Breaking News

મગફળીની વાવણી કરતા પહેલા બળદને જોતરવા જતા દીકરા સમાન બળદ ગાંડોતુર બન્યો, ખેડૂતને ઢીંક મારી દેતા થયું કરુણ મોત..!

આજકાલ ખેડૂતોએ મેઘરાજાના આગમન બાદ પણ ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે. અમુક ખેડૂતોને વીજળી પડવાના કારણે પશુઓના મોત થયા છે. તો અમુક ખેડૂતોના ખેતરમાં ભરોડા પડ્યા છે. તેમજ અમુક ખેડૂતો વરસાદથી ચિંતિત બન્યા છે. બધી ઘટનાઓ ગંભીર બની રહી છે. દિવસેને દિવસે લોકો સાથે આવી આકસ્મિક ઘટનાઓ બધાને કારણે ઘણા બધા લોકોના મૃત્યુ પણ થવા લાગ્યા છે.

ખેડૂતો પોતાના સગા દીકરાની જેમ પોતાના પશુઓને સાચવે છે. કારણ કે ગાય અને ભેંસ દૂધ પૂરું પાડે છે તેમજ બળદ ખેતીમાં ખુબ જ મદદ રૂપ બને છે. ઘરના સભ્યની જેમ જ એક મૂંગા જીવને સાચવે છે પરંતુ આ જ જીવ તેની સાથે કાળ બનીને ઊભો રહેશે તેવું કોઈ ખેડૂત ક્યારેય વિચાર્યું પણ નહી હોઈ.

હાલ એક ખેડૂત મિત્ર સાથે ખુબ જ ચોંકાવનારો બનાવ બન્યો છે. રાજકોટ જિલ્લાના ખેડૂત સાથે ખેતી કરતા સમયે ગંભીર ઘટના બની હતી. રાજકોટ જિલ્લામાં ગોંડલ તાલુકાના વાછરા ગામમાં રહેતા ખેડૂત પરિવાર સાથે બની હતી. ખેડૂત પરિવારમાં ઘરના આધાર સ્તંભ એવા યુવાન અરવિંદભાઈ વાઘજીભાઈ વસાણી તેને પરિવાર સાથે રહેતા હતા.

અરવિંદભાઈની ઉંમર 42 વર્ષની હતી. અરવિંદભાઈ ખેતી કરીને પોતાના પરિવારનો ગુજરાન ચલાવતા હતા. અરવિંદભાઈ અને તેમનો નાનોભાઈ બંને એક જ ઘરમાં એક જ પરિવારમાં રહેતા હતા. અરવિંદભાઈને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હતી. અરવિંદભાઈ વાછરા ગામમાં સારા એવા ખેડૂત ગણાતા હતા.

ખેડૂતોને વાવણીની સિઝન ચાલુ થાય ત્યારે આ સીઝન તેના માટે તહેવારથી ઓછી ગણાતી ન હતી. ખેડૂતો માટે મોટો ઉત્સવ હોય તેવું ગણાતું હતું. વાવણીની સિઝન ચાલુ થતા ખેડૂતો વાવણીની તૈયારીઓ ચાલુ કરે છે. અરવિંદભાઈએ પોતાના ખેતરમાં મગફળીની વાવણી કરી હતી. અરવિંદભાઈ પોતાને ઘરે બે બળદો રાખ્યા હતા.

બળદનુ પાલન પોષણ કરીને તેમને પોતાના દીકરાથી પણ વધારે સાચવતા હતા. બળદનો ઉછેર કરી તેને ખેતીકામ માટે લઈ જતા હતા. એક દિવસ અરવિંદભાઈએ ખેતરમાં ખેતર ખેડવા માટે બળદોને તૈયાર કર્યા હતા. બળદને હળ જોડીને ખેતરમાં મગફળીની તૈયારી કરવા માટે ખેડવામાં તૈયાર કર્યા હતા.

બળદને ખેતરે અરવિંદભાઈએ હળ સાથે જોડીને લઈ ગયા હતા. ખેતરમાં જોતરતા હતા. તે સમયે એક બળદ અચાનક વચ્ચે ઊભો રહી ગયો હતો. તે આગળ ચાલી રહ્યો ન હતો. તે માટે અરવિંદભાઈએ તેને કારહો કર્યો હતો. બળદ છતાં પણ આગળન ચાલતા અરવિંદભાઈ બળદ પાસે ગયા હતા. તે સમયે બળદે અરવિંદભાઈને ઢીંક મારી દીધી હતી.

ઢીંક મારતા જ અરવિદભાઈ નીચે પટકાયા હતા. બળદે અરવિંદભાઈને જોરદાર લાત મારી હતી. તે માટે અરવિંદભાઈ કંઈ બોલી ન શકીને ખેતરમાં જ પડી ગયા હતા. અરવિંદભાઈને છાતીના ભાગે જોરદાર બળદએ મારી દીધું હતું. તે માટે અરવિંદભાઈ ખેતરમાં નીચે પડતાની સાથે જ મૃત્યુ પામ્યા હતા.

પરંતુ પરિવારજનોને અરવિંદભાઈ ઘરે ન આવતા ખેતરમાં જોવા ગયા હતા. તે સમયે અરવિંદભાઈને ખેતરમાં પડેલા જોઈને પરિવારજનો આઘાતમાં આવી ગયા હતા. અરવિંદભાઈને ગોંડલમાં સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. પરંતુ અરવિંદભાઈ ઘણા સમય પહેલા મૃત્યુ પામ્યા હતા.

વાછરા ગામમાં અરવિંદભાઈની ખબર ફેલાતાં ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. અને પરિવારના આધારસ્તંભ સમાન અરવિંદભાઈનું મોત થતા પરિવારજના લોકો આઘાતમાં આવી ગયા હતા. અરવિંદભાઈએ પોતાના દીકરાથી પણ વધુ આ બળદોને સાચવ્યા એ જ તેના મૃત્યુનું કારણ બન્યા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *