દીકરીના પગલા ઘરમાં પડતા જ ઘરનો સમગ્ર માહોલ બદલાઈ જતો હોઈ છે. દીકરી તો વહાલનો દરિયો કહેવાઈ .. દીકરીના કોમળ પગલા ઘરમાં સારા સમયનું સુકન લઈને આવતા હોઈ છે. અત્યારના સમયમાં સૌ કોઈને દીકરીની આશા વધારે હોઈ છે. ભારત દેશમાં દીકરીઓ દરેક ક્ષેત્રે એક આગવી ઓળખ પ્રાપ્ત કરે છે અને દેશનું નામ રોશન કરે છે.
પહેલાના સમયમાં દીકરીને પેટમાં જ હટાવી દેવામાં આવતી હતી. આ બાબતે સરકારના કડક નિર્ણયો થતા આ તમામ વસ્તુઓમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે અને લોકો સમજવા લાગ્યા છે કે મારી 1 દીકરી 100 દીકરા બરાબર છે. દીકરીતો લક્ષ્મીનો અવતાર કેહવાય છે. સમાજમાં હવે લક્ષ્મી અને દેવીશક્તિ સમાન ગણાતી દીકરીઓ પ્રત્યે જૂની રૂઢીઓ અને માનસિકતામાં મોટો બદલાવ આવ્યો છે.
અત્યારે સમાજમાં દીકરીનો જન્મ થતા જ માતા-પિતા અને પરિવાર ખુબ જ આનંદથી ઉજવણીઓ કરે છે અને એક આગવો સંદેશો આપે છે કે દીકરીઓ કોઈનાથી કમ નથી. દીકરીનું પાલન-પોષણ ખુબ સારી રીતે કરવામાં આવે છે. આ વિચારધારા સમાજમાં એક નવો માર્ગ ચીંધે છે.
અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમા અસરાની પરિવાર ઘણા સમયથી વસવાટ કરે છે. તો હાટકેશ્વર વિસ્તારમાં વૃંદાવન એપાર્ટમેન્ટમાં રહે છે. હર્ષ અસરાની ઘણા સમયથી લગ્ન જીવનમાં જોડાઈ ગયા હતા પરતું તેમના ઘરે દીકરીનો જન્મ થતો નોહ્તો. પતિ પત્ની તેમજ પરિવારને એવી ઈચ્છા હતી કે અમારા ઘરે દીકરીનું પારણું બંધાય તો સારું…
આખરે 15 વર્ષ બાદ ભગવાને તેમની પ્રાથના સાંભળી લીધી છે અને હર્ષ અસરાની તેમજ તેની પત્નીને ઘરે દીકરીનો જન્મ થયો છે. દીકરીનો જન્મ થતા જ પરિવારમાં ખુબ આનંદ અને ઉત્સાહ છવાઈ ગયો હતો. દીકરીને હોસ્પિટલથી ઘરે લાવવા માટે તેઓએ ભવ્ય આયોજન ગોઠવ્યું હતું તે જોઈને સૌ કોઈ લોકોના દિલમાં દીકરી પ્રત્યેનો આદર ભાવ વધી ગયો છે…
પરિવારે સરકરી હોસ્પિટલથી તેઓના નિવાસ સ્થાન સુધી દીકરીને બેન્ડ વાજા વગાડીને બગીમાં બેસાડીને ઘરે લાવ્યા હતા. દીકરીનુ આ ભવ્ય સ્વાગત જોઈને જોનારા સૌ કોઈમાં આંનદ છવાઈ ગયો છે. બધા એક જ વાક્ય બોલી રહ્યા છે કે આ દીકરી ખુબ જ ભાગ્યશાળી હશે…
તે પરિવારનું નામ રોશન કરશે. બેન્ડ વાજા સાથે વાજતે ગાજતે દીકરીને ઘરે લાવતી સમયે રસ્તા પર ગુલાબના ફૂલથી પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. જે લોકો આજના સમયમાં દિકરીને પરિવારનો બોજો માનતા હતા, તેવા ભલભલા લોકોના મક્કમ દિલ પણ આ સ્વાગત જોઈને તૂટી ગયા છે…
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]