ઘણી બધી બાર માતા પિતાને ચકમો આપીને તેમના દીકરા કે દીકરીઓ એવું પગલું ભરી લે છે કે, પોતાના દીકરા અને દીકરીનો વીરમાં માતા-પિતા આખી જિંદગી ખૂબ જ દુઃખી થઈ જતા હોય છે. ઘણી બધી વાર તો મા બાપ પોતાના લાડકા દીકરા કે દીકરીના ચેહરાને પણ જોવા પામતા નથી..
અત્યારે ઝડપથી વધતા જતા જમાનાની અંદર બાળકો ઉપર ભણવાની બાબતને લઈને ખૂબ જ વધારે પડતું પ્રેશર હોય છે. કારણ કે અન્ય કોઈ વ્યક્તિના દીકરા કે દીકરી આગળ ચાલ્યા જાય અને પોતાના દીકરા પાછળ રહે તે કોઈ પણ મા બાપને ગમતું નથી. પરંતુ પોતાના દીકરાની ક્ષમતા પ્રમાણે તેઓ દરેક કામગીરી કરતા હોય છે..
અને તેનાથી દરેક મા બાપએ ખુશ રહેવું જોઈએ. ગામડે રહીને મજૂરી કામ કરનાર જીવાભાઇ નામના વ્યક્તિએ તેમની દીકરીને ભણવા માટે શહેરની હોસ્ટેલમાં મોકલી હતી. તેમની દીકરી હોસ્ટેલમાં રહેતી અને ત્યાં નજીકની શાળામાં અભ્યાસ કરવા માટે જતી હતી. પરંતુ એક દિવસ અચાનક જ તેમની માથે કઠણાઈ બેસી ગઈ છે..
અને આ હોસ્ટેલથી ફોન આવ્યો કે, તેમની દીકરીએ હોસ્ટેલના રૂમનો દરવાજો બંધ કરીને ઝહેરના ઘૂંટડા પીઈને આપઘાત કરી લીધો છે. જ્યારે માબાપે આ સમાચાર સાંભળ્યા ત્યારે તેઓને દિલમાં એકાએક ઘાસકો પડ્યો હતો. તો જીવાભાઇ તો ત્યાંને ત્યાં જ ઢળી પડ્યા હતા. તેઓથી દુઃખની આ ઘડી સહન થઈ શકી નહીં..
તાબડતો પરિવારના અન્ય સભ્યોની સાથે તેઓ શહેરની આ હોસ્ટેલ ખાતે પહોંચ્યા અને ત્યાં રૂમનો દરવાજો ખોલતા જ તેમની દીકરી રશ્મી ત્યાં પલંગ ઉપર મળી આવી હતી. તેને ઝેરના ઘૂંટડા પીઈને આપઘાત કરી લીધો હતો જાણવા મળ્યું છે કે, તે ધોરણ 10 ના અભ્યાસ કરતી હતી.
15 વર્ષની આ દીકરીને એવું તો શું દુઃખ આવી પડ્યું હશે કે, તેણે આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધો છે. તેની જાણકારી મેળવવા માટે પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. તેની બહેનપણીઓને પૂછપરછ કરવામાં આવી કે શું રશ્મિ અને કોઈ બાબતને લઈને ટેન્શન હતું. આ ઉપરાંત તેનો ભણવામાં વર્તન કેવું હતું..?
આ સાથે સાથે તેની રોજબરોજની કામગીરીઓ શું હતી વગેરે જેવી પૂછપરછ કરવામાં આવી રહી છે. અને તેના મોતનું કારણ બહાર લાવવામાં આવશે આ ઉપરાંત તેના રૂમમાંથી કોઈ પણ પ્રકારની અંતિમ ચિઠ્ઠી પણ મળી આવી નથી. જ્યારે આ ઘટના બની ત્યારે એકાએક ખળભળાટ મચી ગયો છે..
તેમના સગા સંબંધીઓ અને તેમના દીકરા કે દીકરીઓ કે જે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે. સૌ કોઈ લોકો પોતાના દીકરા કે દીકરીને કોઈ ટેન્શન છે કે, નહીં તેની પૂછપર જ કરવા લાગ્યા હતા. જ્યારે આ ઘટના બની ત્યારે શાળાના શિક્ષકોથી માંડીને મેનેજમેન્ટના અધિકારીઓ પણ હેરાન થઈ ગયા છે કે, આ દીકરી ભણવામાં આટલી બધી હોશિયાર હતી..
છતાં પણ તેને આ પગલું શા માટે ભર્યું હશે. બિચારા મા-બાપ માટે તો આ દુઃખની ઘડી સહન થઈ શકી નથી. અને કોઈ પણ મા બાપ માટે આવવા માઠા સમાચાર સાંભળવા ખૂબ જ મુશ્કેલ છે. અત્યારે પરિવારના અન્ય સભ્યો રસમીના માતા-પિતાને સાંત્વના આપી રહ્યા છે. અને બધું જ સારું થઈ જશે તેવી હિંમત આપીને તેમની દીકરીના મોતનું કારણ જાણવા માટે ખડે પગે ઉભા રહ્યા છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]