નાના બાળકોને દરેક ચીજ વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે, જ્યારે બાળક નાનો હોય ત્યારે તેના માતા પિતા અને તેના ઉછેર માટે અખંડ હાજર રહેવું પડતું હોય છે. જેમ જેમ બાળક મોટું થતું જાય તેમ તેમ તેના ખેલકૂદની સાથે સાથે તેના શિક્ષણ માટે પણ ખૂબ જ ધ્યાન આપવું પડે છે. આજકાલ બાળકોને માતા પિતાથી જુદા કરવા ખૂબ જ અઘરું કામ છે..
કારણ કે જ્યારે બાળક તેના માતા પિતાથી વીખોટો પડે ત્યારે તેની સાથે કેટલા અણબનવાને જોગ વધી જતા હોય છે. અને હવે તો શાળામાંથી પણ ન બનવાના બનાવો બનવા લાગ્યા છે. ખેડા નડિયાદના મહેમદાબાદ વિસ્તારમાં સેન્ટ જેવીયર સ્કૂલ આવેલી છે. આ શાળાના એક શિક્ષકની લંપટ લીલા સામે આવી છે..
જે સામે આવતાની સાથે જ વાલીઓએ ભારે હલ્લો મચાવી દીધો હતો. અને આ શિક્ષક સામે કાયદેસરના પગલાં ભરવા માટે જણાવ્યું હતું. મહેમદાવાદના ઘણા બધા વિદ્યાર્થીઓ સેન્ટ ઝેવિયર સ્કૂલ ની અંદર અભ્યાસ કરે છે. આ શાળામાં નડિયાદમાં રહેતો અને આ સ્કૂલની અંદર શિક્ષક તરીકે ફરજ બજાવતો એરીક ખ્રિસ્તી નામનો એક શિક્ષક વિદ્યાર્થીનીઓ સાથે ખૂબ જ મોટું કામ કરવા જઈ રહ્યો હતો..
આ શિક્ષક ધોરણ સાત થી લઇ ધોરણ 10 ની વિદ્યાર્થીઓને ભાવનગર ફરવા લઈ જવા માટે ફોસલાવી રહ્યો હતો. આ સાથે સાથે તે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, તેઓ પોતાના ઘરે કે શાળામાં અન્ય કોઈપણ વ્યક્તિને આ ફરવા લઈ જવાની વાત કરતા નહીં એવી સૂચના પણ આપી હતી.
આ શિક્ષકે ફરવા લઈ જવા માટે નીચે વાતો વિદ્યાર્થીનીઓને એક નોટબુકની પાછળ લખાવી હતી. આ નોટબુકનું લખાણ એક વિદ્યાર્થીને ના વાલીએ જોઈ લીધું હતું, તેને તેની બાળકીની પૂછયુ કે આ શા માટેનું લખાણ છે..? ત્યારે બાળકીએ જણાવ્યું કે, શાળામાં ભણાવતા એરિક સાથે તેમને ભાવનગર ફરવા માટે લઈ જવાના છે..
ઘરે કે શાળાએ કોઈપણ વ્યક્તિને કહેવાની ના પાડી હતી. આ લખાણ વાંચ્યા બાદ વિદ્યાર્થીનીના વાલી અન્ય વિદ્યાર્થીઓના વાલીને સંપર્ક કર્યો હતો અને સૌ કોઈ લોકો ભેગા થઈને શાળાએ પહોંચી ગયા હતા. જ્યારે તમામ વાલીઓ શાળાએ પહોંચીને રજૂઆત કરવા લાગ્યા ત્યારે શાળાના ફાધરે જણાવ્યું કે, એ શિક્ષક તમારી છોકરીને લઈને ભાગી તો નથી ગયોને આ શબ્દો સાંભળતા જ વાલીઓ ખૂબ જ ઉગ્ર થઈ ગયા હતા..
કારણ કે આ લંપટ શિક્ષક 10 જેટલી વિદ્યાર્થીઓને ભાવનગર એકાંતમાં ફરવા લઈ જવાનો હતો, જેમાંથી ચાર જેટલી વિદ્યાર્થીનીઓ તો ડરના કારણે આજે શાળાએ પણ આવી હતી નહીં. એટલું જ નહીં બે વર્ષ પહેલાં પણ એરીક નામના આ લંપટ શિક્ષકે એક વિદ્યાર્થીની ની છેડતી પણ કરી હતી..
પરંતુ એ સમયે આ મામલો દબાવી દેવામાં આવ્યો હતો. પરંતુ આ વખતે તો વાત ખૂબ જ વધી ગઈ હતી. એટલા માટે વાલીઓ શાળાએ રજૂઆત કરવા માટે ગયા હતા. અને ત્યાં યોગ્ય જવાબ મળ્યો હતો નહીં. એટલા માટે હવે વાલીઓ ફરિયાદ પણ નોંધવા જઈ રહ્યા છે. શાળાના અન્ય લોકોનું કહેવું છે કે, તેઓએ શિક્ષકને બોલાવીને માફી પત્ર લખાવ્યું છે..
અને તેને સસ્પેન્ડ પણ કરી દીધો છે. આ સાથે સાથે આ ઘટનાની જાણ કમિટીને પણ કરવામાં આવી છે. અને આગળનો નિર્ણય લેવામાં આવશે પરંતુ આ લંપટ શિક્ષકની ઠેકડી ઉતારવા માટે વાલીઓ પોલીસ ફરિયાદ નોંધાવવા માટે પહોંચી ગયા છે. અને મહેમદાવાદ પોલીસને અરજી પણ આપી છે.
આવા શિક્ષકથી દરેક વાલી એ પોતાના બાળકોને બચાવીને રાખવા જોઈએ આ શિક્ષક વિદ્યાર્થીઓને કહેતો કે નાસ્તો કે ટિફિન કે પાણી કોઈપણ વસ્તુ તમારે લાવવાનું નથી. આ સાથે તમારે ઘરેથી એક રૂપિયો પણ લાવવાનો નથી. બધુ જ ખર્ચ તે પોતાના માથે ઉપાડીને તેમને ભાવનગર ફરવા માટે લઈ જશે તેમ જણાવ્યું હતું. આવા શિક્ષકોની સાથે મુલાકાત કરતા પહેલા પણ દરેક વાલીએ જેથી જવું જોઈએ અને સત્ય શું છે તેની તપાસ કરવી જોઈએ.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]