Breaking News

ખેતરમાં સુતેલા મજૂરે સફેદ કપડાવાળી મહિલાને દોડતી જોતા જ તાવ ચડી ગયો, બીજી રાત્રે બધાએ ભેગા મળીને જોયું તો દેખાયું એવું કે ખેતર મૂકીને ભાગવું પડ્યું..!

અત્યારે કરનાર પાસેના ઝાઝીમ નગરની નજીક આવેલી લિપડગોતા ગામમાંથી ઘટના બની ગઈ છે. ગામમાં રહેતા મધુસુદન દાસ નામના વ્યક્તિનું ખેતર ગામથી અંદાજે પાંચ કિલોમીટર દૂર સીમ વિસ્તારમાં આવેલું છે. તેમના ખેતરમાં રામુરાઈ નામનો વ્યક્તિ તેમના પરિવારજનોની સાથે રહીને તેમના ખેતીનો દરેક કામકાજ સંભાળે છે..

પરંતુ એક દિવસ એવી ઘટના બની જવા પામી છે કે, રામુરાઈ સહિત તેના પરિવારના અન્ય સભ્યોને જોરદાર તાવ ચડી ગયો હતો અને બીજી રાત્રે તો બધા ખેતર મૂકીને ભાગવા પણ લાગ્યા હતા. ચોકાવનારી ઘટના બનતાની સાથે સમગ્ર ગામમાં ફફળાટ મચી ગયો હતો. પરંતુ હકીકત જાણ્યા બાદ કેટલાક લોકો જોરજોરથી હસવા લાગ્યા છે..

તો કેટલાક લોકો ખૂબ જ ગંભીર માહોલમાં ચાલ્યા ગયા છે, એક દિવસ રાત્રે જ્યારે રામુરાય તેના પરિવારજનો સાથે ખેતરમાં બનાવેલી ઓરડીની અંદર સુતો હતો. ત્યારે અચાનક જ તેણે જોયું કે, ખેતરમાં વચ્ચોવચ અંધારામાં કોઈ મહિલા સફેદ કલરની સાડી પહેરીને પસાર થતી હોય તેવું તેને દેખાતું હતું. શરૂઆતમાં તો તેને પોતાની આંખનો વહેમ લાગ્યો પરંતુ તેને નજર નાની કરીને જોવાની કોશિશ કરી..

તો આ મહિલા ધીમે ધીમે તેની નજીક આવતી હતી અને અચાનક જ તે ગાયબ થઈ જતી હતી. આ દ્રશ્ય જોઈને તેને ખૂબ જ ડર લાગી ગયો હતો. તેણે પરિવારના અન્ય સભ્યોને અડધી રાત્રે જગાડીયા હતા અને જણાવ્યું કે, તેણે અહીં એક આત્માને જોઈ લીધી છે. તેને જોતાની સાથે તેને ખૂબ જ વધારે ડર લાગવા લાગ્યો છે. પરિવારજનોએ તેને મનનો વહેમ કહીને નકારી કાઢ્યો અને ફરી પાછું સુઈ જવા માટે જણાવ્યું હતું..

પરંતુ જ્યારે પરિવારનો અન્ય સભ્ય પેશાબ કરવા માટે જાગ્યો ત્યારે તેણે પણ આ દ્રશ્ય જોયું હતું. ધીમે ધીમે પરિવારના દરેક સભ્ય સુધી આ વાત પહોંચી જતા ખેતરમાં બનાવેલી ઓરડીની અંદર રહેતા રામુરાઈ ભાઈ તેમજ તેમના પરિવારજનો ડરના માહોલમાં ચાલ્યા ગયા હતા. તેઓએ બીજા દિવસે તરત જ તેમના ખેતરના માલિક મધુસુધનદાસને જણાવ્યું કે હવે તેઓ તેમના ખેતરમાં રહીને મજૂરી કરવા માંગતા નથી..

કારણકે તેમના ખેતરમાં કાળો પડછાયો વસે છે જેનાથી તેમના જીવને જોખમ રહેલો છે. મધુસુદનદાસે જણાવ્યું કે, આ તમામ મનના વહેમોને દૂર કરી દેવા જોઈએ અને આપણે સુખ શાંતિથી જીવન જીવવું જોઈએ. રામુરાયે તેના ખેતરના આસપાસના લોકોને પણ આ વાતની જાણકારી પહોંચાડી હતી..

સૌ કોઈ લોકોએ નક્કી કર્યું કે, બીજી રાત્રે તેઓ ભેગા મળીને અહીં બેસશે અને શું થાય છે તેનું ધ્યાન રાખશે બીજી રાત્રે જ્યારે તેઓ ભેગા મળીને જોતા હતા ત્યારે અચાનક જ આ મહિલા તેમની નજીક આવવા લાગી હતી. જેણે સફેદ કલરની સાડી પહેરી હતી તેમને ડરાવતી હોય તેવું લાગતું હતું. એટલા માટે ખેતરમાં રહેલા તમામ મજૂરો ખેતર મૂકીને ભાગવા લાગ્યા હતા..

ધીમે ધીમે ગામમાં વાત પણ ફેલાઈ ગઈ હતી કે, મધુસુદનદાસના ખેતરમાં કાળો પડછાયો વસે છે. જે લોકોના જીવ લેવા પણ પર મજબૂર બની જાય છે અને હવે મધુસુદન દાસ તેનું ખેતર સસ્તા ભાવે વેચવા પણ કાઢી રહ્યો છે. જ્યારે તેઓએ તેમનો ખેતર વેચવા માટે કાઢ્યું હતું ત્યારે મધુસુદનના સગા ભાઈ પ્રભુસુદને આ ખેતરને ખરીદવા માટે સૌપ્રથમ બોલી લગાવી દીધી હતી..

જ્યારે આ ઘટના બની ત્યારે વધુ સુધનને શંકા જવા લાગી હતી અને તેને ઘટનાની જાણકારી નજીકના પોલીસ સ્ટેશનમાં આપી આ કેસને લઈ તપાસ કરાવવા માટે પણ જણાવ્યું હતું કે, તેમના ખેતરની અંદર ખૂબ જ અજીબ ચીજ વસ્તુ થાય છે. જેને લઇ લોકોમાં ભય ફેલાયો છે દરેક નાગરિકોનું રક્ષણ કરવું અને તેમને સલામતી પૂરી પાડવી એ તંત્રની ફરજ બને છે..

એટલા માટે જ્યારે ઘટનાની હકીકત સુધી પહોંચવામાં આવ્યા ત્યારે ખબર પડી કે મધુસુદનનો સગો ભાઈ પ્રભુસુદન આ તમામ ઘટનાની પાછળ જોડાયેલો હતો. પ્રભુ સુદને તેના સગા ભાઇની જમીન સસ્તા ભાવે ખરીદવી હતી. એટલા માટે તેણે આ ચાલ રમી હતી. તેણે વિચાર્યું કે તેઓએ કાળા પડછાયાનું બહાનું બતાવીને તેમના ખેતરમાં રહેલા દરેક મજૂરોને ભગાવી દેશે અને આ ખેતરને લઈને ખોટી અફવા ફેલાઈ જશે..

ત્યારબાદ સસ્તા ભાવે તે પોતાના ભાઈ પાસેથી આ જમીન ખરીદી લેશે જ્યારે ઘટનાની જાણકારી મધુસુદન ભાઈ સુધી પહોંચી ત્યારે તેઓએ પણ જણાવ્યું કે જ્યારથી તેમના જમીનના ભાગ પડ્યા છે. ત્યારથી જ પ્રભુશુધનને આ જમીન જોઈતી હતી. પરંતુ તેમના પિતાશ્રીએ આ જમીનને ક્યારેય પણ કોઈ વ્યક્તિને હડપવા દીધી નથી.

એટલા માટે મધુસુદન ભાઈએ આ જમીનને પોતાની પાસે જ રાખી હતી. એક સગા ભાઈએ પોતાના બીજા સગા ભાઈની જમીન હડપવા માટે એવું કારનામું કરી નાખ્યું હતું કે, જેને લઇ સામાન્ય લોકો ફફડી ઊઠ્યા છે. આ ઘટના બન્યા બાદ કેટલાક લોકો હસી રહ્યા છે. તો કેટલાક લોકો ડરના માહોલમાં ચાલ્યા ગયા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *