અકસ્માતમાં આખાને આખા પરિવાર પણ ખલાસ થઈ જતા હોય છે. તો કેટલીક વખત પરિવારના કોઈ મોભી સભ્યનું અકસ્માતમાં મોત થતા સમગ્ર પરિવાર રસ્તા પર આવી જતો હોય છે. આ સાથે સાથે જે પરિવારજનોમાં કોઈ એક વ્યક્તિ ઉપર જ પરિવારનો માળો ટકેલો હોય તે વ્યક્તિનું અકસ્માતમાં મૃત્યુ થાય તો તે દર્દને સહન કરવું આખી જિંદગી પર સહેલું રહેતું નથી..
અત્યારે કંઈક આવું જ દુઃખ અને દર્દ સહન કરવાનો વારો પાંચ બહેનોની સાથે સાથે નવ વર્ષની દીકરી અને તેની પત્નીનો આવ્યો છે. આ ઘટના પટનાના સીવાનની છે. અહીં કલાન ગામમાં પીન્ટુ કુમાર સિંહ રહે છે. પરિવારમાં તેમની નવ વર્ષની માસુમ બાળકી તેમની પત્ની સિંધુ તેમજ તેની પાંચ બહેનો નો સમાવેશ થાય છે..
તેના માતા પિતા નું નાનપણમાં જ મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે તેઓ બોલવા પણ શીખ્યા હતા નહીં, એ સમયે જ તેમના માતા-પિતા નું અવસાન થઈ જતા પરિવારના વ્યવહારથી લઈને પાંચે બહેનોને સંભાળવાની જવાબદારી પીન્ટુ કુમાર સિંહ ઉપર આવી પડી હતી. તે પાંચ બહેનોનો એકનો એક ભાઈ હતો.
પરંતુ આ માતા-પિતા વગરની પાંચ બહેનોના સગા ભાઇનું અકસ્માતમાં મૃત્યુ થઈ જતા હવે પરિવારમાં કોઈપણ કમાઉ વ્યક્તિ બચ્યો નથી. આ દુઃખને સહન કરવું કોઈ પણ માટે સહેલું નથી. જ્યારે પિન્ટુ કુમાર સિંહની પત્ની સિંધુ તેમજ પીન્ટુ કુમાર સિંહની પાસે બહેનોને જાણ થઈ કે પીન્ટુ કુમાર સિંહનું અકસ્માતમાં મૃત્યુ થયું છે..
ત્યારે તેઓના હોશ ઉડી ગયા હતા અને એક જ જમીન પર ઢળીને બેભાન થઈ ગયા હતા. કારણ કે કોઈ વ્યક્તિથી આ દુખનો આઘાત સહન થઈ શક્યો નહીં. પીન્ટુ કુમાર સિંહની નવ વર્ષની દીકરી નંદની પણ ઘરના માહોલને જોઈને લડવા લાગી હતી. અને વારંવાર પપ્પા ક્યારે આવશે તેવું જણાવતી હતી.
આસપાસ રહેતા સ્નેહીજનો તાત્કાલિક તેમના ઘરે આવી પહોંચી અને દુઃખના માહોલને સાંભળવામાં લાગી પડ્યા હતા તો ગામના લોકો પણ ત્યાં એકઠા થઈ ગયા હતા. કેટલાક લોકો તો ચર્ચા વિચારણા પણ કરવા લાગ્યા કે હવે આ પાંચે બહેનોના લગ્નનો ખર્ચ કોણ ઉપડશે તેમજ પીન્ટુ કુમાર સિંહની નાની દીકરીને ભણાવી ગણાવીને કોણ મોટી કરશે..
આ સાથે સાથે હવે પરિવારમાં કોઈ પણ વ્યક્તિ મદદ રૂપ થઈ શકે તેવો બચ્યો નથી. એટલા માટે આ પરિવાર હાલ રજળતો થયો છે. પરંતુ આજે બહેનો તેમજ પીન્ટુ કુમાર સિંહની હિંમત ન હારી જાય એટલા માટે આસપાસ રહેતા વડીલો તેમને આત્મા વિશ્વાસ આપવા માટે આવી પહોંચ્યા હતા.
મશીન ખેતીવાડી કરીને પરિવારના તમામ સભ્યોનું જીવન ગુજારતો હતો. કદાચ તેની પત્ની તેમજ પાંચે બહેનો પીન્ટુ કુમાર સિંહની ખેતીવાડી ને સંભાળીને પરિવારનું ગુજરાન ચલાવી શકે છે. પરંતુ આ ઘટનાને લઈને આખા ગામમાં એકાએક દુઃખની લાગણી છવાઈ ગઈ છે. તો પરિવારજનોના તો રડી રડીને ખૂબ જ ખરાબ હાલ થઈ ગયા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]