જીવનમાં ડગલેને પગલે ખૂબ જ સાવચેતી રાખવી પડે છે. સાવચેતી દાખવીને જો જીવન જીવવામાં આવે તો ઓછી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે, પરંતુ જો મન ફાવે તેવી રીતે પોતાના જીવન અને સ્વાસ્થ્યનું ધ્યાન ન રાખવામાં આવે અને ગમે તેવી જિંદગી જીવવામાં આવે તો કોઈક વખત મોતનો સામનો કરવાનો વારો પણ આવી પડતો હોય છે..
અત્યારે હરિયાણાના પાણીપતમાંથી એક એવી ઘટના સામે આવી છે કે, જે ઘટના જાણીને તમારા મોઢામાંથી પણ ચીસો નીકળી જશે તો આ ઘટના હરિયાણાના પાણીપતના સેક્ટર 11 અને 12ની છે. અહીં સનાતન ધર્મ ટ્રસ્ટની એસડીવીએમ શાળા આવેલી છે. આ શાળાની અંદર અંકિત ગુપ્તા લેબ એટેન્ડન્ટ તરીકે કામ કરતો હતો..
અંકિત સાથે શાળાની લિફ્ટની અંદર એવી ઘટના બની છે કે, તેને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. એટલું જ નહીં પરંતુ તેને ખૂબ જ દર્દનાક મોતનો સામનો કરવો પડ્યો છે. એક દિવસ અચાનક જ અંકિતની બહેન મનીષા ઉપર શાળાના એડમીનિસ્ટર માંથી ફોન આવ્યો હતો કે, અંકિત લીફ્ટની અંદર ફસાઈ ગયો છે..
અંકિતની બહેન મનીષા તેની બીજી બહેન અને જીજાજી સાથે શાળાએ પહોંચી હતી. પરંતુ શાળાના મેનેજમેન્ટના અધિકારીઓ તેમજ પ્રિન્સિપાલ પણ આ ઘટનાને લઇ કોઈ પણ જાણકારી આપી નહીં, આ ઉપરાંત તેઓ આ ઘટનામાં ઇન્વોલ પણ થવા માંગતા હતા નહીં. જ્યારે મનીષા એ તપાસ મેળવી તો ખબર પડી કે, તેનો ભાઈ બીજા માળની લિફ્ટના ગેટની અંદર ફસાઈ ગયો છે..
ત્યારે તેણે મેનેજમેન્ટની સામે હાથ જોડીને કહ્યું કે, તમે તરત જ લિફ્ટના મિકેનિકને બોલાવી લ્યો અને મારા ભાઈને બચાવી લો પરંતુ કોઈ પણ વ્યક્તિ તેમની આ વાતો ઉપર ધ્યાન આપવા માટે તૈયાર હતું નહીં. અંકિતની બહેન અને અંકિતના જીજાજીએ ઘણી બધી રજૂઆત કરી ત્યારે શાળાના મેનેજમેન્ટ આ લિફ્ટને સરખી કરવા માટે દિલ્હીથી ટેકનિશિયનને બોલાવી લીધા હતા..
ટેકનીશીયન ઘણા લાંબા સમય પછી ત્યાં આવ્યા અને તેઓએ ગેસ કટરથી લિફ્ટના દરવાજાને તોડી નાખ્યા હતા. ત્યારબાદ અંદર જઈને જોયું તો અંકિતનું મૃત્યુ થઈ ગયું હતું. અંદર ફસાઈ જવાને કારણે તેનો મૃત્યુ થયા હોવાની આશંકા દેખાઈ આવી છે. તાબડતો અંકિતની લાખની બહાર કાઢવામાં આવી હતી..
અને તેને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ત્યાંના સ્થાનિક પોલીસ અધિકારીઓએ મોકલી આપી છે. અંકિતના પરિવાર જાણવાનું કહેવું છે કે, તેના ભાઈનું આ આકસ્મિક મોત થયું નથી, પરંતુ કોઈ વ્યક્તિએ તેને જાણી જોઈને મોતને ઘાટ ઉતારવા માટે આ કાવતરું રચી હોય તેવું લાગી રહ્યું છે..
આ મામલે જરૂરી તપાસ મેળવે રહી છે. અંકિતના પરિવારજનો એ જણાવ્યું કે માત્ર થોડા દિવસ પહેલા જ અંકિતના લગ્ન મીનાક્ષી નામની મહિલા સાથે થયા હતા. અંકિત અને તેનો ભાઈ અમિત બંને જુડવા ભાઈઓ છે. અને મનીષા સહિત તેને અન્ય ત્રણ બહેનો પણ છે. આગળ પણ એક શાળામાં કંઈ કામ પ્રકારની ઘટના બની હતી કે, જેમાં શાળાની સ્કૂલની અંદર વાલી ફસાઈ જવાને કારણે અનુભવાયો અને શ્વાસ ન લઈ શકવાને કારણે તેમનું મૃત્યુ થઈ ગયું હતું..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]