બે વ્યક્તિઓ વચ્ચે થયેલી વાતચીત ત્રીજા વ્યક્તિને કેવી આજકાલ સામાન્ય બની ગયું છે. કોઈપણ વ્યક્તિ પર વિશ્વાસ મૂકીને કરેલી વાતો તે અન્ય કોઈ વ્યક્તિ ને જરૂર જણાવી દેશે તો હોય છે. અત્યારે અન્ય વ્યક્તિ દ્વારા કિધેલી વાતોને વધુ ધ્યાનમાં લેવામાં આવે છે. ઘરના ભાઈ ઘરના કોઇ સભ્ય દ્વારા કહેલી વાતો કરતાં બહારના વ્યક્તિ દ્વારા કહેલી વાતો પર લોકોને વધારે વિશ્વાસ આવે છે…
સુરત ખાતેથી હત્યાની એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેના વિશે સાંભળીને તમે પણ વિચારમાં મુકાઇ જશો… સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા હળપતિવાસમાં 22 વર્ષીય આરતી પટેલ અને તેનો પતી સૂરજ રહેતા હતા. આરતીએ સુરજ સાથે ભાગીને લગ્ન કર્યા હતા.
તેઓના લગ્નજીવનના 6 વર્ષ વીતી ચુક્યા બાદ અચાનક જ પતિ સુરજ આરતીની હાલ ચાલ પર શંકા કરવા લાગ્યો કે નક્કી તેને કોઈ અન્ય વ્યક્તિ સાથે અફેર છે. તે આરતી ઉપર ખુબ જ શંકા કરતો હતો. અને પાછળના 15 દિવસથી તો તે દરરોજ આ બાબતને લઈને આરતી સાથે ઝગડો કરતો હતો અને તેને મારતો હતો.
આરતી આ બાબતથી કંટાળી ગઈ હતી પરંતુ તે લાચાર બનીને બધું સહન કરી રહી હતી. એક દિવસ ફરીવાર બંનેનો ઝગડો થયો તેમાં તેના વહેમીલા સ્વભાવના પતિએ આરતીને માથાના ભાગમા કૂકર મારયુ હતું, કુકર માથામાં વાગતા તરત જ તે જમીન પર લો.હી લુ.હાણ થઈને ઢળી પડી હતી અને મોતને ભેટી થઈ ગઈ હતી.
આ હુમલો કર્યા બાદ પતિ જ પોતાની પત્નીને સારવાર માટે લઇ ગયો હતો. પતિ તેની પત્ની આરતીનો જીવ બચાવવમાં સફળ થયો નોહ્તો. હોસ્પિટલના સ્ટાફને તપાસમાં મહિલાની ઈજા પર શંકા જતા તેમણે તરત જ આ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે મૃતક મહિલા આરતીના ભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી હત્યારા પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હોસ્પિટલના સ્ટાફને ઈજાના નિશાન પરથી શંકા જતા પોલીસને જાણ કરી હતી. આ સમગ્ર ઘટનામાં પત્નીનું મોત નીપજ્યું હતું. પીએમ રિપોર્ટમાં હત્યાની પુષ્ટિ થઈ હતી. જેમાં માથામાં કૂકર મારવાને કારણે બ્રેઇન હેમરેજ થતા મોત થયું હતું. પોલીસે પતિની પૂછપરછ કરી જેમાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો.
જેમાં આપો ખોઈ બેસતા પતિએ પત્નીને માથામાં કૂકર મારી દીધું હતું. અમરોલી પોલીસે મૃતક મહિલાના ભાઈ સુરેશ રાઠોડની ફરિયાદ લીધી છે. જેના આધારે પોલીસે પતિ સુરજ સંતોષ પટેલની સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]