અમુક પરિવારમાં થતા ઝઘડાઓ અને મારામારી ખૂબ જ સામે આવી રહી છે. આજકાલ લોકો પોતાના જ પરિવારના લોકો સાથે વેર રાખીને ઝઘડાઓ કરી રહ્યા છે. અને હાલના સમયમાં તો લોકો ખૂબ જ ખરાબ રસ્તે દોરાઈ રહ્યા છે, તેઓ પોતાના અંગત સંબંધોને છોડીને બીજા લોકો સાથે સંબંધ બનાવી રહ્યા છે.
જેને કારણે પરિવારના સભ્યો અને તેમના બાળકોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના યુપીના સોનભદ્રના સદર કોતવાલી વિસ્તારમાં આવેલા એક ગામમાં બની હતી. ગામમાં એક પરિવાર રહેતું હતું. પરિવારમાં પતિ-પત્ની અને તેમના 3 સંતાનો રહેતા હતા.
પતિ સારી એવી નોકરી કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેમને સંતાનમાં ત્રણ બાળકો હતા. પત્ની તેમની સાથે ખૂબ જ સારો એવું પારિવારિક જીવન જીવી રહી હતી. પતિ-પત્નીના લગ્ન 10 વર્ષ પહેલાં થયા હતા. પત્ની ઘોરવાલ વિસ્તારમાં પોતાના પિયરના લોકો સાથે રહેતી હતી. લગ્ન બાદ તેમના પતિ સાથે રહેવા સાસરે આવી હતી.
અને તે બંનેને પારિવારિક જીવન દરમિયાન ત્રણ બાળકો પણ છે, પતિ-પત્ની વચ્ચે થોડા સમય ખૂબ જ સારું એવું ચાલ્યું હતું પરંતુ છેલ્લા એક વર્ષથી બંને વચ્ચે ખૂબ ઝઘડો ચાલતો હતો. બંને વચ્ચે મન ભેદ થતા હતા, જેના કારણે તેમના બાળકોને ઘણું બધું સહન કરવું પડતું હતું. પત્નીને ઘરમાં જીવ રહ્યો ન હતો. તે પોતાના બાળકોનું પણ સારું ધ્યાન રાખતી ન હતી.
જેના કારણે તેના પતિને શંકા ગઈ હતી. બીજા કોઈ યુવક સાથે અફેર હોવાની જાણ થઈ હતી. જેના કારણે પતિએ આ બધું છોડી દેવા માટે તેમની પત્નીને કહ્યું હતું પરંતુ પત્ની સમજી ન હતી અને તે પોતાના બોયફ્રેન્ડ સાથે એક કલાકો સુધી ફોન પર વાત કરતી હતી અને ઘરનું કામકાજ કરી રહી ન હતી. તેમની સાસુ સાથે પણ તે અવારનવાર ઝઘડો કરતી હતી.
જેના કારણે ઝઘડાઓ વધી જતા તેમની પત્ની બીજું એક ભાડાનું ઘર રાખીને તેમાં એકલી રહેતી હતી. અને તેના બાળકો તેના પિતા સાથે રહેતા હતા. પિતા અને દાદી સાથે રહીને બાળકો પોતાનું જીવન જીવતા હતા. એક દિવસ પત્ની ઘરે આવી હતી અને તે બીજા કોઈ યુવકોને સાથે લઈને આવી હતી. ઘરે આવીને તેણે દાગીના રોકડા અને અન્ય વસ્તુઓ લઈ જવા લાગી હતી.
તે સમયે પતિએ તેને અટકાવી હતી. અટકાવતા જ તેની સાથે આવેલા અન્ય યુવકોએ તેના પતિને માર માર્યો હતો. જેના કારણે કંટાળી ગયેલા પતિને ખૂબ જ માઠું લાગી ગયું હતું અને તેણે જંતુ મારવાની ઝેરી દવા આપી લીધી હતી અને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. તેઓએ પોતાના રૂમમાં આ ઘટના કરી હોવાને કારણે બાળકોને લાગ્યું કે પિતા સૂઈ રહ્યા છે.
બાળકોએ પિતાને ઉઠાડ્યા નહોતા પરંતુ તેના દાદીએ પિતાને ઉઠાડતા જોયું તો તે જાગયા ન હતા અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા તે સમયે તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા દાદી પણ આ આઘાત સહન કરી ન શક્યા હતા. જેના કારણે તેને પણ પિતાની સાથે આ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બંને માતા દીકરાનું મૃત્યુ થઈ ગયું હતું.
પિતાએ એક અંતિમ નોટ લખી હતી. જેમાં તેમની પત્નીના બીજા કોઈ યુવક સાથે ગેરકાયદેસર સંબંધ હોવાના તેણે જણાવ્યું હતું અને તેમના દીકરાઓનું પણ અન્ય લોકોને ધ્યાન રાખવા માટે જવાબદારી આપી હતી અને તેની મિલકત તેના નાના ભાઈને સોંપી દેવા માટેનું કહ્યું હતું.
અને તેમના દીકરાઓની પણ સારસંભાળ રાખવા માટે તેને જણાવ્યું હતું. આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે. પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેના કારણે પોલીસે તપાસ હાથ ધરીને પત્નીની કડક પૂછપરછ કરી રહી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]