ગામડામાં રહીને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો હંમેશા શાંતિથી જીવન જીવે છે, પરંતુ અત્યારે એક ખેડૂતોના જીવનમાં શાંતિ ડહોળાઈ ગઈ હતી. તેઓ સવારના સમયે ચાલતા ચાલતા તેમના ખેતરે જવા માટે નીકળી ગયા હતા અને રસ્તે જ તેમની સાથે એવી ઘટના બની ગઈ કે તેમને દોટ મૂકીને પોતાને ઘરે પરત આવી જવું પડ્યું હતું..
આ ઘટના વિશે જ્યારે સમગ્ર ગામના લોકોને વાત ખબર પડી ત્યારે તેમના પણ હોશ છૂટી ગયા હતા, આ બનાવ ખીમજીભાઈ નામના ખેડૂત સાથે બન્યો છે. સીતાપુર ગામની અંદર રહેતા ખીમજીભાઇ નામના ખેડૂતનું ખેતર તેમના ગામની સીમા આવેલી નહેરના બીજા કાંઠે આવેલું છે..
આ નહેર ઉપર ચાલતા ચાલતા તેઓ તેમના ખેતરે જવા માટે નીકળ્યા હતા અને ત્યાં કામકાજ પૂર્ણ કરીને તેઓ રાતના સમયે તેમના ઘરે પરત ફરતા હતા. જ્યારે તેઓ નહેર પાસે ચાલતા હતા ત્યારે નહેરની અંદરથી તેમને કોઈ અજાણ્યા વ્યક્તિનો હાથ તરતો હોઈ તેવું દેખાઈ આવ્યો હતો, આ હાથને જોઈને શરૂઆતમાં તો તેમને ખૂબ જ વિચિત્ર દ્રશ્ય લાગ્યું..
દ્રશ્ય જોઈને તેમણે વધુ માહિતી મેળવવા માટે નહેરની અંદર ઉતરીને જોવાનો પ્રયત્ન કર્યો હતો કે, આ હાથ કયા વ્યક્તિનો છે, અને શા માટે આ નહેરની અંદર તરી રહ્યો છે. જ્યારે નજીક જઈને જોવાની કોશિશ કરી ત્યારે તેમને એવું દ્રશ્ય જોયું કે તેમના હોશ ઉડી ગયા હતા, અને તેઓ તરત જ ઉભા રોડે ડોટ મુકીને પોતાના ઘરે પરત ચાલ્યા ગયા હતા..
ત્યાં જઈને તેઓએ તેમની પત્નીને જણાવ્યું કે, નહેરની અંદર કોઈ અજાણ્યા વ્યક્તિની ખૂબ જ દર્દનાક રીતે મોતને ઘાટ ઉતારવામાં આવેલો હોય તેવી લાશ મળી આવી છે. આ લાશને તેઓએ ખૂબ જ નજીકથી જોઈ છે, અને આ લાશને જોતા જ તમને ખૂબ જ વધારે ડર પણ લાગી ગયો છે..
તેમના ખેતર પાસેથી પસાર થતી આ નહેરની અંદર આવું અજુગતું દ્રશ્ય દેખાતા જ ખીમજીભાઈની તબિયત પણ બગડી ગઈ હતી, તેમની પત્નીએ તેમના પડોશમાં રહેતા ગામના સરપંચને આ વાતની જાણકારી આપી કે નહેર પાસેથી એક અજાણી વ્યક્તિની લાશ મળી આવી છે. ગામના ઘણા બધા લોકો આ નહેર પાસે આ લાશને જોવા માટે ચાલ્યા ગયા હતા..
ગામના સરપંચે નજીકના પોલીસ સ્ટેશનને પણ માહિતી પહોંચાડી દીધી કે, આ નહેરમાંથી કોઈ અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી છે. આ વ્યક્તિને ખૂબ જ દર્દનાક રીતે મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોય અને ત્યારબાદ અહીં ફેંકી દેવામાં આવ્યો હશે, તેવું જણાઈ રહ્યું છે. તેમના ગામની અંદરથી કોઈ પણ વ્યક્તિ ગાયબ થયો નથી..
તો આ લાશ ક્યાંથી આવી છે, તેની ભાળ મેળવવી ખૂબ જ જરૂરી સાબિત થઈ ચૂકી હતી. પોલીસે તેના રેકોર્ડ મુજબ તપાસ ચલાવી તો તેમના ગામથી અંદાજે 17 કિલોમીટર દૂર આવેલા અન્ય એક ગામની અંદર એક યુવક છેલ્લા પાંચ દિવસથી ગાયબ હતો. આ યુવકની જ્યારે માહિતી મેળવવામાં આવે ત્યારે ખબર પડી કે, આ યુવક છેલ્લા પાંચ દિવસથી તેના ઘરેથી ગુમ હતો..
અને તેના મિત્રો સાથેના લડાઈ ઝઘડામાં તેને મોતને ઘાટ ઉતારીને આ કેનાલની અંદર ફેંકી દેવામાં આવ્યો હતો, જેની લાશ તરતી તરતી 17 કિલોમીટર દૂર આ કેનાલની અંદર આવી ચૂકી છે. આ લાશને નજીકની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે, તેમજ આ યુવકના માતા-પિતાને પણ જાણકારી પહોંચાડવામાં આવી છે..
કે તેમના લાડકા દીકરાનું મૃત્યુ થઈ ગયું છે, આ સમાચાર સાંભળતા જ યુવકના માતા-પિતા માથે આભ ફાટી નીકળ્યા હતા, તેઓ છેલ્લા પાંચ દિવસથી તેમના દીકરાના ગુમ થયા હોવાની માહિતીને લઈને ખૂબ જ દુઃખી હતા. જેમાં હવે તેના મૃત્યુના સમાચાર સામે આવતા ચારેકોર મોતનો માતમ છવાઈ ગયો છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]