ઘણા બધા લોકો એકબીજા વ્યક્તિની વાતમાં આવી જઈને ઘટનાની સાચી માહિતી જાણ્યા વગર જ હવામાં વાતો ફેલાવવા લાગે છે. અત્યારે એ એપાર્ટમેન્ટમાં એવી અફવા ફેલાઈ ગઈ હતી કે, જેનાથી એપાર્ટમેન્ટની કિંમત સાવ તળિયે બેસી ગઈ હતી. આ ઘટના ધર્મરાજ એપાર્ટમેન્ટની છે. આ એપાર્ટમેન્ટના આઠમા માળેથી એવી વાતો ફેલાઈ હતી કે, જ્યારે આ બિલ્ડીંગ બનતું હતું ત્યારે..
આઠમાં માળેથી એક મજૂરો નીચે પટકાઈ ગયો હતો અને તેનું મૃત્યુ થઈ ગયું હતું અને ત્યાર પછીથી તેનુ ભૂત સમગ્ર એપાર્ટમેન્ટની અંદર ફરી રહ્યું છે અને અડધી રાત્રે આ ભુત આઠમાં માળે આવીને સૌ કોઈ લોકોને હેરાનગતિ પહોંચાડે છે. આઠમા માળ ઉપર રહેતા મનોજભાઈ નો પરિવાર આ વાતચીત સાંભળીને ખૂબ જ ડરી ગયો હતો..
મનોજભાઈની પત્ની તો મનોજભાઈને કહેવા લાગી હતી કે, તેઓ આ મકાનની અંદર રહેવા માંગતા નથી. તેઓ તાત્કાલિક ધોરણે અન્ય કોઈ જગ્યાએ રહેવા માટે ચાલ્યા જાય તો વધારે સારું રહેશે. તો મનોજભાઈના દીકરા અને દીકરી પણ ખૂબ જ ડરી ગયા હતા. મનોજભાઈના પડોશી આવી ગોળ ગોળ વાતો ફેરવીને દરેક લોકોને ખૂબ જ ડરાવી રહ્યા હતા..
પરંતુ મનોજભાઈએ ક્યારેય પણ આ બાબતનો વિશ્વાસ કર્યો નહીં. એક દિવસ રાતના સમયે મનોજભાઈના ઘરે એવી ઘટના બની કે, મનોજભાઈની પત્ની સીમાબેન પાડવા લાગી હતી અને અડધી રાત્રે તેઓ બિલ્ડિંગ છોડીને નીચે ઉતરી ગયા હતા. અડધી રાત્રે તેમના ઘરેથી કોઈ વ્યક્તિ જોડતી હસી રહ્યો હોય તેવો અવાજ આવવા લાગ્યો હતો…
મનોજભાઈની પત્ની સીમાબેને મનોજભાઈને જણાવ્યું કે, નક્કી આ મજુરનું ભૂત આપણને હેરાન કરવા આવી ગયું છે. મનોજભાઈ એ જણાવ્યું કે, આ બધી બાબતો ઉપર આપણે ક્યારેય વિશ્વાસ કરવો જોઈએ નહીં. આપણે ભણેલ-ગણ અને ઉચ્ચ શિક્ષિત વ્યક્તિઓ છીએ. આવી બધી બાબતો ક્યારેય શક્ય હોતી નથી..
તેમ કહીને તેમણે તેમની પત્નીને ચૂપ કરાવી દીધી હતી. પરંતુ આ અવાજ વારંવાર આવવા લાગતા અંતે સમગ્ર પરિવાર ડરીને નીચે આવી ગયો હતો. જ્યારે ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી ત્યારે એવું મળ્યું હતું કે સૌ કોઈ લોકો મનોજભાઈના પડોશીને ધક્કો મારીને બિલ્ડીંગની બહાર કાઢવા લાગ્યા હતા..
હકીકતમાં મનોજભાઈના પડોશીએ કાવતરું ગોઠવ્યું હતું અને તેઓએ મનોજભાઈના ઘર પાસે એક સ્પીકર મૂક્યું છે. જેમાં જોર જોરથી હસવાનો અવાજ આવી રહ્યો હતો. મનોજભાઈના પડોશીઓ જ મનોજભાઈ ના પરિવારજનોને ડરાવી નાખ્યા હતા. કારણકે મનોજભાઈ નો પડોશી આ ફ્લેટને ખૂબ જ ઓછી કિંમતે તેમની પાસેથી ખરીદવા માંગતો હતો..
એટલા માટે તેણે આ તમામ છટકું ગોઠવ્યું હતું. જ્યારે આ ઘટના સામે આવી ત્યારે સૌ કોઈ લોકોના હોશ ઉડી ગયા અને મનોજભાઈ ના પાડોશીને તાત્કાલિક ધોરણે એપાર્ટમેન્ટ માંથી કાઢી મૂકવાનો સૌ કોઈ લોકોએ નિર્ણય બનાવી લીધો હતો. આવી રીતે કોઈ માણસને ડર લગાડવો એ ખુબ જ ખોટી બાબત છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]