કહેવાય છે કે જે લોકો કાળા કારનામાં કરે છે, તેમની આ કાળી કરતુતો લાંબો સમય સુધી ટકી શકતી નથી. શહેર અને રાજ્યનું તંત્ર એટલું બધું સતર્ક છે કે, તેમને હંમેશા આવા કાળા કારનામાની સુગંધ આવી જાય છે. અને મોકો મળતાની સાથે જ આવા બધા ગોરખ ધંધાઓને બંધ કરવા માટે પોલીસની ટીમ ખૂબ જ સાહસિકતાથી કામ ઉપાડે છે..
છતાં પણ કેટલાય લોકો નિયમ કાનૂનની ધજા ઉડાડીને ન કરવાના કામો કરી બેસે છે. અને અંતે તેમને પછતાવાનો વારો પણ આવે છે. પરંતુ એ વખતે તેમની પાસે પછતાવા સિવાય કોઈ પણ વસ્તુ બાકી રહેતી નથી. અને ભારે મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. અત્યારે રાજસ્થાનના સિકરમાંથી એક અતિશય હચમચાવી દેતી ઘટના સામે આવી છે..
અહીં ભટાઢોર ગામમાં પરમેશ્વર ઢાકા નામના વ્યક્તિના એક ખેતરની અંદર કાળા કારનામાં ચાલી રહ્યા હતા. ભટાઢોર ગામથી કિડોલી ગામ તરફ જવાના રસ્તા ઉપર પરમેશ્વરભાઇ ઢાંકાનું ખેતર આવેલું છે. તેમના ખેતરમાં કાંદા લસણનો પાક ઉગાડેલો હતો. પોલીસને બાતમી મળી હતી કે, પરમેશ્વર ઢાકાના ખેતરની અંદર ગેરકાયદેસર ચીજ વસ્તુઓની ખેતી ચાલી રહી છે..
આ વાતની અનુસાર તેની વાડી ઉપર છાપો મારવામાં આવ્યો અને ત્યાં તલાસી લેવાની સાથે જ ખેતરની વચ્ચોવચ પોલીસ અધિકારીઓ એવું દ્રશ્ય જોઈ લીધું કે, તે જોતાની સાથે જ ખેતરના માલિકને પકડવાની નોબત આવી પડી હતી. તેઓએ જોયું તો કાંદા અને લસણ ના ખેતીની વચ્ચે અફીણની પણ ખેતી કરવામાં આવતી હતી..
પરમેશ્વરના ખેતરની અંદરથી કુલ 1050 જેટલા અફીણના છોડવા મળી આવ્યા હતા. આ તમામ છોડનું વજન અંદાજે 98 કિલોગ્રામ હતું. પોલીસે આ તમામ છોડીને જપ્ત કર્યા છે. જ્યારે પરમેશ્વરને ખબર પડી કે, તેના ખેતરની અંદર પોલીસનો છાપો પડ્યો છે. ત્યારે તે ખેતર મૂકીને ભાગવા લાગ્યો હતો…
પોલીસ અધિકારીએ આરોપીને પકડવા માટે ટીમો પણ બનાવી નાખી છે. આરોપી પકડાતાની સાથે જ તે આ બધી ચીજ વસ્તુઓની સપ્લાય કઈ જગ્યાએ કરતો હતો. અને તેને ક્યાં સાચવીને રાખતો હતો. તેની પણ માહિતી મેળવવામાં આવશે અને ત્યારબાદ કાયદેસરની કાર્યવાહીથી આરોપીને કડકમાં કડક સજા પણ થશે, કારણકે તેણે નિયમ કાનૂનોને તોડીને ન કરવાના કારનામાં કર્યા છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]