નાના છોકરાઓ જે પણ ચીજ વસ્તુને જુએ છે. તે ચીજ વસ્તુને ખરીદીને તેને ખાવાની જીદ કરતા હોય છે. તેના માતા-પિતા તેમને લાડપ્રેમથી સમજાવે ત્યારબાદ અમુક બાળકો સમજી જાય છે. તો અમુક બાળકો પોતાની જીદ ઉપર એટલા બધા અડગ રહે છે કે, અંતે તેના માતા પિતાને પણ તેની જીદ સામે ઝુકવું પડે છે..
અને તેને તે ચીજ વસ્તુ લઈ દેવી પડતી હોય છે. અત્યારે કંઈક આવા પ્રકારની જ એક જીદ દેરાણીના નાના દીકરાએ કરી હતી. પરંતુ તેની સાથે રહેલી જેઠાણીએ આ જીદને પૂરી કરવાની બદલે નાનકડા દીકરાને ઢોર મારવાનો શરૂ કરી દીધું અને માર મારીને અધમુઓ કરી નાખ્યો હતો. આ ઘટના સિલ્વર વેલી એપાર્ટમેન્ટની છે..
આ એપાર્ટમેન્ટના ત્રીજા માળે ધનસુખભાઈ તેના નાનાભાઈ રામજીભાઈ સાથે સંયુક્ત કુટુંબમાં રહે છે. ધનસુખભાઈ અને રામજીભાઈ બંને એક જ સાથે બિઝનેસ ચલાવે છે. અને બંનેમાં ક્યારેય પણ કોઈ વાતને લઈને વાત વિવાદ થતું નહીં, પરંતુ બંને ભાઈઓની પત્ની વારંવાર લડાઈ ઝઘડો કરવા લાગતી હતી..
એક દિવસ ધનસુખભાઈની પત્ની તેની દેરાણીના સાત વર્ષના દીકરા અર્જુનને સાથે લઈને શાક માર્કેટમાં શાક લેવા માટે ગઈ હતી. ત્યારે અર્જુને દુકાન ઉપર લટકતા કુરકુરિયા જોઈને તેને ખાવાની જીદ કરી હતી અને કહ્યું કે, મારે કુરકુરિયા ખાવા છે. પરંતુ ધનસુખભાઈની પત્ની રમીલાએ અર્જુનને કુરકુરીયા લઈ આપવાની ચોખ્ખી મનાઈ ફરમાવી દીધી હતી..
અને ચૂપચાપ તેની સાથે સાથે ચાલવા માટે જણાવ્યું હતું. પરંતુ અર્જુન જોરજોરથી રડવા લાગ્યો અને કહ્યું કે જ્યાં સુધી તમે મને કુરકુરીયા લઈ નહીં આપો ત્યાં સુધી હું અહીંયા થી આગળ ચાલવાનો નથી. બસ આ શબ્દો સાંભળતાની સાથે જ જેઠાણી રમીલા આટલી બધી ગુસ્સે ભરાઈ ગઈ હતી કે તે તેની દેરાણીના દીકરા અર્જુનને ઢોર મારવા લાગી હતી અને માર મારીને તેને અધમુઓ કરી નાખ્યો હતો..
કમનસીબે એ વિસ્તારની અંદર અન્ય કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી અર્જુનને વધારે માર સહન કરવો પડ્યો હતો. જ્યારે રમીલા અને અર્જુન શાકમાર્કેટથી શાક લઈને ઘરે પરત આવી ગયા ત્યારે અર્જુને તેની માતાને જણાવ્યું કે તેના મોટા મમ્મીએ તેને ઢોર માર્યો છે. અને કુરકુરીયા લઈ આપવાની ના પાડી હતી.
એવામાં તેણે ઢીકે ને પાટે તેને જુડી નાખ્યો હતો. આ શબ્દો સાંભળતાની સાથે જ દેરાણી અને જેઠાણી વચ્ચે મહા સંગ્રામ જામી ગયો હતો, અને બંને એકબીજા સાથે એવી લડાઈ કરવા લાગ્યા કે, જાણે જન્મો જનમના દુશ્મન એકબીજા સાથે લડાઈ ઝઘડો કરતા હોય. જેઠાણી રમીલા તેની દેરાણી ના દીકરાને વારંવાર કહેતી કે તારા કારણે જ ઘરની અંદર લડાઈ ઝઘડા થઈ રહ્યા છે..
એમ કહીને તે દેરાણીની નજર સામે જ અર્જુનને માર મારવા લાગી હતી. આ ઝઘડાની અંદર અર્જુનને માથાના ભાગ એવો ઘા વાગી ગયો હતો કે તેને તરત જ લોહી નીકળવા લાગ્યું હતું. છતાં પણ આ બંને વ્યક્તિમાંથી કોઈ એક વ્યક્તિએ ઝઘડો અટકાવવાનું નામ લીધું નહીં અને પોત પોતાની વાતો ઝઘડાના સ્વરૂપે બહાર કાઢવા લાગ્યા હતા..
જ્યારે પેલો દીકરો બિચારો પીડાઈ રહ્યો હતો અને ધીમે-ધીમે તેને ચક્કર આવવા લાગ્યા અને તે નીચે ઢળી પડ્યો હતો. કારણ કે તેના શરીરમાંથી ઘણું બધું લોહી વહી ગયું હતું. તરત જ પડોશીઓને ખબર પડી ત્યારે તેઓ તેને હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં ડોક્ટરે જણાવ્યું કે જો આ દીકરાને લાવવામાં થોડુંક મોડું થઈ જતો કદાચ આજે તેનો જીવ પણ જતો રહ્યો હોત..
જ્યારે સાંજના સમયે ધનસુખભાઈ અને રામજીભાઈ બંને પોતાના બિઝનેસથી ઘરે પરત આવ્યા ત્યારે તેઓને ખબર પડી કે દેરાણી અને જેઠાણી બંને લડાઈ લડ્યા છે. જેમાં બિચારો અર્જુન હોમાયો છે, અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે તેઓએ પોતપોતાની પત્નીઓને સમજાવી દીધી હતી કે, જો તમારે રહેવું હોય તો તમે રાજી ખુશીથી રહી શકો છો..
નહીં તો તમે તમારા પિયરમાં ચાલ્યા જજો, પણ અમારા બંને ભાઈઓનો પરિવાર પહેલાં પણ ભેગો જ હતો અને આવનારા સમયની અંદર પણ ભેગો જ રહેવાનો છે. કારણ કે અમારા ધંધા અને વ્યાપાર પણ ભેગા ચાલે છે. અમારા બંને ભાઈઓના મનને તમે ક્યારેય પણ જુદા કરી શકશો નહીં…
તમારે રાજી ખુશીથી જીવવું હોય તો પણ ભલે અને ઝઘડા કરીને રહેવું હોય તો પણ ભલે.. તમારા ઉપર આવનારા સમયની બધી જ મુશ્કેલીઓ આવવાની છે. એટલા માટે હવે તમારે નક્કી કરવાનું છે, જ્યારે બંને ભાઈઓએ પોતપોતાની પત્નીઓને આ બાબત સમજાવી દીધી ત્યારે બંનેને ભાન થઈ હતી કે જો તેઓ સાથે રહેશે તો જ તેમના માટે આગળ જતા ફાયદો છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]