ગુજરાત રાજ્ય માં દિવસેને દિવસે અકસ્માતોમાં વધારો થઈ રહ્યો છે. ઘણા લોકો એક સ્થળેથી બીજા સ્થળે વહેલી તકે પહોંચવા ના ચક્કર માં અકસ્માત નો ભોગ બને છે ગુજરાતમાં આજે એક સાથે ત્રણ અકસ્માતો ના સમાચાર સામે આવ્યા છે.
ભાવનગર જિલ્લાના સોનગઢ પાલીતાણા હાઇવે પર એક ભયંકર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં બે લોકોના મૃત્યું થયા છે. એ પરિવાર ભાવનગરથી ફોરવ્હીલ માં મોખડકા જવા માટે નીકળ્યો હતો. પરંતુ જતા સમયે હાઈવે પર એક બાઇક સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નિપજ્યું હતું.
આ ઉપરાંત તે જ પરિવારના અન્ય પાંચ સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા આ અકસ્માતની જાણ થતા, પાલીતાણા સોનગઢ વિસ્તારમાં રહેતા લોકો અકસ્માતમાં ઈજા ગ્રસ્ત લોકોની મદદ કરવા માટે પહોંચી ચૂક્યા હતા. જ્યારે તેમાંના એક વ્યક્તિએ 108ને ફોન કરી દીધો હતો.
108 ઘટના સ્થળે પહોંચ્યા જ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. જ્યારે બે અગ્નિસંસ્કાર માટે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આવો જ એક અકસ્માત પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં સર્જાયો હતો.
સરસ્વતી તાલુકાના વાયડ અને મેલુસણ ગામ વચ્ચે એક રીક્ષા અને ધારી ટ્રક વચ્ચે અકસ્માત ની ઘટના બની હતી. અકસ્માતમાં રિક્ષામાં સવાર બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારે સ્થાનિકો દ્વારા 108ને બોલાવી ને ઈજા ગ્રસ્ત વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.
કેટલાક દિવસોથી અકસ્માતની સંખ્યા માં વધારો જોવા મળ્યો છે. રોજબરોજ અકસ્માતના કેટલાય સમાચારો સાંભળવા મળતા હોય છે એવામાં પાટણ અને ભાવનગર બાદ અમરેલી પાસે પણ એક અકસ્માત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગર જિલ્લાના ધારી તાલુકામાં હાઈવે પર સરકારી એસટી બસ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
કૃષ્ણનગર નજીક એક બસ અને કાર વચ્ચે ખુબ જ જોરદાર ની ટક્કર થઈ હતી આ ઘટનામાં કારમાં સવારી કરતા બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા પરંતુ તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા તેમને બચાવી લેવામાં આવ્યા હતા.
આ ઘટનાની વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું છે કે અકસ્માતનો ભોગ બનેલો આ પરિવાર કોઈ લગ્ન પ્રસંગ માટે જઈ રહ્યો હતો પરંતુ માર્ગમાં જ આ અકસ્માત સર્જાયો હતો
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]