આજકાલ નાની નાની બાબતો પર એકબીજાના જીવ લઈ લેવા સાવ આસન વાત બની હોઈ એવું લાગે છે કારણકે લોકો કોઇપણ પ્રકારની શેહ શરમને બાજુમાં મૂકીને મન ફાવે તેવું વર્તન કરતા હોઈ છે. હાલ એવા કેટલાય કિસ્સાઓ નજરમાં આવતા હોઈ છે કે જેમાં સાવ નાની બાબતને મોટા વિકરાળ જગડાનું સ્વરૂપ આપીને પછી એકબીજાનો જીવ લઈ લેતા હોઈ છે..
અત્યારે આવો જ એક કિસ્સો ભાવનગર જિલ્લામાં પણ સામે આવ્યો છે. ભાવનગર જીલ્લાના પાલીતાણા ખાતે સોમવારે સાંજના સમયે બે પાડોશી વચ્ચે થયેલા ઝઘડામાં પાડોશીએ બાજુએમાં રહેતી મહિલાનો જીવ જતો રહ્યો છે.. પાડોશી સાથે નાના નાના ઝગડાઓ તો થતા હોઈ છે..
પરંતુ આ ઝગડા એક દિવસ કોઈકના જીવ લેશે એવું તો કોણે વિચાર્યું હશે. હકીકતમાં પાલીતાણાના શક્તિનગર વિસ્તારમાં નીતાબહેન અને જેન્તીભાઈનો પરિવાર વસવાટ કરે છે. નીતાબેન સરવૈયા થોડા દિવસ પહેલા જ ઘરે એક પાલતું કુતરો લાવ્યા હતા. નીતાબહેન અને તેમનો પરિવાર પ્રાણીઓ પ્રત્યે ખુબ પ્રેમભાવ રાખતો હતો..
તેઓની આ વાત તેમના જ પડોશમાં રેહતા લોકોને પસંદ નોહતી તેથી તેઓ અવાર નવાર નીતા બહેન સાથે ઝગડો કરતા હતા. નીતા બહેને તેમના કુતરાનું નામ સોનું રાખ્યું હતું અને સંજોગો વસાત તેમના પડોશમાં રેહતા યુવકની નામ પણ સોનું જ નીકળ્યું..
બસ આ જ વાતને લઈને તેમની સાથે ઝગડો થયો હતો. જેન્તીભાઈ ધંધાર્થે ગયા હતા એ વખતે પડોશમાં રેહતા 5 લોકો લડાઈ ઝગડો કરતા કરતા તેમના ઘરે ઘુસી આવ્યા હતા. અને તેમના 6 વર્ષના પુત્રની નજર સામે જ નીતા બહેનને સળગાવી દેતા ભારે ચકચાર મચી ગઈ છે. જો કે હાલ આ મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મહિલાના પતિએ પાડોશમાં રહેતા 5 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. જો કે હાલ મહિલાની સ્થિતિ ગંભીર છે. ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ મહિલાએ તેમની બાજુમાં રહેતા 5 લોકો સામે નામ જોગ ફરિયાદ કરી હતી.
પોલીસે ફરિયાયાદ નોંધીને આરોપીઓ સામે શોધખોળ શરૂ કરી છે. પોલીસે મહિલાની ફરિયાદના આધારે 3 પુરુષ અને 2 મહિલાની શોધખોળ શરૂ કરી છે. તેમને તાત્કાલિક ભાવનગરની એક હોસ્પિટમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પોલીસ દોડી આવી હતી અને ફરિયાદ લઇ તપાસ હાથ ધરી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]