જો મહેનત અને ઈમાનદારીથી કામકાજ કરવામાં આવે તો પુણ્યનો ઘડો ભરાઈ જાય છે અને ભગવાન એકને એક દિવસ જરૂર નસીબના દ્વાર ખોલી અમીર પણ બનાવી દે છે. પરંતુ જે વ્યક્તિમાં દાનતની ખોટ હોય અને કોઈની સારી ચીજ વસ્તુ ઉપર દબદબો જમાવવાના વિચારો રાખતા હોય તેવા વ્યક્તિ ક્યારે પણ સુખી થતા નથી..
અત્યારે મહેનત અને મજૂરી કરીને પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવતા એક મજૂર સાથે એવી ઘટના બની ગઈ કે, બિચારો રાતોરાત અમીર બની ગયો હતો. સૌ કોઈ લોકો મજુર સાથે થયેલી આ ઘટનાને લઈને જોતાને જોતા જ રહી ગયા હતા. આ બનાવ ગોમતીપુર ગામની સીમમાં આવેલા રમણીક લાલના ખેતરમાં બન્યો છે..
રમણીક લાલભાઈનું 14 વીઘા નું ખેતર શંભુ નામનો એક મજૂર વાવણી કરી રહ્યો હતો, રમણીકાલે શંભુને તેમના ખેતરની તમામ જવાબદારીઓ ટકાવારીના ભાગરૂપે સોંપી દીધી હતી. શંભુઆ ખેતરની અંદર તેના પરિવાર સાથે મહેનત કરતો અને રમણીક ભાઈને ખૂબ જ સારો પાક ઉગાડીને આપતો હતો..
શંભુ જ્યારે ખેતરમાં વાવણી કરતો હતો, ત્યારે માટીના ઢેફાની અંદર તેણે એવી ચીજ વસ્તુ જોઈ લીધી કે, તેના નસીબના દ્વાર ઉઘડી ગયા હતા, તે ચાલતો ચાલતો આગળ વધતો હતો ત્યારે તેણે જોયું કે, માટીના ઢેફામાં કોઈ ચળકાટ મારતી ચીજ વસ્તુ દેખાઈ આવી છે. આ ચમકતી ચીજ વસ્તુને તેણે માટીના ઢેફા દૂર કરીને બહાર કાઢવાની કોશિશ કરી ત્યારે તેને ખબર પડી કે..
એક મોટો સોનાનો હાર મળી આવ્યો હતો, આ હાર ખૂબ જ જૂનો પુરાણો હોય તેવું લાગતું હતું અને તેના ઉપર અસલી હીરા અને મોતી ચડેલા હતા, આ હારને જોતા જ તે સમજી ગયો કે, નક્કી હવે તેના પરિવારની કિસ્મત બદલાવવા જઈ રહી છે, તેને તરત જ રમણીક મહિને ફોન કરીને જણાવ્યું કે, તેને ખેતરમાંથી એક સોનાનો હાર મળી આવ્યો છે..
રમણીક લાલે જણાવ્યું કે, આ હાર તને મળ્યો છે, તો તેનો માલિક પણ તું જ રહીશ. જ્યારે આસપાસના વિસ્તારના ખેડૂતોને ખબર પડી ત્યારે તેઓ પણ ટોળીને ટોળા પાસે આવી પહોંચ્યા જેમાંથી કેટલાક દાનતના ખોટા વ્યક્તિઓ કહેવા લાગ્યા કે, આ હાર તેમનો છે. તો અન્ય વ્યક્તિ પણ કહેવા લાગ્યા કે, આ હાર અમારો છે..
અમારો ખોવાઈ ગયેલો હાર તને મળ્યો છે, અને તારે અમને પરત આપી દેવો પડશે. પરંતુ આ તમામ વ્યક્તિના બહાના બાજીને માન સન્માન આપ્યા વગર આ હારનો અસલી માલિક શંભુ બની ગયો હતો, આ મોટો ચમત્કાર જોઈને કેટલાક લોકો તો ડોળા ફાટી ગયા હતા. આ અગાઉ પણ ખેતરમાંથી ખજાનો મળવાના ઘણા બધા કિસ્સાઓ પાછળના સમયમાં સામે આવી ચૂક્યા છે..
હકીકતમાં જ્યારે અંગ્રેજોનું રાજ હતું, ત્યારે સામાન્ય લોકોને પોતાનું ધન અને ખજાનો કોઈ સુરક્ષિત જગ્યાએ સંતાડવો પડતો હતો. જો ઘરની અંદર ખજાનો સંતાડવામાં આવે તો તપાસ દરમિયાન આ તમામ ખજાનો ગુમાવી દેવાની તક આવી પડતી હતી. એટલા માટે પોતાના ખેતરમાં ખાડો ગાળીને વડીલો ખજાનો સંતાડી દેતા હતા..
નક્કી આ હાર જમીનમાંથી જ વાવણી કરતી વખતે ઉપર આવી ગયો હશે અને શંભુને મળી ગયો છે, આ ચમત્કાર થી શંભુ રાતોરાત અમીર બની ગયો હતો. શંભુએ તેની પત્નીને જણાવ્યું કે, આ હાર વેચીને તેવો રૂપિયા મેળવી લેશે અને એ રૂપિયાથી તેમના દીકરા અને દીકરીને સારી શાળામાં ભણાવશે..
અને પોતાને રહેવા માટે એક સારું વ્યવસ્થિત મકાન પણ બનાવી નાખશે, શંભુએ રમણીક લાલનો પણ ખૂબ જ આભાર માન્યો હતો. કારણ કે, આ ખેતર રમણીક લાલનું છે. છતાં પણ રમણીક લાલે ખેતરમાંથી મળેલા આ સોનાના હારને શંભુને આપી દીધો હતો..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]