તમે સાંભળ્યું જ હશે કે પતિ પત્નીઓ તેમની લગ્નની વર્ષગાંઠ દરમિયાન કોઈક ને કોઈક જગ્યાએ ફરવા જતા હોઈ અથવા તો એકબીજાને સરપ્રાઈસ આપીને ઉજવણી કરતા હોઈ છે. ત્યારબાદ એકબીજાને ગીફ્ટ આપીને ખુશ થતા હોઈ છે. હાલ અમદાવાદમાં એક પતિ પત્નીએ તમની લગ્નની એનીવર્સરી પર એવી ગીફ્ટ આપી છે કે તેઓ ચર્ચામાં આવી ગયા છે.
અમદાવાદની જીએલએસ કોલેજના પ્રોફેસર શિબાની રૉય અને તેમના પતિ મીત જૈન કે જેઓ સિંગર છે. તેઓની લગ્નની વર્ષગાંઠ દરમિયાન શિબાનીએ તેના પતિને ચંદ્ર પર જમીન ખરીદી આપી છે. તમે ચોંકી જશો કે ચંદ્ર પર જમીન ખરીદવા માટે કોણ ગયું હશે અને કેવી રીતે ખરીદી હશે.
પરતું અમે તમને જણાવી દઈએ કે શિબાની રોયએ ચન્દ્ર પરની જમીન પોતાના પતિના નામે રજિસ્ટર કરાવી દીધી છે. શિબાનીના પતિ ગુજરાતના જાણીતા સિંગર મીત જૈન છે. જેઓએ ખુબ સારા સારા ગુજરાતી સોંગ ગુજરાતી સિનેમાને આપ્યા છે. તેમજ ગુજરાતી ફિલ્મોની સાથે બોલિવૂડમાં પણ પોતાના અવાજ ડોલમડોલ કરી દીધું છે.
શિબાનીએ જણાવ્યું છે કે, ‘હું મારા પતિને મેરેજ એનિવર્સરી પર કંઈક યુનિક ગિફ્ટ આપવા માંગતી હતી ચંદ્ર સિમ્બોલ ઓફ લવ કહેવાય છે. આથી મેં ચંદ્ર પર પતિના નામે જમીન ખરીદી છે.’ પતિને યુનિક ગિફ્ટ આપી સપ્રાઇઝ આપવા માટે ચંદ્ર પર 1 એકર જમીન ખરીદી છે. ગઈકાલે મેરેજ એનિવર્સરીના દિવસે જ પ્રોફેસર શિબાની રૉય દ્વારા પતિને આ જમીનના એગ્રિમેન્ટ ગિફ્ટ કર્યા હતા.
ચંદ્ર પર જમીન તમારી છે તેવા પુરાવા રૂપે મળશે આ ડોક્યુમેન્ટ જેના નામે જમીન લીધી હોય તેમના નામે જમીન એગ્રીમેન્ટ બને છે. ‘ચંદ્ર પર જમીન લેવાની ઘટના થોડી રમૂજી છે. હું અને મારા પતિ અમદાવાદમાં એક પ્લોટ લેવાનું વિચારતા હતાં. અમે ઘણા પ્લોટ જોયા પણ. આ પછી મેં સોશિયલ મીડિયામાંથી માહિતી મેળવી કે શાહરુખ ખાનને તેના એક ફ્રેન્સ દ્વારા ચંદ્ર પર સાત એકર જમીન ગિફ્ટમાં આપવામાં આવી છે…
અને સુશાંતસિંહ રાજપૂતે પણ ચંદ્ર પર જમીન લીધી છે. ત્યાર બાદ મને વિચાર આવ્યો કે હું પણ પતિના નામે ચંદ્ર પર જમીન લઈને તેમને સપ્રાઇઝ આપું. ત્યાર બાદ થોડું સોશિયલ મીડિયામાં સર્ચ કરીને તેમના માટેનો ઓથેન્ટિક સોર્સ શોધી લીધો અને ફાઇનલી ચંદ્ર પર પતિના નામે એક એકર જમીન ખરીદી લીધી.’
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]