અત્યારના સમયમાં લગ્નની સીઝન ચાલી રહી છે. લોકોના ઘરોમાં લગ્નનો માહોલ રહેતા લોકો ખૂબ જ ખુશ જોવા મળે છે. હાલમાં લગ્ન થયેલા વર અને વહુ પોતાના લગ્નજીવનની નવી શરૂઆત કરે તે પહેલા જ તેમની સાથે એવી દર્દના ઘટના બની ગઈ કે જે જોઈને દરેક લોકોના કાળજા ધ્રુજી ગયા હતા.
આ ઘટના નાગૌરમાં રહેતા પરિવાર સાથે બની હતી. ફલોદી જોધપુરના રહેવાસી યુવક કિશોર માલીના લગ્ન કિરણ નામની યુવતી સાથે થયા હતા. કિશોરમાલીના લગ્ન 30 વર્ષની ઉંમરે નિમકથાના સિકરની રહેવાસી કિરણ સાથે પાંચ દિવસ પહેલા થયા હતા. કિરણની ઉમર 28 વર્ષની હતી. લગ્ન બાદ કિરણ પોતાના સાસરીયા સાથે ગઈ હતી.
કિરણ પોતાના લગ્ન પછી ખૂબ જ ખુશ હતી. તેમના હાથોમાં લગ્નની મહેંદી લાગેલી હતી અને લગ્નની વિધિઓ પૂરી થઈ જતા પાંચ દિવસ પછી કિરણ પોતાની પિયરમાં પગ ફેરા માટે ગઈ હતી. કિશોર કિરણને તેમના પિયર લીમડા મુકવા માટે ગયો હતો અને સાંજના સમયે બીજા દિવસે કિરણ કિશોર અને કિરણનો ભાઈ કૃષ્ણકુમાર તેમની ઉંમર 22 વર્ષની હતી.
તેઓ લીમડાથી નીકળ્યા હતા અને કિરણ REETની પરીક્ષા આપતી હોવાને કારણે તેની પરીક્ષા થોડા દિવસ પછી હતી. જેના કારણે કિરણની માતા કિરણ ઘરેથી નીકળતા ભાવુક બની ગઈ હતી અને રડવા લાગી હતી ત્યારે કિરણે કહ્યું હતું કે, હું ત્રણ દિવસ પછી ફરી પાછી આવું છું, મારે પરીક્ષા છે.
જેના કારણે કિરણ તેમના પતિ કિશોર અને ભાઈ સાથે સાસરીયે જવા માટે ફરી નીકળી હતી. કિશોર અને કિરણ લગ્ન પછી પ્રથમ વખત તેના પિયરએ વિધિની રસમ કરવા માટે આવ્યા હતા અને કિરણે તેના મિત્રો સાથે પણ ખૂબ જ આનંદથી વાતો કરી હતી. ત્યારબાદ બંને જણા નિમકથાણાથી ફલોદી જવા માટે નીકળ્યા હતા.
ત્યારે કિરણની માતા રડવા લાગી હતી. કિરણે તેમની માતાને ‘રડશો નહીં, હું ફરી પરીક્ષા આપવા ઘરે પરત આવવાની છું’ તેમ કહીને નીકળી ગઈ હતી. ઘરેથી નીકળી ગયા બાદ રસ્તામાં ડીડવાના રોડ પર આવેલી કલ્પના ચાવલા સ્કૂલ પાસે પહોંચતા સમયે અચાનક જ કિશોરની કાર બેકાબુ બની હતી.
જેના કારણે કિશોર અને કિરણ બંને ઇજાગ્રસ્ત થયા હતા આ અકસ્માત સર્જાતા જ કિરણનો ભાઈ પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. કારમાં રહેલી એરબેગ પણ ખુલી ગઈ હતી. છતાં પણ બંને ખૂબ જ ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત સર્જાતા તરત જ આસપાસના લોકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા.
અને ત્રણેય લોકોને જયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ ત્યાં લઈ જતા ડોક્ટરોએ કિશોર અને કિરણનું મૃત્યુ થઈ ગયું હોવાની જણાવ્યું હતું અને કૃષ્ણની હાલત ખૂબ જ નાજુક હતી. બંનેના મૃત્યુના સમાચાર સંબંધોને થતા જ પરિવાર પર આફત આવી પડી હતી અને પરિવારને ખબર ન હતી.
કે તેમની સાથે આવી ઘટના સર્જાઈ જશે. લગ્નના પાંચ દિવસ પછી નવી દુલ્હન અને દીકરાએ જીવ ગુમાવ્યા હોવાને કારણે પરિવારના લોકો ખૂબ જ રડી રહ્યા હતા. તે બંને પોતાના લગ્ન પછીની નવી જિંદગી શરૂ કરે તે પહેલા આજ તેમની જિંદગી પૂરી થઈ ગઈ હતી. પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને તમામ તપાસને હાથ ધરી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]