નાના બાળકો અવારનવાર કોઈ મોટી પરિસ્થિતિ કે ખૂબ મોટા અણ બનાવવાનો ભોગ બની જતા હોય છે. જેનું પરિણામ માતા પિતાને ક્યારેક ભોગવવાનો પણ વારો આવે છે. અત્યારે મોરબીના હરબટીયાળી ગામમાં માત્ર આઠ વર્ષની એક બાળકીનું મૃત્યુ થયા હોવાનો મામલો સામે આવ્યો છે..
ટંકારા તાલુકાના આ ગામડામાં ખૂબ મોટો અણ બનાવો બનતા ચારેકોર ચકચાર મચી ગયો છે. તો પરિવારજનો ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા છે. હર્બટીયાળી ગામમાં રતિલાલ ખંભાણીની વાડી આવેલી છે. તેમની વાડીમાં જાનીયાભાઈ ભુરીયા પોતાના પરિવારજનો સાથે રહીને મજૂરી કામ કરે છે..
તેમનો ખેતર માં વાવણી કરી તેમનો સમગ્ર પરિવાર આ વાડીમાં જ રહે છે. એક દિવસ સવારે 11 વાગ્યે આસપાસ તેમની આઠ વર્ષની દીકરી ખેતરમાં રમી રહી હતી. રોજની જેમ તે ખેતરમાં જ ખેલકૂદ કરતી હોય છે. અચાનક જ તે બેભાન થઈ ગઈ હતી. જ્યારે તેના માતા-પિતા તેની પાસે પહોંચ્યા ત્યારે તેના પગ પર સાપ કરડીયો હોય તેવું નિશાન દેખાઈ આવ્યું હતું..
અને આ દીકરી બેભાન અવસ્થામાં હોવાથી તાત્કાલિક આ દીકરીના માતા-પિતાએ અન્ય વ્યક્તિઓને જાણ કરી હતી. અને ત્યારબાદ તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. પરંતુ સારવાર માટે તેઓ રાજકોટ પહોંચે એ પહેલા આ બાળકીની હાલત ખૂબ જ બગડવા લાગી હતી..
અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન થોડી જ મિનિટો ની અંદર અંદર આ બાળકીનું મૃત્યુ થઈ ગયું હતું. ડોક્ટરનું કેવું છે કે, આ બાકીનું મૃત્યુ સાપના ઝેરી ઝેર ચડવાને કારણે થયું છે. બાળકીના મૃત્યુ બાદ ટંકારા પોલીસને પણ જાણ આપવામાં આવી હતી. પોલીસે પણ અકસ્માતે મૃત્યુના બનાવની નોંધણી કરીને કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે.
જ્યારે મજૂરી કામ કરીને જીવન ગુજારનાર પરિવારજનો પોતાની આઠ વર્ષની વહાલ દીકરીના મૃત્યુના બનાવને લઈને ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા છે. ચોમાસાની સિઝનમાં ખેતરમાં કામ કરવું ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે ખેતરમાં ભરાયેલા પાણીની અંદર અસંખ્ય જીવજંતુઓ રહેલા હોય છે..
ત્યારે કયો જીવ જંતુ ડંખ મારી લે, તેનું નક્કી હોતું નથી. આ ઉપરાંત સાપ અને વીંછી જેવા ઝેરી જીવજંતુ હતો કરડવાથી મૃત્યુ પણ થઈ જતા હોય છે. આ ઉપરાંત ચોમાસાની સિઝનમાં ખેતરમાં રહેલી ઇલેક્ટ્રીક ચીજ વસ્તુઓને અડકવાનો પણ ખૂબ જ ડર રહે છે. કારણ કે તેમાંથી વિતરણ પસાર થાય છે..
જેના કારણે અટકતા જ વિજ કરંટ લાગતા જેથી વ્યક્તિનું પણ મૃત્યુ થવાની સંભાવના રહે છે. હકીકતમાં આપણા દેશના ખેડૂતોને ખૂબ જ સલામ છે. કારણ કે તેઓ ટાઢ, તડકો અને વરસાદ જેવી આફતોને સહન કરીને પણ ખેતરે જાય છે. અને અન્ન પેદા કરી સમગ્ર દેશનું ગુજરાન ચલાવે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]