Breaking News

ખેતરના શેઢે સુતેલા મજૂરને ઉઠાડવા ખેતરનો માલિક નજીક ગયો, ધાબાળો ઉંચો કરતા જ જોઈ લીધું એવું કે ડોળા ફાટીને હાથમાં આવી ગયા..!

સવાર થતાની સાથે આપણી સાથે ક્યારે કઈ ઘટના બની જાય તેનું નક્કી હોતું નથી. ઘણી બધી વાર તો આપણી આંખો ઉપર પણ આપણને વિશ્વાસ આવતો નથી કે, શું આપણે જે દ્રશ્ય જોઈ રહ્યા છીએ તે સાચું છે કે નહીં. કારણકે ઘણી બધી ઘટનાઓ એવી પણ હોય છે. જે ખૂબ જ રહસ્યમય તેમ જ આશ્ચર્યજનક પરિસ્થિતિમાં મૂકી દે તેવી હોય છે..

અત્યારે કંઈક આવી જ એક રહસ્યમય ઘટના હરિવંશ નામના ખેડૂતો સાથે બની છે. હરિવંશભાઈનું ખેતર બધેલ ગામની સીમમાં આવેલું છે. તેઓ રોજની જેમ સવારના સમયે તેમના ખેતરે જાય છે. તેમના ખેતરમાં કામ કરતાં મજૂરો ઉપર દેખરેખ રાખે છે. અને પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે..

તેઓ એક દિવસ સવારે તેમના ખેતરે આંટો મારવા માટે ગયા હતા, એ દરમિયાન તેઓએ જોયું તો તેમના ખેતરમાં કામ કરતો શિશુપાલ નામનો 23 વર્ષનો એક મજૂર ખેતરના શેઢે સૂઈ રહ્યો હતો. તે ઊંધો સુતેલો હતો. તેને જોઈને તેમને ખૂબ જ અજુગતું લાગ્યું હતું. કારણ કે શિશુપાલ ખૂબ જ મહેનતુ મજૂર હતો..

તે સવારમાં પાંચ વાગ્યે ઊઠીને તરત જ કામે લાગી જતો હતો અને એ દિવસે 09:00 વાગ્યા સુધી પણ તે જાગ્યો નહીં, એટલા માટે હરિવંશ ભાઈને ખૂબ જ અજુગતું લાગ્યું હતું. તેઓ તરત જ શિશુપાલની નજીક ગયા અને તેને પૂછવાની કોશિશ કરી હતી કે, શું તે બીમાર છે કે અન્ય કોઈ પરિસ્થિતિની અંદર મુકાઈ ગયો છે કે નહીં..?

તેણે શિશુપાલને જગાડવાની કોશિશ કરી પરંતુ શિશુપાલ ઉઠ્યો નહીં, એટલા માટે તેઓએ હલબલાવીને તેનું મોઢું જોવા માટે ધાબળો ઊંચો કર્યો હતો. ધાબળો ઉંચો કરતાની સાથે જ તેઓએ જે દ્રશ્ય જોયું તે દ્રશ્ય જોઈને તેમના ડોળા ફાટીને હાથમાં આવી ગયા હતા અને તેઓ વિચારમાં મુકાઈ ગયા કે, આ દ્રશ્ય કેવી રીતે બન્યું હશે..

તેમને તેમની આંખો ઉપર પણ વિશ્વાસ આવ્યો નહીં, તેઓએ તરત જ ખેતરમાં કામ કરતાં અન્ય મજૂરોને પણ પોતાની પાસે બોલાવ્યા હતા અને જણાવ્યું કે, આ ધાબળો ઊંચો કરતાની સાથે જ તેઓએ જોયું છે કે, શિશુપાલને ચહેરા અને ગળાના ભાગે કોઈ વ્યક્તિએ ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો છે..

તેની આખી પથારી લોહીથી લથબથ થઈ ગઈ છે. બસ આ દ્રશ્ય જોતા જ તેવું હચમચી ઉઠ્યા હતા અને વિચારમાં મુકાઈ ગયા કે, કયા વ્યક્તિએ શિશુપાલને મોતને ઘાટ ઉતારી દીધો હશે. શિશુપાલ મગજનો ખૂબ જ ગુસ્સાવાળો વ્યક્તિ હતો તે અવારનવાર કોઈ વ્યક્તિ સાથે લડાઈ ઝઘડો કરી બેસતો હતો..

કદાચ આ ઝઘડાનો ગુસ્સો રાખીને અન્ય કોઈ વ્યક્તિએ તેને મોતને ઘાટ ઉતારી દીધો હશે, જ્યારે અન્ય મજૂરોને પૂછતાછ કરવામાં આવી ત્યારે તેઓએ જણાવ્યું કે, તેઓ સાંજના સમયે બીજી વાડીએ સુવા માટે ગયા હતા અને આ વાડીનું ધ્યાન શિશુપાલ રાખવાનો હતો અને સવારથી તેઓએ શિશુપાલને જોયો હતો નહીં..

એટલા માટે તેમને લાગ્યું કે, શિશુપાલ અન્ય કોઈ કામકાજ માટે બહારગામ ગયો હશે. પરંતુ અહીં આવ્યા બાદ તેઓને ખબર પડી કે શિશુપાલને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. આ ઘટનાના સમાચાર દરેક મજૂરો સુધી પહોંચતા તમામ લોકોમાં ફફડાટ મચી ગયો હતો. હરિવંશભાઇએ તાત્કાલિક ધોરણે પોલીસને જાણ આપી કે, તેમના ખેતરમાં કામ કરતા મજૂરને કોઈ વ્યક્તિએ મોતને ઘાટ ઉતારી દીધો છે..

અને ત્યારબાદ તેને ધાબળો ઓઢીને અહીં દેવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું હતું. તમામ ઘટનાની પુલ ખુલ્લી પડી ગઈ છે. તાત્કાલિક ધોરણે પોલીસની ટીમો અહીં હાજર થઈ શિશુપાલની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવી છે. આ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી પણ હાજર છે. આ સાથે સાથે અત્યારે નજીકના વ્યક્તિઓના નિવેદનને નોંધવામાં આવી રહ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *