Breaking News

માં-દીકરાને ઝેર આપીને પતાવી દીધા બાદ પોતે પણ પંખે લટકીને આપઘાત કરી લેતા મચી ગયો ચકચાર, કારણ જાણી ચક્કર ખાઈ જશો..!

કોઈને કોઈ કારણસર અમુક ઘરોમાં ખુબ જ ખરાબ માહોલ પેદા થઈ જતો હોઈ છે. અમુક પરિવારો નાની નાની બાબતોમાં ગુસ્સે ભરાઈને ન કરવાનું કરી બેસે છે તો અમુક પરિવારો આપઘાત અને હ.ત્યા જેવા પગલા ભરવા પર પણ ઉતરી પડે છે. અત્યારે વધુ એક સામુહિક આપઘાતનો મામલો ઉત્તર પ્રદેશના મથુરામાં બન્યો છે.

મથુરા જિલ્લાના કસ્બા ફરાહ ગામની રોયલ ધર્મશાળા પાણીની ટાંકી પાસે 35 વર્ષના નીરજ અગ્રવાલ પોતાના પરિવારજનો સાથે રહે છે. પરિવારમાં 35 વર્ષની રીમા તેમજ તેમનો દીકરો 10 વર્ષના દીકરાનો સમાવેશ થતો હતો. નીરજ કારીયાણાની ખરીદી કરવાનો વેપાર કરતો હતો. તેના લગ્ન રીમા સાથે 2 વર્ષ પહેલા થયા હતા..

આ અગાઉ રીમાના લગ્ન જુદી જુદી 2 જગ્યાઓ ઉપર થઈ ચુક્યા હતા. અને તેણીએ તેના પહેલા પતિથી છૂટાછેડા લીધા હતા. બીજા પતિનું અવસાન થયું હતું. અને ત્રીજા પતિએ ન કરવાનું કરી નાખ્યું છે. બિઝનેસમેન નીરજ અગ્રવાલે એક રાત્રે પોતાની પત્ની રીમા અને પુત્ર અનમોલને ઝેર આપી દીધું હતું..

થોડી જ વારમાં તેઓ જીવ ગુમાવી બેઠા હતા અને ત્યાં બાદ પોતે પણ લટકીને ગળાફાંસો ખાઈ લઈ આપઘાત કરી લીધો હતો. મૃતક નીરજના ગળા પર ખુબ જ ઊંડા નિશાન જોવા મળ્યા છે. તેનું ગળું પણ ખુબ જ દબાયેલી હાલતમાં જોવા મળ્યું હતું.

પોલીસે આ ત્રણેય મૃતદેહોના પોસ્ટમોર્ટમ રિપોર્ટની કામગીરી શરુ કરી હતી. જેમાં ખુબ જ મોટો ખુલાસો થયો છે. પોલીસ નીરજના ઘરે પહોચીને દરવાજો ખટખટાવ્યો જ્યારે કોઈ ઘરની બહાર ન આવ્યું અને હાલત શંકાસ્પદ જણાતા દરવાજો અંદરથી બંધ હોવાથી પોલીસ છતમાંથી ઘરમાં પ્રવેશી હતી.

જ્યાં તલાશી લેતા ત્રણેયના મૃતદેહ એક જ રૂમમાંથી મળી આવ્યા હતા. પુત્ર અને પત્નીના મૃતદેહ પલંગ પર હતા જ્યારે વેપારી લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. આ બનાવને લઈને ત્યાંના આસપાસના લોકોની સાથે સાથે તેમના અન્ય સેનેહીજનો અને કુટુંબીઓ પણ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા છે.

આખરે આ વેપારીએ કેમ આ પગલું ભર્યું હશે? વગેરે જેવા પ્રશ્નોનો ટોપલો વિખેરવા અને સાચા જવાબ મેળવવા પોલીસ તપાસ ચલાવી રહી છે. આગ્રા ખંડેરીના રાજકુમારની પુત્રી રીમા બે ભાઈઓ શિવમ અને મન્નુ કરતા નાની હતી. તેની માતા રાધા અગ્રવાલે જણાવ્યું કે, વર્ષ 2010માં રીમાના લગ્ન આગ્રાના બાલ્કેશ્વરમાં થયા હતા.

અહીં રીમાના છૂટાછેડા થઈ ગયા. જે બાદ વર્ષ 2014માં રીમાના લગ્ન રાયાના યુવક સાથે થયા હતા. આ યુવકના મૃત્યુ બાદ રીમા તેના પુત્ર અનમોલ સાથે તેના મામાના ઘરે આવી હતી. લગભગ ત્રણ વર્ષ પહેલા રીમાના લગ્ન ફરાહના નીરજ સાથે થયા હતા. રીમાએ ત્રણ વર્ષથી અહીં રહીને કોસ્મેટિકની દુકાન ખોલી હતી.

મૃતકની માતા રાધા અગ્રવાલે જણાવ્યું કે ચાર દિવસ પહેલા નીરજ અને રીમા વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ મંગળવારે અહીં આવીને સમાધાન કરવાનું હતું. તે પહેલા પણ તેણે આ પગલું ભર્યું હતું. આ ઘટના વિશે સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. લોકોનું કહેવું છે કે પતિ-પત્નીના ઝઘડામાં કોઈ આવું ભયંકર પગલું કેવી રીતે લઈ શકે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *