આપણે સૌ જાણીએ છીએ તેમ છે અત્યારે મોંઘવારી ખૂબ જ વધુ પ્રમાણમા વધી રહી છે. જેના કારણે સામાન્ય વર્ગના વ્યક્તિઓ માટે જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે આના કારણે ઘણા બધા લોકો પોતાનું ગુજરાન આપણા હાલમાં પણ ના હોય તેવી રીતના તેઓનું ગુજરાન ચલાવતા હોય છે. અને તેઓ આવી પરિસ્થિતિ ને ટક્કર આપીને આગળ જતા હોય છે.
પરંતુ આવી જ રીતના જો દરેક વસ્તુઓમાં ભાવ વધતો જ રહ્યો તો દરેકને જીવન જીવવામાં પણ મુશ્કેલીઓ આવી શકે છે. મોંઘવારીએ તમામ હદોને પાર કરી દીધી છે આ મોંઘવારીમાં સામાન્ય માણસો માટે જીવ ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. કારણકે પેટ્રોલ ડીઝલ સીએનજી ગેસ ની સાથે સાથે ખાદ્યતેલના ભાવ પણ ખૂબ જ વધારે નોંધાઈ રહ્યો છે આ તમામ બાબતોની અસર ગૃહિણી ઓ ના રસોડામાં પર પડેલી છે.
કારણ કે તેઓને જ દરેક વસ્તુઓની ખરીદી જાતે કરતા હોય તેથી તેઓને ખ્યાલ હોય છે. અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાને કારણે શાકભાજીના ભાવમાં પણ ખૂબ જ વધારે પડતો ઉછાળો આવ્યો છે આ ઉપરાંત ઊનાળાની સિઝન શરૂ થતાની સાથે શાકભાજીની આવકમાં ખૂબ જ ઘટાડો થવાના કારણે પણ દરેક શાકભાજીમાં ભાવ વધારો થયો છે જેના કારણે ભાવ આપોઆપ વધી જતા હોય છે.
પરંતુ આ વર્ષે પેટ્રોલ-ડીઝલના ભાવ પણ ખૂબ જ વધી ગયા છેજેના પગલે શાકભાજીના ભાવ હવે ખૂબ જ ઉછાળો લઈ રહ્યા છે છેલ્લા ઘણા દિવસથી લીંબુના ભાવ ખૂબ જ ચર્ચામાં રહ્યા છે કારણ કે લીંબુ ની આવક ઘટી ગઈ છે દરેકને લીંબુ ના છોડ માં સડો બેઠો છે. અને લીંબુ ના ભાવ ચડી ગયા છે તો અમુક જગ્યાએ તો ફાલ જ નથી આવ્યો એટલા માટે લીંબુ ઓને બહારના રાજ્યમાંથી મંગાવવા પડે છે.
જેને મંગાવવાના કારણે ખુબ જ ભાવ વધી જતો હોય છેતેને ટ્રાન્સપોર્ટ ના ખર્ચાઓને લીધે ભાવ વધવા નો પ્રશ્ન આવે છે અને લીંબુ નો ભાવ તો વચ્ચે 450થવા પણ આવી ગયો છે લીંબુના ભાવ 150 આસપાસ છૂટક બજારમાં વેચાઇ રહ્યા છે એટલા મોંઘા લીંબુના રસનો આપવાને બદલે ખટાશ લાવવા માટે ગૃહિણીઓ ટામેટાંનો ઉપયોગ કરતી હતી પરંતુ હવે તો ટામેટા નીઆવક પણ ધીમે ધીમે ઘટવા લાગે છે.
જે એટલા માટે ટામેટાને બેંગ્લોર અને નાસિક થી લાવવા પડે છે. તેને લાવવા માટે ના ભાડા ના કારણે તેમાં પણ ભાવમાં ઉછાળો આવ્યો છે. જેનો ટ્રાન્સપોર્ટ પર ખૂબ જ વધી ગયો છે. એટલા માટે મધ્ય ગુજરાતના આણંદ નડિયાદ અમદાવાદ પંચમહાલ વડોદરામાં છૂટક બજારમાં ટામેટા ૮૦ થી ૧૨૦ રૂપિયા કિલો પહોંચી ગયા છે. જે આવનારા થોડા સમયમાં અંદર જ ૧૫૦થી ૧૭૦ રૂપિયા કિલો આસપાસ પહોંચી જશે.
કદાચ આ ભાવ લીંબુના ભાવ ની જેમ દિન-પ્રતિદિન વધવા લાગે તેવું પણ બની શકે છે ઉનાળો શરૂ થયો છે, એ બાદ ટામેટાની ઉતારો એકદમ નહીવત દેખાય છે. ટામેટાનું મોટાભાગનું ઉત્પાદન મધ્ય ગુજરાતના આણંદ નડિયાદ અને ખેડામાં થાય છે. આ ઉપરાંત ટામેટાના ભાવ વધી જતા ખાણીપીણીની લારીઓ અને રેસ્ટોરન્ટમાં પણ ટામેટા ન આપવાના કારણે,
તેઓના ધંધામાં બહુ મોટી અસર આવે છે. પોરબંદરમાં ટામેટાની આવકમાં નોંધપાત્ર ઘટાડો થતાં ભાવ આસમાને પહોંચ્યો છે. નાની ઋતુનો પ્રારંભ થતાં લીંબુના ભાવ કરતા ટામેટાના ભાવ પણ વધશે આમ તો હાલમાં ગુજરાત બહારથી વધુ માત્રામાં ટામેટા ની આવક થાય છે. ગુજરાતમાં ટામેટાનું ઉત્પાદન સાવ ઓછા પ્રમાણમાં થાય છે ટામેટાની આ વખતે તારે ભાવ આસમાને પહોંચ્યો છે.
ઉનાળાના આકરા તાપની અસર અને શાકભાજીની આવક પર જોવા મળી છે, આકરા તડકા પડતા હોવાથી શાકભાજીના ઉત્પાદનમાં તેની સીધી અસર જોવા મળે છે અન્ય શહેરોમાંથી ટામેટા ની આવક થઈ રહી છે. ત્યારે ભાવ ૧ કિલોના ૧૦૦થી ૧૨૦ સુધી પહોંચી ગયો છે આવનારા સમયમાં ભાવમાં ઉછાળો પણ આવી શકે છે આવક નોંધપાત્ર ઘટાડો થતા ટામેટાના ભાવ વધ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]