આજના સમયમાં લોકો પોતાના સ્વાર્થ માટે બીજા લોકો સાથે ઝઘડાઓ, મારામારીઓ અને ધમકી આપીને તેમના જીવ લઈ રહ્યા છે, આવી એક કરુણ ઘટના હાલમાં બની હતી, જે જાણીને દરેક લોકો ચોકી ગયા હતા. આ ઘટના કોતર પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં રહેતા પરિવાર સાથે બની હતી. પરિવારમાં પિતા-દિકરી અને તેમની બહેન રહેતી હતી.
દીકરીનું નામ મીના હતું. તેની માતાનું અવસાન ઘણા સમયે પહેલા થઈ ગયું હતું. જેના કારણે મીના તેના પિતા સાથે રહેતી બંને પિતા અને દીકરી તેમની મોટી બહેનના ઘરે રહેતા હતા. મીનાની લગ્ન કરવાની ઉંમર થઈ જતા મિનાના પિતા લલ્લુ પ્રસાદે મીનાનો સંબંધ બીજા ગામના યુવક સાથે કરાવ્યો .
પરંતુ મીનાને તેમના જ ગામનો એક યુવક ઘણા સમયથી હેરાન કરી રહ્યો હતો. મીનાએ આ વાત તેમના પિતા લલ્લુપ્રસાદને જણાવી હતી. પિતાએ તેમની દીકરીને ઘણીવાર સમજાવી અને તેમના જ ગામના યુવકને પણ સમજાવ્યો પરંતુ યુવક સમજી રહ્યો ન હતો અને મીનાને અવારનવાર તે હેરાન કરતો હતો.
મીનાની સગાઈ કર્યાની જાણ થતા ત્યારથી મીનાને ધમકીઓ આપીને તેને ડરાવતો, યુવકનું નામ જાનકી શરણ ત્રિવેદી હતું. જાનકી એ તેમના જ ગામમાં રહીને તેમની ગામની દીકરીને હેરાન કરતો હતો. જાનકી ધમકી આપીને મીનાને કહેતો હતો કે, ‘તું મારી સાથે લગ્ન નહીં કરે તો તને બીજા કોઈ સાથે રહેવા દેશે નહીં અને મીનાના ઘરને આગ લગાડી દેશે,..
મીનાના પરિવારના સભ્યોની મારી નાખીને તેમનો કોથળ ભરી નાખશે’ તેમ કહીને મીનાને ડરાવતો હતો. લગ્ન નક્કી થઈ ગયાને કારણે જાનકી શરણને મીનાને ખૂબ જ ધમકાવી હતી. જાનકીની માસી જનક દુલારીએ અને તેનો પિતરાઈ ભાઈ રોહિત તેની આ ધમકી આપવામાં મદદ કરતા હતા જેના કારણે જાનકી ઉશ્કેરાઈને મીનાને હેરાન કરતો હતો.
મીના ખૂબ જ કંટાળી ગઈ તેને વારંવાર તેના પિતાને આ વાતની ફરિયાદ કરી હતી જેના કારણે પિતાએ એક દિવસ જાનકીના ઘરે જઈને તેમના પિતાને જાન્કીને સમજાવવા માટે કહ્યું, ત્યારે યુવકના પિતાએ હાથ ઊંચા કરી દીધા હતા. મીનાના લગ્નના 16 દિવસની વાર હતી. લગ્ન માટે ઘરના તમામ સભ્યો ખૂબ જ ધૂમધામથી તૈયારી કરી રહ્યા હતા.
પરંતુ મીના ખૂબ જ કંટાળી ગઈ હતી અને તે ખૂબ જ ડરી રહી હતી જેના કારણે એક દિવસ તે પોતાના રૂમમાં ગઈ અને તેમણે પરિવાર શાંતિથી રહી શકે તે માટે ઝેરી દવા ગટગટાવીને ઢળી ગઈ હતી. ઘરના સભ્યોએ મીનાને આ હાલતમાં જોઈને તરત જ હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલ લઈ જઈને મીનાની સારવાર ચાલુ કરી દેવામાં આવી હતી.
પરંતુ બે દિવસ સારવાર બાદ મહિનાનું મૃત્યુ થઈ ગયું હતું. મીનાનું મૃત્યુ થઈ જતા તેના પિતા ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા. તેમણે પોલીસ સ્ટેશનમાં જાનકી શરણ અને તેમના પરિવારના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. આ લોકો મીનાને અવારનવાર હેરાન કરી રહ્યાના આરોપ લગાવ્યા અને પોલીસે તમામ તપાસને હાથ ધરી હતી અને આગળની તપાસ કરી રહ્યા હતા
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]