ક્યારે કોની સાથે શુ બની જાય છે તે કહી શકાતું નથી. અવારનવાર અચાનક લોકો સાથે એવી ઘટનાઓ બની રહી છે કે જેના કારણે પરિવારના લોકો મુશ્કેલીમાં મૂકી જાય છે. નાના બાળકો સાથે આજકાલ જીવલેણ ઘટનાઓ ખૂબ જ બની રહી છે. બાળકો પોતાના માતા-પિતાથી દૂર થઈ રહ્યા છે. આવી જ એક બાળક સાથે હાલમાં ગંભીર ઘટના બની હતી.
આ ઘટના જોધપુરના ચાંદપુર સુરસાગરના રહેવાસી પરિવારના દીકરા સાથે બની હતી. પરિવારમાં રહેતા યુવકનું નામ મહેન્દ્ર ભીલ છે. તેની પત્ની અને તેમના બાળકો સાથે જોધપુરમાં સુરસાગર શેરીમાં રહે છે. મહેન્દ્ર ભીલની પત્નીનું નામ લક્ષ્મીદેવી છે. તેને બે બાળકો હતા. જેમાં એક દીકરો સાત વર્ષનો હતો. તેમનું નામ દેવમ હતું.
તેમના માતા-પિતાનો ખૂબ જ લાડકો દીકરો હતો. પરિવારમાં દેવમ પછી એક નાની બહેન હતી. લક્ષ્મીદેવીએ થોડા દિવસ પહેલાં જ દીકરીને જન્મ આપ્યો હતો. આખો પરિવાર ખૂબ જ ખુશ હતો. દીકરીનું નામ પણ પાડ્યું ન હતું અને માતા પિતાને તેની માસી પાલીમાં રહેતા હોવાને કારણે માસીના ઘરે શાદીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
તેમના માસીનું નામ જશોદા દેવી છે. જેના કારણે માતા-પિતા દીકરો અને તેમની નવજાત દીકરી માસીના ઘરે પાલીમાં આવ્યા હતા. માસીનું ઘર પાલીમાં હાઇવેની બાજુના ખેતરમાં છે, જેના કારણે પરિવારના લોકો બસમાંથી નીચે ઉતરયા બાદ પગપાળા ચાલીને તેમના માસીના ઘરે જઈ રહ્યા હતા. તે સમયે બાળક તેમના માતા પિતાની આગળ ચાલી રહ્યું હતું.
ત્યારબાદ પિતા મહેન્દ્ર ભીલ ચાલી રહ્યા હતા અને તેમની પાછળ તેમની પત્ની લક્ષ્મીદેવી નવજાત બાળકીને પોતાના હાથમાં લઈને ચાલી રહી હતી. તે સમયે દીકરો ખૂબ જ ખુશ હતો. કારણ કે અલગ જગ્યાએ આવ્યો હોવાથી તેને બધું અલગ અલગ લાગી રહ્યું હતું. તે ખૂબ જ ખુશ હતો. તે સમયે અચાનક જ સામેની તરફથી એક કાર ખૂબ જ ઝડપી સ્પીડમાં આવી રહી હતી.
અને આ કાર ચાલકે રસ્તો સાંકડો હોવા છતાં પોતાની કારને ધીમી કરી નહીં. બાળક જે રસ્તે ચાલી રહ્યો હતો. ત્યાં તેણે બાળક સાથે અચાનક જ કારણે અથડાવી દીધી હતી અને બાળકને સાથે અથડાતા જ બાળક 14 ફૂટ ઉછળીને રોડ પર પડી ગયો હતો. માથામાં ખૂબ જ ગંભીર ઈજા થઈ હતી. તેમના માતા પિતા તરત જ બાળક પાસે દોડી ગયા હતા.
અને કારચાલકને ઉભો રાખવાની કોશિશ કરી હતી પરંતુ કારચાલક ઉભો રહ્યો નહીં ત્યારબાદ દીકરાને માતા-પિતાએ પોતાના ખોળામાં લઈને જગાડવાની કોશિશ કરી હતી પરંતુ દીકરો ઉઠ્યો નહીં ત્યારબાદ તરત જ દરેક સગા સંબંધીઓ મળીને દીકરાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાં ડોક્ટરોએ દીકરાનું મૃત્યુ થઈ ગયાની જાણ કરી હતી.
આ જાણીને જ પરિવારના લોકો આઘાતમાં આવી ગયા અને તેમની માતા દીકરાનું નામ લઈને રડી રહી હતી. માતા પિતાને શું ખબર હતી કે તેને પાલી આવવું મોંઘું પડી જશે જે ઘરમાં દીકરીનો જન્મ થતાં જ ખૂબ ખુશીનો માહોલ હતો ત્યાં તે જ પરિવારના દીકરાએ પોતાનો જીવ ગુમાવી દીધો હતો. આવી ઘટના બની જતા પરિવાર આઘાતમાં આવી ગયું હતું. પરિવારના લોકોએ આ કાર ચાલક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે પોલીસ કાર ચાલકની તપાસ કરી રહી હતી…
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]