Breaking News

ખેતરમાં પાણીની લાઈન બદલતા મજુરને કરંટ લાગતા શરીરનો ફટાકડો ફૂટી ગયો, 2 સેકન્ડમાં જ મોત થતા પરિવારના કાળજા હલબલી ગયા..!

દિવસેને દિવસે લોકોને પોતાના કામો કરતા સમયે ગંભીર ઘટનાના ભોગ બની રહ્યા છે. ક્યારે કોઈએ વિચાર્યું ન હોય તેવું અચાનક તેમની સાથે બની જાય છે. જેના કારણે પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. હાલમાં પરિવારના યુવક સાથે એવી દર્દનાક ઘટના બની હતી કે, પરિવાર નિરાધાર બની ગયો હતો.

આ ઘટના ખીરીયા ફૈઝુલ્લામાં રહેતા પરિવારના યુવક સાથે બની હતી. પરિવારમાં ગજરાજભાઈ જગદીશભાઈ કુશવાહા તેમના પરિવાર સાથે રહેતા હતા. ગજરાજભાઈની ઉંમર 36 વર્ષની હતી. તે પરિવારમાં પોતાની પત્ની અને 5 બાળકો સાથે રહેતા હતા. ગજરાજભાઈને સંતાનમાં 5 દીકરીઓ છે..

ગજરાજભાઈ ના લગ્ન 17 વર્ષ પહેલાં થયા ત્યારથી તેઓ મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરી રહ્યા હતા. ગજરાજભાઈ ગામના ખેતરોમાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. એક દિવસ તેઓ સાંજના સમયે દતિયાના ભંડેર રોડ પર આવેલા રઘુવંશ નગરમાં એક ખેતરમાં કામ કરવા માટે ગયા હતા.

આ ખેતરમાં ઘઉંની વાવણી કરવામાં આવી હતી. આખા ખેતરમાં ઘઉં ઉગાડવામાં આવ્યા અને ઘઉંને પુરતું પાણીની જરૂરિયાત હોવાને કારણે ખેતરના માલિકે પાણીની લાઈન બદલવા માટે ગજરાજભાઇને કામ સોપ્યું હતું. જેના કારણે સાંજનો સમય થઈ ગયો હતો અને ગજરાજભાઈ ખેતરમાં પાણીની લાઈન બદલવા માટે ગયા હતા.

ખેતરમાં ગજરાજભાઈ એકલા પાણીની લાઈન બદલી રહ્યા હતા. તે અને પોતાનું કામ કરી રહ્યા હતા. તેમની પત્નીની તેઓ પરત આવી જશે તેમ કહીને નીકળ્યા હતા. પરંતુ લાંબો સમય થઈ ગયો હોવા છતાં તેઓ ઘરે આવ્યા નહીં. ગજરાજભાઈની પત્ની તેમની રાહ જોઈ રહી હતી પરંતુ ગજરાજભાઈ ખેતરેથી ઘરે આવ્યા નહીં.

તેમના બાળકો તેમના પિતાની યાદ કરી રહ્યા હતા અને ‘પપ્પા ક્યારે આવશે?..’ તેમ કહી રહ્યા હતા. ત્યારબાદ ગજરાજભાઈની પત્નીએ તેમના ગામના સંબંધીઓને ગજરાજભાઈ ઘરે ન આવ્યાની વાત જણાવી હતી. જેના કારણે સંબંધીઓ ગુજરાજભાઈને પહેલા ગામમાં શોધ્યા ત્યારબાદ તેઓ જે ખેતરમાં કામ કરવા માટે ગયા હતા.

તે ખેતરે પહોંચ્યા હતા. દરેક સંબંધીઓ ખેતરમાં ગજરાજભાઈને શોધી રહ્યા હતા. તે સમયે અચાનક જ ગજરાજભાઈ જોવા મળ્યા હતા અને ગજરાજભાઈ એવી હાલતમાં જોવા મળ્યા કે જોતા જ સંબંધીઓ પણ ચોકી ગયા હતા. દરેક લોકોના મોઢા ફાટેલા રહી ગયા હતા અને આંખના ડોળા પણ નીકળી ગયા હતા.

દરેક સંબંધી લોકોએ જોયું તો ગજરાજભાઈ વીજળીની લાઈન નીચે પડેલા જોવા મળ્યા હતા. ઇલેક્ટ્રીક લાઈટ બદલતી વખતે વીજ કરંટ લાગ્યો હોય તેવું લાગી રહ્યું હતું. અને તરત જ સંબંધી લોકો ગજરાજભાઈને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ ત્યાં ડોક્ટરોએ તપાસ કર્યા બાદ ગજરાજભાઈનું મૃત્યુ થઈ ગયું છે તેમ જણાવ્યું હતું.

આ જાણતા જ ગુજરાજભાઈની પત્ની ચોધાર આંસુએ રડવા લાગી હતી અને પત્ની પોતાનું ભાન ભૂલી ગઈ હતી. તેમના આખા પરિવારનો ભાર તેમની પત્ની પર આવી ગયો હતો. યુવકનું મૃત્યુ થઈ જતા પરિવાર નિરાધાર બની ગયું હતું. સંબંધીઓ પણ ખૂબ જ રડી રહ્યા હતા. ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. એક વ્યક્તિ પોતાના કામ કરવા માટે ગયા હતા પરંતુ તેમની સાથે આવી ઘટના બની જતા તે કાયમ માટે જિંદગીથી દૂર થઈ ગયા હતા. આવા કિસ્સાઓ ખૂબ જ બની રહ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *