આજકાલ ઓનલાઇન ખરીદી નો દોર ચાલી રહ્યો છે લોકો દુકાને જઈને ખરીદી કરવા કરતા ઘરે બેઠા જ ઓનલાઇન ખરીદી કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે. લોકો વસ્તુ ની મૂળ કિંમત કરતાં પણ થોડા વધારે પૈસા આપીને ઓનલાઇન ખરીદી કરી રહયા છે. નાગપુરના જ્ઞાનેશ્વર વિસ્તાર માં રહેતા સુનિલે થોડાક દિવસ પહેલા ઓનલાઇન કેટલોક સામાન મંગાવ્યો હતો..
સામાન મંગાવ્યાના બે દિવસો બાદ બોકસ જયારે સુનીલ ના ઘરે પહોંચ્યો ત્યારે જે થયું તે જોઈને સુનિલ તેમજ તેના પરિવારજનો પણ આશ્ચર્ય ચકિત થઈ ગયા. સુનિલ લખેટ ની પુત્રી બેંગ્લોરમાં નોકરી કરી રહી હતી પરંતુ કોરોના કાળ દરમ્યાન તેની પુત્રીનું વર્ક ફ્રોમ હોમ ચાલી રહ્યું હતું..
તેથી તે સુનીલ ના ઘરે રહીને જ પોતાનું કામ ફરી રહી હતી. તેથી સુનિલ લખે તે પોતાની પુત્રી નો બધો જ સામાન્ય બેંગ્લોરથી નાગપુર મંગાવી લીધો હતો. બેંગ્લોર થી નાગપુર ટ્રાન્સફર કરવા માટે એક કુરિયર કંપનીને જાણ કરી હતી. આ કુરીયર કંપનીએ સામાન્ય અલગ અલગ બોક્સ તૈયાર કરીને સુનીલ ના ઘરે પહોંચાડ્યા હતા..
પરંતુ જ્યારે આ બધું જ સામાન્ય સુનીલ ના ઘરે પહોંચ્યો ત્યારે તેમણે વસ્તુઓનું એક બોક્સ ખોલ્યું ત્યારે તેમાં એક ઝેરી કોબ્રા સાપ નીકળ્યો. આ સાપ જ્યારે બોક્સમાંથી બહાર આવ્યો ત્યારે તે સરકતો સરકતો પોતાના માર્ગમાં આગળ વધી ગયો. પરંતુ સુનીલના હદયમાં આ સાપ નો ડર વધી ગયો હતો.
પરંતુ સાથે સુનિલને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યું ન હતું. ગુજરાતી મા કહેવત છે કે જો તમે સાપને નો છેડો તો સાપ પણ તમને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડતો નથી. સુનિલ એ પણ સાપને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યા વગર તેને જવા દીધો જેથી સાપે પણ સુનિલને કોઈ પણ નુકસાન પહોંચાડ્યું નહીં..
ત્યારબાદ સુનિલે પોતાના એક સાપ પકડનાર મિત્રને ફોન કર્યો સુનીલના મિત્ર સુનીલ ના ઘરે આવ્યા બાદ સાપ પકડવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તે મિત્રોને સાપ મળ્યો નહીં. મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે સામાન ના બોક્સમાં એક કાણું હતું જેમાંથી સાપ બહાર આવ્યો હતો.
તેથી અનુમાન લગાવવામાં આવે છે કે સાપ આ જ છિદ્ર દ્વારા બોક્સમાં પ્રવેશ કર્યો હશે આ ઘટના બાદ સુનીલ અને તેના પરિવારના દરેક સભ્ય ના હૃદયમાં એક પ્રકારનો ડર બેસી ગયો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]