ખેતરમાં દરેક ખેડૂતો દિવસ રાત દિવસ તનતોડ મહેનત કરીને અનાજ પકવે છે, અને તેમના પરિવારનું જીવન ગુજારતા હોય છે. ખેડૂત મિત્રો સમગ્ર દેશને અન્નપૂરુ પાડે છે. પરંતુ કેટલાક સમયથી તેઓને પાકના વ્યવસ્થિત ભાવ પણ મળતા નથી. પરંતુ કહેવાય છે ને કે, જે વ્યક્તિ ખૂબ જ સાચા દિલથી અને ઈમાનદારીથી કામકાજ કરે છે..
તેને ભગવાન એકને એક દિવસે ઘણું બધું આપે છે. અત્યારે તેલંગાના પેંબીમાં નરસિંહ નામનો ખેડૂત સાથે ખૂબ જ ચોંકાવનારો બનાવ બન્યો છે. તે રોજની જેમ પોતાના ખેતરે ખેતી કામ માટે જતો હતો. જ્યારે પાકની સીઝન પૂરી થઈ ગઈ ત્યારબાદ તે જમીનનું લેવલિંગ નું કામકાજ કરતો હતો..
ત્યારે અચાનક જ લેવલ કરનાર સાધનો જમીન સાથે અથડાતા એક રણકાર પેદા થયો હતો. આ રણકાર સાંભળવાની સાથે જ ખેડૂત ઉભો રહી ગયો અને આ અવાજ ક્યાંથી આવે છે..? તેની શોધખોળ કરવા લાગ્યો હતો, આ આવા જમીનમાં કંઈક ચીજવસ્તુ અડકવાને કારણે આવતો હતો, તેણે આસપાસની માટીને સાફ કરીને જોયો તો ત્યાંથી એક ખૂબ જ જૂનો પુરાણો ઘડો મળી આવ્યો હતો..
આ ઘડાને ખોદકામ કરીને બહાર કાઢ્યો, આ ઉપરાંત તેણે આસપાસના ખેતરના માલિકોને પણ ત્યાં બોલાવ્યા હતા. અને મદદ કરવા માટે જણાવ્યું હતું. જ્યારે આ ઘડાને બહાર કાઢવામાં આવ્યો અને તેનું ઢાંકણું ખોલતા જ સૌ કોઈ લોકોના હોશ ઉડી ગયા હતા, કારણ કે અંદરથી સોનાના આભૂષણો મળી આવ્યા હતા.
આ જોતાની સાથે જ ભલભલા લોકોના ડોળાઓ ચિંતા બહાર આવી ગયા એક અંદાજ મુજબ આંકડાની અંદરથી લગભગ પાંચ કિલો સોનાના દાગીના મળી આવ્યા હતા. જેની કુલ કિંમત લગભગ બે કરોડ રૂપિયા આસપાસની હતી આસપાસના લોકોનું કહેવું છે કે, નરસિંહ એ માત્ર એક વર્ષ પહેલાં જ આ જમીનને ખરીદી હતી..
નરસિંહને જમીનનું લેવલિંગ કરતી વખતે જુનો પુરાણો ખજાનો મળી આવ્યો હતો, પહેલાના સમયમાં જ્યારે અંગ્રેજોનું શાસન હતું. ત્યારે લોકો પોતાની પાસે રહેલી કિંમતી ચીજ વસ્તુઓને પોતાની આવતી પેઢીને આપવા માટે સાચવીને રાખતા, પરંતુ અંગ્રેજો કોઈને કોઈ રીતે તેમની પાસેથી આ ખજાનો જુટવીને જતા રહેતા હતા..
એટલા માટે તેઓ જમીનમાં દાટી દેતા હતા અને ત્યારબાદ તેનો કોઈ પણ અતોપતો ન મળતા તે કોઈ પણ વ્યક્તિને મળવા લાગતી હતી. અત્યારે નરસિંહને પાંચ કિલો ગ્રામ સોનાના દાગીના મળી આવ્યા હતા. આ બનાવની માહિતી વાયુવેગે સમગ્ર ગામમાં પ્રસરી ગયો અને દૂર દૂરથી આ ઘડાને જોવા માટે લોકો આવી પહોચતા હતા.
જ્યારે આ ઘટનાની જાણ વહીવટી તંત્રને થઈ ત્યારે તપાસ માટે તેઓએ ટીમ મોકલી આપી હતી, આ સાથે સાથે પુરાતત્વ વિભાગના અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા અને સંસ્કૃતિ અને સભ્યતા ઉપર સંશોધન કરવા લાગ્યા હતા. નરસિંહ નામના ખેડૂતો ક્યારેય પણ કોઈ વ્યક્તિનું ખરાબ કર્યું નથી.
હંમેશા સાચી દાનત અને ઈમાનદારીથી તેને કામ કર્યું છે, અને દરેક લોકોને મદદરૂપ પણ બનતો હતો. જો સાચા માર્ગ પર ચાલવામાં આવે તો ભગવાન એકની એક દિવસ કોઈને કોઈ રીતે જરૂર સાથ આપે છે. આ ઘટનાને લઇ તેમના પરિવારજનો પણ ખૂબ જ ખુશ ખુશાલ થયા છે. ગામજનો પણ પોતાના ખેતરોમાં જોવા લાગ્યા કે તેમના ખેતરમાં તો કૈક આવો ઘડો નથી ને..?
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]