આધુનિક સમયમાં બાળકો સાથે આકસ્મિક ઘટનાઓ બનતા બાળકો મૃત્યુના ભોગ બની રહ્યા છે. બાળકો સાથે અણસમજને કારણે ઘણી બધી દુર્ઘટના સર્જાઈ રહી હોય છે. માતા-પિતાનું ધ્યાન ન રહેતા બાળકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આવી જ એક માસુમ બાળકી સાથે ગંભીર ઘટના બની હોવાનું સામે આવ્યું હતું. બાળકી પોતાનો જીવ ગુમાવી રહી હતી.
આ ઘટનામાં એક માસુમ બાળકીને મૂંગા જીવને કારણે પોતાનો જીવ ગુમાવો પડ્યો હતો. આ ઘટના જંજીર-ચાંપા વિસ્તારમાં બની હતી. આ વિસ્તારમાં આવેલા ભેસોન ગામમાં બની હતી. ભેસોન ગામમાં એક પરિવાર રહેતું હતું. પરિવારમાં પતિ-પત્ની અને તેમની દીકરી રહેતા હતા. પિતાનું નામ ભુપેન્દ્ર શાહુ હતું. દીકરીનું નામ સંગીતા ભુપેન્દ્ર શાહુ હતું.
સંગીતાની ઉંમર 7 વર્ષની હતી. સંગીતા તેમની ઘરની આસપાસ દરરોજ તેના મિત્રો સાથે રમતી હતી અને દરરોજની જેમ તે ઘટના બની તે દિવસે પણ પોતાના મિત્રો સાથે રમી રહી હતી. રમવા માટે છુપાછુપી રમી રહ્યા હતા. તે સમયે સંગીતા પોતાના ઘરમાં કોઠારમાં સંતાવા માટે ગઈ હતી. તે સમયે કોઠારમાં સાપ ફરી રહ્યો હતો. આ સાપ ઝેરી હતો.
પરિવારના સભ્યોને આ ઘટનાની જાણ ન હતી. સંગીતા કોઠારમાં સંતાઈ હતી. ત્યાં આ ઝેરી સાપ હતો. તેને કારણે સંગીતાને ઝેરી સાપે ડંખ મારી દીધો હતો. ડંખ મારતાની સાથે સંગીતાને ડંખ માર્યાની જગ્યા પર ખૂબ જ બળતું હતું. તેને કારણે સંગીતાએ તેના માતા-પિતાને આ ઘટનાની જાણ કરી હતી. તરત જ માતા પિતા સંગીતાને સારવાર માટે લઇ ગયા હતા.
પામગઢ સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા. પરંતુ પહોંચવામાં સમય લાગી જતા સંગીતાનો સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું હતું. તેને કારણે ડોક્ટરોએ સંગીતાને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ પામગઢ પોલીસને કરવામાં આવી હતી. તેને કારણે પોલીસે પંચનામું તૈયાર કરીને પોસ્ટમોર્ટમ માટે સંગીતાના મૃતદેહને લઈ જવામાં આવ્યો હતો.
ત્યારબાદ તપાસ કરી સંગીતાના મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો. પરિવાર દીકરીના મૃત્યુથી આઘાતમાં આવી ગયું હતું. આવી ઘટના બની જતા એક 7 વર્ષની માસુમ બાળકીનું મોત થઈ ગયું હતું. આજકાલ બાળકો સાથે ઝેરી જીવને કારણે મૃત્યુ થઈ જતા પરિવારજનો આઘાતમાં આવી જાય છે. માતા-પિતાએ પોતાના બાળકોનો ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ અને માતા-પિતાનું ધ્યાન ન રહેતા બાળકો સાથે આવી ગંભીર દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]