દરેક મા બાપ તેમના દીકરા અને દીકરીના સારા ભવિષ્ય માટે તેમને નાનપણથી જ ખૂબ જ સારી બાબતો શીખવતા હોય છે, જેમાં સંસ્કાર અને ગુણોનું વાવેતર પણ કરવામાં આવતું હોય છે. જે બાળકોની અંદર સંસ્કાર હોતા નથી તેવો ક્યારે પણ જીવનમાં લાંબી પ્રગતિ કરી શકતા નથી કારણ કે, જીવનમાં કેવી રાહ પર ચાલીને કેવો જીવન વ્યવહાર રાખવો જોઈએ..
તેની સારી સમજ માતા પિતાએ આપેલા સંસ્કાર ઉપર રહેલી હોય છે, અત્યારે એક માતા પિતાને તેમના ખૂબ જ સારા સંસ્કારોથી પાળેલી જુવાન દીકરી ના કારણે જ સમાજમાં નીચું જોવાનો વારો આવી ગયો હતો. માતા-પિતાને તેમના દીકરા કે દીકરી ઉપર ખૂબ જ વિશ્વાસ હોય છે, પરંતુ તેમના દીકરા કે દીકરી ત્યારે તેમના ચકમો આપીને વિશ્વાસઘાત કરીને જતા રહે તેનું નક્કી હોતું નથી..
અત્યારનો સમય ખૂબ જ ખરાબ દેખાય રહ્યો છે કારણ કે, જુવાન ઉંમરના યુવક યુવતીઓ માંથી મોટાભાગના યુવક યુવતીઓ તેમના માતા પિતાનું કહેલું સાંભળતા હોતા નથી અને પાછળ જઈને તેમને પછતાવાનો વારો આવતો હોય છે, અત્યારે ચોંકાવનારી એક ઘટના અશ્વિનભાઈ નામના વ્યક્તિના પરિવાર સાથે બની છે..
પરિવારમાં અશ્વિનભાઈ તેમની પત્ની હેમાલીબેન અશ્વિનભાઈનો નાનો દીકરો જતીન તેમજ 22 વર્ષની દીકરી મોનિકાનો સમાવેશ થતો હતો, અશ્વિનભાઈ અને હેમાલી બેને મોનિકા તેમજ જતીનને નાનપણથી જ ખુરાળજો સારી બાબતો અને સંસ્કારો શીખવ્યા હતા, એટલા માટે માતા-પિતાને તેમના દીકરા અને દીકરી ઉપર ખૂબ જ વિશ્વાસ હતો..
પરંતુ સંગત ફરી જવાને કારણે મોનિકા તેના માતા પિતાએ આપેલા સંસ્કારોને ભૂલી ગઈ અને તેના ખરાબ મિત્રોની સંગાથે ચડી જઈને અંતે એવું કારનામુ કરી બેઠી હતી કે, જેના કારણે અશ્વિનભાઈ અને હેમાલીબેન ને સમાજમાં મોઢું નીચે કરીને ચાલવાનો વારો આવી ગયો હતો. કોઈપણ માતા-પિતાને શરમથી નીચે જુકવું પડે તેવું કામ તેમના દીકરાઓ કરે તો તેમને ખૂબ જ દુઃખ થતું હોય છે..
અને અત્યારે આવું દુઃખની ઘડી અશ્વિનભાઈ તેમજ હેમાલીબેન સહન કરી રહ્યા છે, મોનિકા કોલેજનો અભ્યાસ કરતી હતી અને ઘણી બધી વાર તે સવારના સમયે ઘરેથી કોલેજ જવાના બહાને નીકળી જતી અને મોડી રાત્રે તે પરત ફરતી હતી, જ્યારે તેને પૂછપરછ કરવામાં આવે ત્યારે તે જણાવતી કે કોલેજની અંદર તેને એક્સ્ટ્રા ક્લાસ હોવાને કારણે ખૂબ જ વાર લાગી ગઈ હતી..
અને આ એકસ્ટ્રા ક્લાસની બાંહેધરી તે કોલેજના સર પાસેથી અપાવી દેતી હોવાને કારણે માતા-પિતાને તેમની દીકરી ઉપર વિશ્વાસ આવી ગયો હતો કે હકીકતમાં તેમની દીકરી એકસ્ટ્રા ક્લાસમાં ભણી રહી છે, પરંતુ બિચારા મા-બાપને એવી તો શી ખબર કે કોલેજના શિક્ષકની સાથે જ તેમની દીકરીનું ચક્કર ચાલી રહ્યું હતું..
અને થોડા જ દિવસોની અંદર મોનિકા સવારના સમયે ઘરેથી નીકળી હતી અને મોડી રાત સુધી પરત ફરી નહીં ત્યારે તેના માતા પિતા મોનિકાને ફોન કરવાની કોશિશ કરી પરંતુ મોનિકા એક પણ વાર ફોન ઉંચકયો નહીં, માતા-પિતાને તેની ચિંતા સત્તાવા લાગી હતી. આસપાસના વિસ્તારમાં તેની શોધખોળ પણ શરૂ કરી દીધી..
આ ઉપરાંત તેના કોલેજના શિક્ષકોને પણ ફોન કરીને માહિતી આપવામાં આવી ત્યારે ખબર પડી કે, કોલેજનો રમેશ નામનો શિક્ષક મોનિકા નામની આ 22 વર્ષની જુવાનજોધ વિદ્યાર્થીનીને ભગાવીને લઈ ગયો હતો, હકીકતમાં મોનિકા અને રમેશ નામનો આ ઢાંઢો શિક્ષક બને એકબીજાના પ્રેમ આટલા બધા પાગલ બની ગયા હતા કે તેઓ એકબીજા સાથે સમય વિતાવવા માટે ઘર મૂકીને ભાગી ગયા હતા..
રમેશ નામનો આ શિક્ષક પર અને તેને બે સંતાનો પણ હતા છતાં પણ તેઓ 22 વર્ષની જુવાનજોધ યુવતીને ભગાવીને લઈ જતા સૌ કોઈ લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો, ઘણા બધા વાલી તો કોલેજના દરવાજા સુધી પહોંચી ગયા અને ત્યાં હંગામો મચાવી દીધો હતો, જ્યારે અશ્વિનભાઈ તેમજ હેમાલીબેન સાંભળતો પોલીસ સ્ટેશન પહોંચી..
અને ત્યાં તેમની દીકરીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી દીધી હતી, બિચારા માં-બાપ પર ત્યારે શું વીતી હશે, જ્યારે સમગ્ર સમાજ તેમની દીકરીના ભાગી જવાની વાતને લઈને મહેણા-ટોણા મારી રહ્યો હતો, હકીકતમાં દુઃખની આ ઘડી કોઈપણ વ્યક્તિથી સહન થતી હોતી નથી..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]