Breaking News

ખેતરમાંથી પસાર થતા રેલ્વેના પાટા ઉપર ખેડૂત ટીફીન લઈને આવતો હતો ત્યારે પાછળથી અચાનક જ ટ્રેન આવી જતા ઉડી ગઈ લોઈની પીચકારી..! ઓમ શાંતિ..!

દરેક લોકો સવાર પડતાની સાથે જ પોતાના નોકરી ધંધે ચાલ્યા જતા હોય છે. આખો દિવસ મહેનત કર્યા બાદ સાંજે પોતાને ઘરે પરત ફરે છે. નોકરી કરનાર લોકો પોતાની ઓફિસે ચાલ્યા જાય છે. તો ધંધો કરનાર લોકો પણ પોતાના ધંધા સ્થળે ચાલ્યા જતા હોય છે. ખેડૂતો સવારના સમયે જ ટિફિન લઈને પોતાના ખેતરે જતા રહે છે..

જ્યાં તેઓ આખો દિવસ તનતોડ મહેનત કરે છે અને જમીનમાં જે પણ પાક ઉગાડે છે. તેનાથી પરિવારના સૌ કોઈ સભ્યનું ભરણપોષણ ચાલે છે. રાજસ્થાનના જાલોર જિલ્લાના ભીમપુરા ગામમાં આવેલા એક ખેતરમાં ખેડૂત ખેતી કરતો હતો. આ ખેડૂતનું નામ હકીમ ખાન હોવાનું સામે આવ્યું છે..

જેની ઉંમર 28 વર્ષની છે. તે સવારના સમયે ટિફિન લઈને પોતાને ખેતરે જવા માટે નીકળી ગયો હતો. તેના ખેતરની વચ્ચોવચ રેલવેના પાટા પસાર થાય છે. ખેતરમાં એક બાજુએ વ્યવસ્થિત રીતે ચાલી શકાય તેવો રસ્તો છે. પરંતુ બીજી બાજુના ખેતરે જવા માટે તેઓને પાટા ઉપર બનાવેલો પુલ પસાર કરીને જવું પડે છે..

પરંતુ આ પુલ તેમના ખેતરથી ખૂબ જ દૂર હોવાથી રેલવેના પાટા ઉપર ચાલીને પોતાની બીજી વાડીએ જતો હતો. હકીકતમાં રેલવેના પાટા ઉપર ચાલવું એ બરાબર વાત નથી. કારણ કે, ટ્રેન ખૂબ જ ઝડપથી પસાર થઈ જતી હોય છે. અને ક્યારેય કયો બનાવ બની જાય તેનું નક્કી હોતું નથી. પરંતુ આ તમામ બાબતોની જાણ રાખ્યા વગર હકીમ ખાન રોજબરોજ આ ટ્રેનના પાટા ઉપરથી પસાર થતો હતો..

તે એક દિવસ મનમાં ગીતો ગાતો ગાતો હાથમાં ટિફિન લઈને પોતાને ખેતરેથી બીજા ખેતરે જતો હતો. ત્યારે તેણે રેલવેના પાટા ઉપર થોડી વાર ઉભું રહેવાનું વિચાર્યું હતું. ત્યારબાદ તે જ્યારે બીજી બાજુ પોતાના ખેતરે ઉતરવા જતો હતો. ત્યારે પાછળથી અચાનક જ એક માલગાડી આવી ગઈ હતી અને તેને ટલ્લો મારી દીધો હતો..

અચાનક જ આવેલી આ માલગાડીને જોઈને તે ભાગવા લાગ્યો, પરંતુ તે આ માલ ગાડીની ટક્કરથી બચી શક્યો નહીં. અને ટ્રેનના ડબ્બા અને પાટા વચ્ચે તેનું શરીર આવી ગયું હતું. જ્યારે આ ઘટના બની ત્યારે લોહીની પિચકારીઓ ઉડવા લાગી હતી. કારણ કે હકીમ ખાનનું કચડાઈ જવાને કારણે મૃત્યુ થયું હતું. જ્યારે આસપાસના ખેતરના માલિકોએ પોતાની નજરે આ દ્રશ્ય જોયું..

ત્યારે તેઓ તાબડતો હકીમ ખાને બચાવવા માટે પાટા પાસે પહોંચી ગયા હતા. પરંતુ તેઓ હકીમખાને બચાવે એ પહેલા તો આંખે ને આખી ટ્રેન હકીમ ખાન ઉપરથી પસાર થઈ ગઈ હતી. આ મામલો બપોરના પાંચ વાગ્યા આસપાસનો છે. જ્યારે આ ઘટનાની જાણકારી નજીકના પોલીસ સ્ટેશનને પહોંચી ત્યારે પોલીસ પણ તપાસ કરવા માટે ઘટના સ્થળે આવી પહોંચી હતી..

પોલીસનું કહેવું છે કે, ભીમપુરા રેલવે સ્ટેશનની પાસે એક અન્ડરબ્રીજ બનેલો છે. ત્યાંથી લોકોને ચાલવા તેમજ અવર-જવર કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. છતાં પણ કેટલાક ખેડૂતો આ અંડર બ્રિજનો ઉપયોગ કરવાને બદલે પાટા ઉપરથી પસાર થાય છે. અને અવારનવાર આવી મૃત્યુની ઘટનાઓ સામે આવતી હોય છે..

અત્યારે પણ આ પ્રકારની જે ઘટના સામે આવી જતા ભારે ચકચારનો માહોલ સર્જાઈ ગયો છે. ખેડૂતના પરિવારજનોને જ્યારે જાણકારી પહોંચાડવામાં આવી કે, તેમના પરિવારના લાડકા દીકરા હકીમ ખાનનું મૃત્યુ થયું છે. ત્યારે તેમના માટે પણ દુઃખની આ ઘડી સહન થઈ શકી નહીં.

પરિવારની મહિલાઓ અને નાના દીકરા દીકરીઓ પણ રડી રડીને બેહાલ થઈ ગયા છે. કોઈપણ લોકોના મનમાંથી હકીમખાનના મૃત્યુના સમાચાર જઈ શકતા નથી. પોલીસે પણ આ ઘટનાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ઉપરાંત ઘટનાસ્થળની પણ તલાસી લેવામાં આવી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *