જે વ્યક્તિ પોતાના જ મા-બાપને માન સન્માન કે આદર ન આપી શકે તે વ્યક્તિ જીવનમાં ક્યારે પણ સુખી થતા નથી કારણ કે, માતા પિતા તરફથી મળેલા આશીર્વાદના કારણે તેમના બાળકો જીવનમાં હંમેશા ઉતરોતર પ્રગતિ કરતા હોય છે, પરંતુ અત્યારના સમયમાં કેટલાક જુવાન ઉંમરના યુવક યુવતીઓ પોતાના જ માતા પિતાને માન સન્માન આપવાને બદલે તેમની હંમેશા નિરાશ કરી દેતા હોય છે..
આવા કેટ કેટલાય બનાવો રોજબરોજો સમાજમાંથી સામે આવી રહ્યા છે, અને અત્યારે વધુ એક એવો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેના કારણે દરેક માતા-પિતાની આંખો ઉઘડી ગઈ છે, મા બાપે નાનપણથી જ પોતાના દીકરા કે દીકરીને સારા સંસ્કાર આપીને મોટા કર્યા હોય એ દીકરા કે દીકરી કોઈ ખરાબ સંગત ની અંદર જોડાઈ જવાને કારણે માતા-પિતાના સંસ્કારોને ભૂલી જઈ એવા કારનામાં કરી બેસે છે..
જેના કારણે મા-બાપને મોઢું સંતાડવાનો વારો પણ આવી જતો હોય છે, અત્યારે અમીદીપ રો હાઉસમાં રહેતા અને પ્રફુલભાઈ નામના યુવકના ઘરે ખૂબ જ મોટો હોબાળો મચી જવા પામ્યો હતો. પ્રફુલભાઈ કાપડના ખૂબ જ મોટા વેપારી છે અને પોતાના વૈભવશાળી બંગલામાં તેઓ જીવન વિતાવતા હતા..
પરિવારમાં તેમની પત્ની જ્યોતિબેન તેમનો દીકરો પ્રદીપ અને તેમની લાડકવાઈ દીકરી રીંકલ નો સમાવેશ થતો હતો, પ્રદીપ ના લગ્ન થઈ ચૂક્યા હતા. જ્યારે રીંકલનો કોલેજનો અભ્યાસ ચાલતો હતો, રીંકલની ઉંમર લગ્નની થઈ જવાને કારણે પ્રફુલભાઈ તેમની દીકરી માટે વેવિશાળ શોધવાનું શરૂ કરી દીધું હતું..
અને સારો મુરતિયો જોઈ તેમની સાથે તેમની દીકરીને પરણાવવાની વાતચીત પણ તેઓએ ઘણા બધા સગા સંબંધીઓ અને વ્યવસાયિક મિત્રોને જણાવી દીધી હતી, પરંતુ રીંકલે એવું પગલું ભરી લીધું હતું કે તેના માતા પિતાની ઈજ્જતના કાંકરા થઈ જવા પામ્યા હતા. રીંકલ તેના માતા પિતાને કશું કહ્યું નહીં..
અને એક દિવસ સવારના સમયે પોતાના ઘરેથી ગાયબ થઈ ચૂકી હતી, રાતના સમયે પોતાના રૂમમાં સુવા માટે ગઈ અને સવારે જોયું તો રીંકલ તેના રૂમમાં ન હોવાને કારણે જ્યોતિબેન તેની દીકરીની શોધખોળ કરવામાં લાગી ગયા હતા, સવાર સવારના સમયમાં ઘરના તમામ લોકો રીંકલની શોધખોળ કરતા હતા..
રીંકલનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો, જ્યારે વધુ તપાસ મેળવી તો ખબર પડી કે તેમના સોસાયટીમાં રહેતો રાજ નામનો યુવક પણ પોતાના ઘરેથી ગાયબ છે. જ્યારે રાજના અન્ય મિત્રોની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમાંથી એક મિત્રએ જણાવ્યું કે, રાજ અને રીંકલ બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા..
અને તેમનો પ્રેમ પ્રકરણ હવે લગ્નજીવનમાં શક્ય બની શકે તેમ ન હોવાને કારણે તેઓ તેમનું ઘર મૂકીને ભાગી ગયા છે, અને તેઓ એકબીજા સાથે પ્રેમ લગ્ન કરવાની પણ શરૂ કરી લીધી છે. આ શબ્દો જ્યારે પ્રફુલભાઈએ સાંભળયા ત્યારે તેમના જ તેઓના તો હોશ ઉડી ગયા અને જ્યોતિબેનને તો ચક્કર આવી ગયા હતા કે, તેમની દીકરીએ ખૂબ જ ખરાબ પગલું ભરી નાખ્યું છે..
આ ઘટનાના સમાચાર દરેક લોકો પ્રફુલભાઈને ફોન કરીને આ ઘટનાની જાણકારી આપી રહ્યા હતા, પ્રફુલભાઈએ પોતાના વ્યવસાયમાં ખૂબ જ મોટું નામ કમાયું હતું અને ઘણા રૂપિયા કમાયા હતા, આ તમામ બનાવેલી ઈજ્જત ઉપર તેમની લાડકવાઈ દીકરીએ પાણી ફેરવી દીધું હતું..
પ્રફુલભાઈને જ્યોતિબેનને તો પોતાની લાડકવાયી દીકરીના કાળા કારનામાને કારણે સમાજમાં મોઢું નીચે કરીને ચાલવાનો વારો આવ્યો હતો કારણ કે, પ્રફુલભાઈએ તેમના સમાજના ઘણા બધા યુવક યુવતીઓને પ્રેમ પ્રકરણના આવા કાળા કારનામાવો ન કરવા માટે સચેત કર્યા હતા અને તેમની જ દીકરીએ ભાગીને પ્રેમ લગ્ન કરવાની તૈયારીઓ શરૂ કરી દેતા..
દરેક લોકો ચર્ચા વિચારણા કરવા લાગ્યા હતા, આ કિસ્સાએ દરેક માતા-પિતાની આંખો ઉઘાડી નાખી છે. આવનારો સમય કેવો સાબિત થશે તેના અમુક અણસાર તો અત્યારથી જવા લાગ્યા છે. એ જોતા જો માતા-પિતા સચેત ન થયા અને પોતાના બાળકોનું ધ્યાન ન રાખ્યું તો પરિણામ ખૂબ જ ભયંકર આવવાની પણ શક્યતા રહેલી છે..
આ પ્રકારના ઘણા બધા કિસ્સા પાછળના સમયમાં પણ સામે આવી ચૂક્યા હતા. જ્યારે જ્યારે આપણે આવા બનાવ સાંભળીએ છીએ ત્યારે ત્યારે આપણે વિચારવા મુકાઈ જતા હોઈએ છીએ કે, બિચારા મા બાપ ઉપર આવા સમયે શું વીતી હશે કે જ્યારે તેમના દીકરા કે દીકરી તેમને દગો આપીને ઘર મૂકીને ભાગી જતા હોય છે..
મા-બાપને સમાજના લોકો તરફથી ઘણા બધા કડવા વેણ વચનો પણ સાંભળવા પડે છે, આવા બનાવો ન બને એટલા માટે દરેક જુવાન ઉંમરના યુવક યુવતી હોય એ પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ ઘટનાને લઈને ચારેકોર ચકચાર મચી જવા પામ્યો હતો..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]