આજકાલ આપઘાતના બનાવો માં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. લોકો પોતાના રોજિંદા જીવનથી કંટાળીને અથવા હેરાન થઈને આપઘાત જેવું ગંભીર પગલું ઉઠાવી લેતા હોય છે. આવો જ એક આપઘાતનો બનાવ મથુરા ના ભરતપુર જિલ્લામાં બન્યો છે. જેમાં એક યુવક અને યુવતી દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો છે.
ભરતપુર જિલ્લાના ડીડવારી ગામમાં 22 વર્ષનો ગજેન્દ્ર નામનો યુવક રહે છે. તે મથુરામાં BSF ની તૈયારી કરી રહ્યો છે. તે ગઈકાલે મથુરાથી પોતાના ગામ પરત આવ્યો હતો. ગજેન્દ્ર સાંજના ૪ વાગ્યે પરિવારજનોને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયો હતો. તેના ઘરથી બાર ગયા ના ૧ કલાક પછી તેમના પડોશી ગજેન્દ્ર ના ઘરે પહોંચ્યા હતા.
આ ઉપરાંત તેમણે ગજેન્દ્રના પરિવારજનોને જણાવ્યું હતું કે ગજેન્દ્ર તેમની પુત્રી દીયા ને પોતાની સાથે લઈ ગયો છે. તેમજ હજી સુધી પાછો ફર્યા નથી. ગજેન્દ્ર અને દિયાના પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. રાત પડવા છતાં તેમની કોઈ જાણ ન મળતા તેઓએ પોલીસ સ્ટેશન એ બંનેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
બીજા દિવસે સવારે જ્યારે ડીડવારી ગામનો ખેડૂત સંજુ પોતાના ખેતરમાં ખેતીકામ કરવા માટે ગયો. ત્યારે તેણે 2 મૃતદેહોને પોતાના ખેતર માં પડેલા જોયા હતા. આ જોઈ ને સંજુ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. આ બાબતની જાણકારી તેણે ગ્હરામજનો ને દીધી હતી. તેમજ પોલીસ સ્ટેશનમાં પણ આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસએ સંજુના ખેતરમાં આવીને તપાસ શરૂ કરતા જાણવા મળ્યું કે આ બંને મૃતદેહો દિયા અને ગજેન્દ્ર ના હતા. આ બાબતની જાણ થતા બંનેના પરિવારજનો શોકમગ્ન થઇ ગયા હતા. પોલીસ દ્વારા તેમના પરિવારજનોને પૂછપરછ દરમ્યાન સામે આવ્યું કે દિયા ના લગ્ન 6 વર્ષ પહેલા રામુ નામના યુવક સાથે થયા હતા.
રામુ સિલેન્ડર એજન્સીમાં ટેમ્પો ચલાવતો હતો. તેમજ તેમને બે બાળકો પણ હતા. જ્યારે ગજેન્દ્ર BSF ની ફિઝિકલ ટેસ્ટમાં પાસ થઈ ગયો હતો. તેમજ તેની લેખિત પરીક્ષા બાકી હતી. જેની તૈયારી તે મથુરામાં કરી રહ્યો હતો. પરંતુ તે ગામડે આવ્યા બાદ તેણે દિયાને સાથે લઈને આ ગંભીર પગલું ઉઠાવ્યું હતું.
તે બંનેના આપઘાતનું કારણ બહાર આવ્યું નથી. પરંતુ પોલીસએ તેમના આપઘાતનું કારણ જાણવા માટે પોતાનો તમામ ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસે જણાવ્યું છે કે પોસ્ટમોર્ટમ બાદ બંને મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવશે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]