈ જતા આંખો હાઇવે મરણ ચીખોથી ગુંજી ઉઠ્યો હતો..
અકસ્માત સર્જાતાની સાથે જ ટ્રકનો ડ્રાઇવર પણ ટ્રક મૂકીને ભાગી ગયો હતો. ઘણા બધા લોકોએ તેનો પીછો કરીને પકડવાની પણ કોશિશ કરી પરંતુ તે હજુ સુધી હાથ આવ્યો નથી. આ ઘટનાને લઈને નજીકના પોલીસ સ્ટેશનમાં જાણકારી મળતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો..
અને કારના ડ્રાઇવરને પકડવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. આ અકસ્માતની અંદર એક સાથે ચાર વ્યક્તિઓના મૃત્યુ થયા છે. આ ચારેય વ્યક્તિઓની અંદાજિત ઉંમર અંદાજે 25 વર્ષથી લઈને 35 વર્ષ સુધીની હોવાનું સામે આવ્યું છે. આ ચારેય વ્યક્તિ મિત્રો છે જે ઘરેથી મહાદેવના દર્શને જવા માટે નીકળ્યા હતા..
પરંતુ રસ્તામાં જ તેમને એક કાળમુખો અકસ્માત ભરખી જતા ચારે ચાર વ્યક્તિના જીવ તણાઈ ગયા છે. જ્યારે જ્યારે અકસ્માતની આવી ઘટનાઓ સામે આવે છે. ત્યારે આપણું મગજ પણ કામ કરતું બંધ થઈ જાય છે કે, આવી પરિસ્થિતિની અંદર આપણે શું કરવું જોઈએ અને શું કરવું ન જોઈએ હાઈવે ઉપર દિન પ્રતિદિન અકસ્માતની સંખ્યાઓ ખૂબ જ વધારે માત્રામાં થવા લાગતા હવે દરેક વ્યક્તિની વાહન ચલાવવા પ્રત્યેની સમજણ ખૂબ જ વધારે રાખવી જોઈએ..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]