દરરોજ આસપાસના વિસ્તારોમાંથી એવા ચોંકાવનારા કિસ્સાઓ બનતા સામે આવી રહ્યા છે, જે સાંભળતાની સાથે જ મગજ ફરવા લાગે છે, ઘરેથી કામે જવા માટે નીકળેલા લોકો સાથે અચાનક જ શું બની જાય છે, તે કહી શકાતું નથી. હાલમાં આવો એક કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના જયપુરમાં દયાનંદનગર ફર્સ્ટ ઝાલાના ડુંગરી વિસ્તારમાં રહેતા યુવક સાથે બની છે.
યુવકનું નામ રાકેશ કુમાર બૈરવા છે અને તેમના પિતાનું નામ ઘાસીરામ બૈરવા છે. રાકેશ કુમારની ઉંમર 36 વર્ષની હતી અને રાકેશ કુમારને તેનાથી નાનો અશોકકુમાર બૈરવા નામનો ભાઈ છે. રાકેશકુમાર બિલ્ડીંગના કોન્ટ્રાક્ટર હતા. તેઓ લોકોના ઘર તેમજ બીજી મિલકતોના કામો લીધા હતા. ત્રીજા જગતપુરામાં રહેતા બુદ્ધિપ્રકાશ મર્યાના ઘરે કામ કરવાનો કોન્ટ્રાક્ટ લીધો હતો.
જેના કારણે રાકેશકુમાર પોતાના મજૂરો સાથે અહીં કામ કરવા માટે જતા હતા. જેના કારણે એક દિવસ તેઓ સવારના સમયે ઘરેથી શિવ બિહાર જગતપુરામાં કામ કરવા માટે નીકળ્યા હતા. તેમના મજૂરો દ્વારા તેમણે દરેક કામ કરાવ્યું હતું. ત્યારબાદ ત્યાં કામ પતાવીને સાંજના સાડા છ વાગ્યાના સમયે તેઓ ઘરે પરત આવવા માટે નીકળી ગયા હતા.
રાકેશકુમાર અને તેમની પત્ની શીલાબેનને ફોન કર્યો હતો. તે સમયે રાકેશ કુમારએ જણાવ્યું હતું કે, 15 મિનિટ પછી તેઓ ઘરે પહોંચી રહ્યા છે, હાલના તેઓ રસ્તામાં છે, જેના કારણે તેમની પત્નીએ ફોન મૂકી દીધો હતો. ત્યારબાદ તેઓ ઘરે જવાના રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. સાઈટ પરથી તે પોતાની બાઇક લઈને ઘરે જઈ રહ્યા હતા.
લગભગ એક કલાક પછી પણ તેઓ ઘરે પહોંચ્યા નહી, જેના કારણે તેમની પત્ની રાકેશકુમારની રાહ જોઈ રહી હતી. છતાં રાકેશ કુમાર ઘરે પહોંચ્યા નહીં જેના કારણે પત્નીએ તરત જ તેમના દિયરને આ વાતની જાણ કરી હતી. અશોકકુમાર ભાઈનો સંપર્ક કરી રહ્યા હતા. તેઓ વારંવાર ફોન કરી રહ્યા હતા પરંતુ ફોન બંધ આવતો હતો.
તેમણે અનેક પ્રયાસો કર્યા હતા. પરંતુ રાકેશ કુમારનો કોઈ સંપર્ક થઈ રહ્યો ન હતો. તેમના સગા સંબંધીઓના ઘરે પણ ફોન કરવામાં આવ્યા હતા. પરિવારના લોકોને લાગ્યું કે કદાચ તેઓ સગા સબંધીઓના ઘરે ગયા હશે પરંતુ તેમના ઘરેથી પણ રાકેશ કુમાર મળ્યા નહીં ત્યારબાદ અશોકકુમાર રાકેશકુમારની સાઈડ પર પહોંચી ગયા હતા.
તે સમયે તેમને જાણવા મળ્યું હતું કે, તેઓ ઘણા સમય પહેલા પોતાની બાઈક લઈને નીકળી ગયા હતા. પરિવારના લોકોએ ચિંતામાં આવીને ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ તેઓની કોઈપણ જગ્યાએથી ખબર મળી નહીં ત્યારબાદ અચાનક એક દિવસ રામનગર યાત્રાપુરામાં આવેલા શિશીવાસ ગામમાં ઘણા સમયથી એક કુવો રહેલો છે.
કુવો 100 ફૂટ જેટલો ઊંડો છે, અચાનક જ ગામના લોકોને એક દિવસ સવારના સમયે કુવામાંથી ખૂબ જ ખરાબ દુર્ગંધ આવી જેના કારણે ગામના લોકો મોઢે હાથ રાખીને ગામના કૂવામાં જોવા માટે પહોંચી ગયા હતા. મોટી સંખ્યામાં ગામના લોકો ભેગા થઈ ગયા હતા. દરેક લોકોએ કુવામાં એવું જોયું કે જોતાની સાથે દરેક લોકો હચમચી ઉઠ્યા હતા.
દરેક લોકોને કુવામાં એવું જોવા મળ્યું કે, એક બાઈક તરતી દેખાઈ હતી અને સાથે જ એક વ્યક્તિનો તરતો મૃતદેહ પણ દેખાયો હતો. જેના કારણે તરત જ રામનગરી પોલીસને આ વાતની જાણ કરવામાં આવી હતી. પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને કુવામાં રહેલા મૃતદેહને તેમજ બાઈકની બહાર કાઢવામાં આવી હતી.
પોલીસે એક કલાકની મહેનત બાદ કૂવામાંથી બાઈક અને યુવકના મૃતદેહને બહાર કાઢ્યું હતું. યુવકના મૃતદેહને બહાર કાઢતા જ પોલીસને મૃતદેહ રાકેશ કુમારનો હોવાની જાણ થઈ હતી. 11 દિવસ પહેલા રાકેશ કુમારને કોઈએ કુવામાં ફેંકી દીધા હતા. અને સાથે જ સબૂતને નાબૂદ કરવા માટે બાઈકને પણ કુવામાં ફેંકી દેવામાં આવી હતી.
પરિવારના લોકોને આ વાતની જાણ થતા તેઓ રડી પડ્યા હતા અને સાથે જ રાકેશ કુમારને કોઈએ પતાવી દીધા છે. જેના કારણે પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. રાકેશ કુમાર બુટ, મોબાઈલ અને બાઈકના ટુલબોક્સમાં રાખેલા દસ્તાવેજો ગાયબ થયેલા જોવા મળ્યા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]