આપણી સાથે જીવન જીવતા કેટલાક લોકો આપણાથી ઘણી બધી વાતોને છુપાવતા હોય છે, અમુક વાતો તો એવી હોય છે, જેના વિશે અને જ્યારે પાછળથી ખબર પડે ત્યારે આપણે પણ ખૂબ જ મોટી મૂંઝવણમાં મુકાઈ જતા હોઈએ છીએ કે, આ વ્યક્તિને આપણે ખૂબ જ સારો સમજ્યો હતો..
પરંતુ એ જ વ્યક્તિની કરતુતો ખૂબ જ ખરાબ હોવાને કારણે હવે આપણે તેની સાથે રહેવાનું પણ બંધ કરી દેતા હોઈએ છીએ, અત્યારે એક નફરાળા પતિને એવી કાળી કરતુતો સામે આવી ગઈ હતી કે, જેને જોઈ ભલભલા લોકોના મોતિયા મરી ગયા હતા. આ બનાવો હનીપાર્ક વિસ્તારનો છે, અહીં વિનોદ નામનો યુવકો તેના પરિવાર સાથે રહે છે..
વિનોદ બિલ્ડરના વ્યવસાય સાથે જોડાયેલો હોવાથી તે અવારનવાર ઘરેથી નીકળી જઈને લાંબા સમય સુધી વિદેશમાં રહેતો હતો, તે ઘરે તેના માતા પિતા અને તેની પત્ની અને તેના બાળકોને કહીને નીકળતો કે તે બિલ્ડરના વ્યવસાય અંતર્ગત મહિનાઓ સુધી વિદેશમાં કામકાજ માટે જઈ રહ્યો છે..
પરંતુ હકીકતમાં તે કોઈ પણ કામકાજ માટે વિદેશ જઈ રહ્યો હતો નહીં, તે અન્ય શહેરમાં જુદી-જુદી જગ્યાએ તેની અન્ય ત્રણ પત્નીઓની સાથે આખો દિવસ સમય વિતાવીને ઐયાસી કરતો હતો. તે જે શહેરમાં રહેતો હતો, ત્યાંથી 200 કિલોમીટર દૂર આવેલા અન્ય એક શહેરની અંદર શહેરના જુદા-જુદા ત્રણ વિસ્તારની અંદર તેના ત્રણ ફ્લેટ હતા..
આ ફ્લેટમાં તે તેની ત્રણેય જુદી-જુદી પત્નીઓને રાખીને વારાફરતી દરેકની સાથે ઐયાશી કરવા માટે પહોંચી જતો હતો, એક દિવસ તેની સાથે એવી ઘટના ઘટી ગઈ કે તેના બાપદાદાની ભેગી કરેલી તમામ સંપત્તિ પણ જતી રહી હતી, વિનોદના પિતા પ્રતાપભાઈ પહેલેથી જ ખૂબ જ પૈસાદાર વ્યક્તિ હતા એટલા માટે તેઓએ વિનોદ ને ક્યારે પૈસા કમાવવા માટે અને મહેનત મથામણ કરવા માટે જણાવ્યું નહીં..
વિનોદ પોતાની રીતે મન ફાવે તેવા કામ ધંધાઓ પણ કરવા લાગ્યો હતો અને પૈસાની પણ વેડફાઈ કરતો હતો, છતાં પણ પ્રતાપભાઈ તેના દીકરાની એક પણ વાર સમજાવાની કોશિશ કરી નહીં અને આ જ કારણોસર આજે વિનોદ બગડીને બેહાલ થઈ ગયો હતો. તેની પત્નીએ તેમજ તેના બંને બાળકોને પણ તે દગો આપીને અન્ય ત્રણ પત્નીઓ રાખીને તેની સાથે મોજ મજા કરતો હતો..
આ તમામ બાબતોથી વિનોદની પત્ની વનિતા અને તેના બંને બાળકો તેમજ તેના માતા પિતા પણ અજાણ હતા, એક દિવસ વિનોદની પત્ની વનિતાએ વિનોદને ફોન કર્યો હતો કે, તમે ક્યાં છો અને શું કરી રહ્યા છો, એ વખતે થોડી ઘણી વાતચીત કર્યા બાદ વિનોદ એ પોતાનો ફોન કટ કર્યા વગર જ પોતાની પાસે મૂકી દીધો હતો અને આ ચાલુ ફોન દરમિયાન વનીતા એ અન્ય કોઈ મહિલાનો અવાજ પણ સાંભળી લીધો હતો..
તેની સાથે વિનોદ પ્રેમભરી હરકત કરતો હતો, આ તમામ વાતો વનિતાએ સાંભળી લીધી હતી. વનિતા અને તેના પતિ ઉપર ખૂબ જ શંકા જવા લાગી હતી, જ્યારે વિનોદ બે મહિના બાદ તેના ઘરે પરત આવ્યો ત્યારે વનિતાએ ચોરી છુપાઈને તેના પતિના ફોનની અંદર પાડવામાં આવેલા ફોટોસને જોયા હતા..
આ ફોટોસને જોતા જ વનિતા ચક્કર ખાઈને નીચે ઢળી પડી કારણ કે, જુદી-જુદી ત્રણ મહિલાઓ સાથે વિનોદ રોજબરોજ ઘણું બધું જીવન જીવતો હતો. તેની સાથે અંગત પળો વિતાવતા ફોટા પણ વનીતાએ જોઈ લીધા હતા અને વિનોદનો પરદાફાશ સૌ કોઈ લોકોની સામે તે કરવા માંગતી હતી..
તેણે આ ફોટોને જોયા બાદ વિનોદ ઉપર રેખી કરવાનું શરૂ કરી દીધું હતું, વિનોદ જ્યારે ઘરથી બહાર નીકળ્યો અને કહેવા લાગ્યો કે, તે હવે વિદેશ જઈ રહ્યો છે. ત્યારે વનિતાને લાગ્યું કે, નક્કી તે પરિવારના દરેક સભ્યોને જૂઠું બોલીને અન્ય કોઈ જગ્યાએ ઐયાશી કરવા માટે જાય છે. એટલા માટે તે વિનોદની પાછળ પાછળ જવા લાગી અને જોયું તો વિનોદ ત્રણ દિવસ સુધી રોજબરોજ જુદી-જુદી મહિલા સાથે પોતાના જુદા જુદા ફ્લેટમાં રહીને ઐયાશી કરતો હતો..
આ તમામ ફ્લેટ ઉપર જઈને વનિતા એ પુરાવા એકઠા કરી લીધા હતા અને ત્યારબાદ વિનોદના માતા-પિતાને પણ જણાવી દીધા કે, તમારો દીકરો હકીકતમાં કોઈ બિલ્ડરના વ્યવસાય સાથે જોડાયેલો નથી. તે અન્ય શહેરમાં ઘણી બધી મહિલાઓને ફસાવી રહ્યો છે, જ્યારે આ ભાંડો ફૂટી ગયો ત્યારે બીજી બાજુ વિનોદની ઐયાશીની જિંદગી ઉપર પણ કાળ ત્રાટકી ગયો હતો..
કારણ કે, તે જે ત્રણ મહિલાઓ સાથે રહેતો હતો. આ ત્રણેય મહિલાઓ એકબીજાને ઓળખતી હતી, અને તેઓએ વિનોદને ફસાવવાનું કાવતરું રચી નાખ્યું હતું. તેણે વિનોદ પાસેથી અમુક પ્રોપર્ટી ઉપર સહી કરાવી લીધી હતી અને આ પ્રોપર્ટીને ઝડપી લીધી હતી, જ્યારે વિનોદને ખબર પડી કે તેના બાપની ભેગી કરેલી તમામ સંપત્તિ આ ત્રણેય મહિલાઓએ પોતપોતાના નામ ઉપર કરી લીધી છે..
ત્યારે તેને ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો હતો, તો બીજી બાજુ તેનું લગ્નજીવન પણ ભાગી ગયું હતું. પોતાનું લગ્ન જીવન મૂકીને અન્ય વ્યક્તિઓ સાથે મોજ મજા કરવી એ બિલકુલ ખોટી બાબત છે. તેની સજા વિનોદને તાત્કાલિક ધોરણે મળી ગઈ હતી..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]