ક્યારે કોની સાથે કઈ ઘટના બની જાય તે કહી શકાતું નથી. આવી અણધારી ઘટનાઓ આજકાલ બનતી હોવાને કારણે પરિવારના લોકો તેમના અંગત વ્યક્તિઓને ગુમાવી રહ્યા છે. આપણો દેશ એક ખેતીપ્રધાન દેશ છે જેમાં ખેડૂતો રાત દિવસ ખેત મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.
આવી જ એક ઘટના ખેડૂત સાથે બની હતી. આ ઘટના માવાસાના ચાંપાનેરી ગામના રહેવાસી પરિવારના ખેડૂત યુવક સાથે બની હતી. ખેડૂત યુવકનું નામ માનસિંહ હતું. તેમની ઉંમર 46 વર્ષની હતી. તેઓ ગામમાં રહીને તેમના ખેતરમાં વાવણી કરતા હતા. સારા એવા પાકની વાવણી કરીને તેઓ નીપજ લેતા હતા.
અને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. માનસિંહને સંતાનમાં બે દીકરા હતા. તેઓ પરિવારમાં પત્ની બંને દીકરા અને તેમના માતા-પિતા સાથે રહેતા હતા. ખેડૂત ચાર ભાઈઓમાં બીજા નંબરે હતા. તેઓ પરિવાર સાથે ખૂબ જ ખુશીથી રહેતા હતા અને તેમના પરિવારને દરેક જરૂરિયાત તેઓ પૂરી કરતા હતા.
ખેતી કામ કરતા હોવાને કારણે તેઓ ખેતરે પણ કામ કરવા માટે જતા હતા. તે સમયે તેની સાથે કરુણ ઘટના બની જતા પરિવારજનો આઘાતમાં આવી ગયા હતા. એક દિવસ ખેડૂત માનસિંહ તેમના ખેતરમાં ખેતીનું કામ થતું હોવાને કારણે ગયા હતા અને તેઓ પોતાની જમીનમાં પાણી આપવાની હોવાને કારણે ખેતરમાં રહેલા કુવા પાસેની મોટર ચાલુ કરવા માટે ગયા હતા.
અને તેઓ મોટર ચાલુ કરવા ગયા તે સમયે અચાનક જ તેમને વીજ કરંટ લાગ્યો હતો. કરંટ ખૂબ જ વધારે લાગવાથી તેના ઝટકાને કારણે તેઓ ઉછળીને થોડા દૂર પડ્યા હતા અને તેઓ બેભાન થઈ ગયા હતા. જેને કારણે ખેતરની આસપાસથી પસાર થતા લોકોએ માનસિહને પોતાના જ ખેતરમાં બેભાન હાલતમાં જોયા હતા.
જેના કારણે લોકોએ તરત જ તેમના પરિવારજનોને આ વાતની જાણ કરી હતી. જેને કારણે પરિવારના સભ્યો અને માનસિંહના ભાઈઓ ખેતરે આવ્યા હતા અને તેમને કોટા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. માનસિંહની હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. માનસીનું અચાનક આવું કરુણ મૃત્યુ થઈ જતા પરિવારજનો આઘાત સહન ન કરી શક્યા.
એક ખેડૂતનું આવું દર્દનાક મૃત્યુ થઈ જતાં પરિવારજનો અને ગામના લોકોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. નિસ્વાર્થ ભાવે તેઓ કામ કરતા હોવા છતાં તેમની સાથે આવી ઘટના બની જેના કારણે પરિવારના લોકો આ વાત ભૂલી શકતા ન હતા. આજકાલ આવી અણધારી ઘટનાઓ ખૂબ જ સામે આવી રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]