ક્યારે કોની સાથે કઈ ઘટના બની જાય છે તે કહી શકાતું નથી. ઘરેથી ખુશી અને હસતા હસતા બહાર નીકળી રહેલા લોકો સાથે અચાનક જ શું બની જાય છે તે કહી શકાતું નથી. એક ભાઈ અને બહેનનો સંબંધ ખૂબ જ અમૂલ્ય રહેલો છે પરંતુ હાલમાં એક એવી ઘટના બની હતી. જે જોઈને દરેક લોકો રડવા લાગ્યા હતા.
આ ઘટના કરનારમાં આવેલા શિવકોલોની શાસ્ત્રીનગરમાં રહેતા પરિવારના દીકરા સાથે બની હતી. પરિવારમાં માતા-પિતા અને તેમનો દીકરો રહેતા હતા. દીકરાથી નાની એક બહેન હતી. પરિવારમાં રહેતા પિતાનું નામ મહેન્દ્રભાઈ છે. તેઓ પોતાના દીકરા જીતેન્દ્ર સાથે ખૂબ જ હળી મળીને રહેતા હતા. જીતેન્દ્રની ઉંમર 24 વર્ષની હતી.
જિતેન્દ્રથી એક નાની બહેન હતી. બહેનનો જન્મદિવસ હતો. જેના કારણે બહેનને તેમના ભાઈએ ખુશ કરવા માટે ઘણા બધા પ્રોમિસ કર્યા હતા. બહેન સવારે ઉઠતા તેમના ભાઈ પાસે પોતાના પ્રોમિસ માંગી રહી હતી. તે સમયે જીતેન્દ્રએ કહ્યું હતું કે, તે હમણાં બજારમાં જશે અને તેમના માટે ઘણી બધી મીઠાઈ અને કેક લઈને આવશે તેમ કહ્યું.
જીતેન્દ્ર પેઇન્ટર તરીકે કામ કરતો હતો અને તે પોતાની જિંદગીમાં ખૂબ જ ખુશ હતો. તે દરેક લોકો સાથે હળીમળીને રહેતો હતો અને તેને કોઈની સાથે ક્યારેય દુશ્મનાવટ થઈ ન હતી. જીતેન્દ્ર શાસ્ત્રીનગરમાંથી નીકળીને બજારમાં પોતાના બહેનના જન્મદિવસ હોવાને કારણે મીઠાઈ લેવા માટે દુકાને ગયો હતો. તેમણે કેક પણ લીધી હતી.
કેક લઈને મીઠાઈની દુકાને જઈ રહ્યો હતો. તે સમયે અચાનક જ શેરીમાં તેના પર અજાણ્યા યુવકોએ હુમલો કર્યો હતો. આ યુવકોને જીતેન્દ્ર ઓળખતો ન હતો પરંતુ અજાણ્યા યુવકો તેના પર ધારદાર હથિયાર લઈને તૂટી પડ્યા હતા અને ઉપરાપર મારવા લાગ્યા હતા. જેના કારણે જીતેન્દ્ર લોહી લુહાણ હાલતમાં નીચે પડી ગયો હતો.
અને તેમના હાથમાં રહેલી કેક તેમજ મીઠાઈ રસ્તા પણ ઢોળાઈ ગઈ હતી અને લોહી લુહાણ હાલતમાં જીતેન્દ્ર બેભાન અવસ્થામાં થઈ ગયો હતો. તરત જ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને આ હુમલાખોરો ભાગી ગયા હતા. જેના કારણે તરત રામનગર પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. જીતેન્દ્રને પણ કરનારની જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
પરંતુ ત્યાં ડોક્ટરોએ જિતેન્દ્રનું મૃત્યુ થઈ ગયું છે તેમ જણાવ્યું હતું. પોલીસે જીતેન્દ્રના પરિવારના લોકોને આ ઘટનાની જાણ કરી હતી. એક બહેન પોતાના ભાઈ હમણાં કેક લઈને આવશે તેમ રાહ જોઈ રહી હતી પરંતુ બહેનને તેમના ભાઈના દુઃખદ સમાચાર મળતા તે ખૂબ જ રડી રહી હતી અને પરિવારના લોકો પણ પોતાનું ભાન ભૂલી બેઠા હતા.
જીતેન્દ્રના મૃત્યુની જાણ થતાં જ પરિવાર આઘાતમાં રડી રહ્યો હતો. તેમના એકના એક દીકરાને તેમણે ગુમાવ્યો હોવાને કારણે તેઓ આઘાત સહન કરી શક્યા નહીં અને પોલીસને પણ આ અજાણ્યા યુવકો જેણે હુમલો કર્યો છે તેમ તેના પર કડક કાર્યવાહી થાય તે માટે પોલીસને અપીલ કરી હતી. શાસ્ત્રીનગરમાં આ વાતની જાણ થતા જ વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું…
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]