વ્યાજખોરોના ત્રાસના કારણે ઘણા લોકો ભયભીત બનીને જીવન જીવતા હોય છે. વ્યાજખોરો જેમ કહે તેમ કરવા માટે તૈયાર હોય છે. છતાં પણ વ્યાજખોરોનો ત્રાસ હળવો ન થવાને કારણે અંતે એવો આપઘાત કરી લેતા હોય છે. હાલ જસદણમાં વધુ એકવાર વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈને એક જ પરિવારના બે સભ્યોએ ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે.
છેલ્લા પંદર દિવસમાં જસદણના આપઘાતની ગણીને કુલ 25 લોકોએ આપઘાત કરી લેતાં તંત્ર સફાળું બેઠું થયું છે. તેમજ સમાજના અગ્રણીઓ પણ વિચારવા પર મજબૂર બની ગયા છે કે, આટલા બધા આપઘાતના કારણ શું હોઈ શકે..? જસદણના શ્રીનાથજી ચોકમાં એક સોસાયટીમાં રહેતા રમેશભાઈ અને તેમનો દીકરો સતીશ બંને કોલેજીયન હેર આટ નામની એક વાળંદ ની દુકાન નો વ્યવસાય ચલાવતા હતા…
રમેશભાઈ તેમજ તેમના દીકરા સતીશે થોડા દિવસ પહેલા પૈસા વ્યાજે લીધા હતા. ત્યારબાદ આર્થિક તંગીના કારણે તેઓ વ્યાજખોરોને પૈસા પરત આપવામાં નિષ્ફળ નિવડ્યા હતા. જેના કારણે વ્યાજખોરો આ બાપ-દીકરાને ખૂબ જ ત્રાસ આપી રહ્યા હતા .એક દિવસ રમેશભાઈ અને તેના પુત્ર સતીશે…
આ તમામ માયાજાળમાંથી મુક્તિ મેળવવા આપઘાત કરવાનો મન બનાવી લીધું હતું. અને રમેશભાઈએ તેના ભત્રીજા નીરવને કોલ કર્યો હતો અને જણાવ્યું હતું કે નીરવ આપણા છેલ્લા રામ રામ છે. એ પછી ફોન કાપી નાખ્યો હતો. આ પ્રકારની વાત સાંભળતા ની સાથે જ નિરવ અને તેનો મોટો ભાઈ બંને તાત્કાલિક ધોરણે આ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
ત્યાં જઈને તેઓએ જોયું કે તેમના મોટા પપ્પા રમેશભાઈ અને એમનો ભાઈ સતીશ બંને ઝેરી દવા ગટગટાવી લીધી છે. અને તેઓ ઢળી પડ્યા હતા. જોતાની સાથે જ તેઓએ આસપાસના લોકોની મદદથી તેઓને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ 108ની મદદથી જસદણની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા..
ત્યાં તેઓની સારવાર દરમિયાન રમેશભાઈનું મોત થયું હતું. તો રમેશભાઈ ના પુત્ર સતીશ ની હાલત ખુબ જ ગંભીર હતી એટલા માટે તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ એ સમય દરમિયાન સતીશ નું પણ મોત થયું હતું. વ્યાજખોરોના ત્રાસ ના કારણે એક જ પરિવારના બે સભ્યોએ જીવ ગુમાવી દીધો હતો..
આ બાબતને લઇને પોલીસ કેસ થયો હતો. પોલીસમાં ફરિયાદ નોંધાવનાર રમેશભાઈના ભત્રીજાની જણાવ્યું હતું કે રમેશભાઈ એ તેઓના જીવનની અંતિમ પળોમાં મને ફોન કર્યો હતો. અને જણાવ્યું હતું કે નીરવ આ મારા છેલ્લા રામ રામ છે તો પરિવારજનોએ પણ પોલીસને જણાવ્યું હતું કે, વ્યાજખોરો અવારનવાર રમેશભાઈ તેમજ તેમના દીકરા સતીશ ને ખુબ ત્રાસ પહોંચાડતા હતા.
વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઇને આપઘાત કરવાના કેસોમાં ખૂબ જ વધારો થયો છે. થોડા દિવસ પહેલા અમદાવાદમાં પણ આ પ્રકારનો જે કિસ્સો બન્યો હતો એ પહેલાં સુરતના કતારગામ વિસ્તારમાં પણ એક યુવકે વ્યાજખોર આના કારણે આપઘાત કરી લીધો હતો. તેમજ વડોદરામાં પણ એક વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવી દીધું હતું.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]