હાલ નાની બાબતોને લઈને પણ નાના મોટા ઝઘડો થઈ જતા હોય છે. આવા ઝગડાઓ ક્યારેક અન્ય કોઇ વ્યક્તિનો જીવ પણ લઈ લેતા હોય છે. ગુજરાતમાં રોજ એવી ઘણી બધી હત્યાના બનાવો સામે આવતા હોય છે. જેમાંથી વધુ એક હત્યાનો બનાવ ગાંધીનગર જિલ્લામાંથી સામે આવતાની સાથે જ તંત્ર સફાળું બેઠું થઈ ગયું છે…
હકીકતમાં ગાંધીનગરની લો યુનિવર્સિટી પાસેના રોડ પર ચાની લારી ચલાવતા વડીલની કરપીણ હત્યા કરવામાં આવી છે. યુનિવર્સિટી રોડ ઉપર કમુ વણઝારાની મહિલા ચાની લારી ચલાવે છે. તેની સાથે સાથે છોટાઉદેપુર જિલ્લાના ચિછોડા ગામમાં રહેતા સુખરામ રાઠવા નામના વડીલ પણ છેલ્લા ઘણા સમયથી સાથે રહીને ચાની લારીમાં મદદ કરે છે..
આ સાથે સાથે સુખરામ રાઠવા એક કન્સ્ટ્રકશન સાઇટ પર મજૂરી કામ કરવા માટે પણ જાય છે. આમ તે પોતાનું જીવન તેમના સાથીદાર કમુબેન વણજારા નામની મહિલા સાથે ગુજારે છે. સુખરામ રાઠવા રોજ એ વિસ્તારમાં ચાલતી કન્સ્ટ્રકશન સાઈટમાં મજુરી માટે જાય છે. સાંજે તે મજૂરી કરીને પરત આવ્યા બાદ ચાની લારી પર કમુબેનને મદદ કરે છે.
ત્યારબાદ તેઓ ભોજન લઈને ચાની લારીની પાસે જ ખાટલામાં સુઈ જાય છે. એક દિવસ કમુબહેન અને સુખરામ બંને ચાની લારી પાસેના ખાટલામાં સુઈ રહ્યા હતા. એ સમય દરમ્યાન અજાણી વ્યક્તિ ચાની લારી પાસે આવી પહોંચી હતી. અને વડીલના માથા પર ખૂબ જ ઊંડા ઘા મારીને સુખરામની હત્યા કરવામાં આવી હતી..
એ દિવસની રાત સુખરામ માટે મોસમ સાબિત થઇ હતી. જ્યારે સવારમાં કન્સ્ટ્રકશન સાઇટ પર કામ કરતા મજૂરો ચાની લારી પર ચા પીવા માટે આવ્યા હતા. એ સમય દરમ્યાન તેઓએ જોયું કે ખાટલામાં સુખરામ સૂતેલો છે. તેઓએ નજીક જઈને જગાડવાની કોશિશ કરી તો જોયું કે સુખરામને માથામાં ખૂબ જ ઊંડા ઘા માર્યા હતા..
અને તેને આમાંથી મોટા ભાગનું લોહી વહી ચૂકયું હતું. તેમજ સુખરામ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો. આ બાબતને લઈને સૌ કોઈ મજૂર લોકો ગભરાઇ ગયા હતા. તાત્કાલિક ધોરણે તેઓએ પોલીસ વિભાગમાં આ ઘટનાની જાણ કરી દેતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો..
આસપાસના વિસ્તારમાં કામ કરતા લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. તો જણાયું કે અમુક વણઝારા અને મૃતક સુખરામ રાઠવા બંને સાથે રહેતા હતા. પરંતુ સુખરામની હત્યા બાદ વણઝારાનો કોઈ પણ અતો પત્તો મળ્યો નથી. એટલા માટે પોલીસનો સીધો શક કમુ વણઝારા નામની મહિલા પર જવાનો સામે આવ્યું છે.
હાલ પોલીસે આ ઘટનાને લઇને ફિંગર પ્રિન્ટ તેમજને બોલાવીને આગળની તપાસ હાથ ધરી છે. તો બીજી બાજુ જુદી-જુદી ટીમો બનાવીને ભાગી ગયેલી મહિલાનું વણઝારાની શોધખોળ કરવાની શરૂ કરી દીધી છે. તેમજ સુખરામ રાઠવાની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે.. સુખરામે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે સુખમય રીતે ગાઢ નિંદ્રામાં લેવાતી ઊંઘ તેમની આ છેલ્લી ઊંઘ બનશે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]