ખેતરની અંદર કામકાજ કરતા ખેડૂતો દરેક બાબતોથી ખૂબ જ પરિચિત હોય છે, ખેતરની અંદર સમય સમયે કરવામાં આવતી કામગીરીઓ અને તેઓ ખૂબ જ સારી રીતે નિભાવે છે. અને સારો પાક ઉગાડીને ભાગ વેચ્યા બાદ પૈસા કમાય તેમના પરિવારનું જીવન પણ ચાલતું હોય છે..
તે ખેતરની અંદર ઉગેલા પાકને વ્યવસ્થિત સાચવણી કરવા માટે પાકની આસપાસના વિસ્તારમાં ઉગેલા ઘાસને પણ સમયસર કાપવું ખૂબ જ જરૂરી છે, અત્યારે ખેડૂત પોતાના ખેતરની અંદર કામકાજ કરી રહ્યો હતો, તેની સાથે એવી ઘટના બની છે કે બિચારા ખેડૂતના મોતિયા મરી ગયા હતા અને તે દોડતા દોડતા તાબડતોબ પોતાના ઘરે પણ આવી પહોંચ્યા હતા..
આ ઘટનાને લઈને ગામના ઘણા બધા લોકો તેમના ખેતર પાસે હાજર થઈ ગયા હતા, સોમાભાઈ નામના ખેડૂતો ચક્રપુર ગામમાં રહીને ગામની સીમમાં આવેલા તેમના સાત વીઘાના ખેતરમાં ખેતી કામકાજ કરી જીવન ગુજારતા હતા. તેવો સવારના સમય પોતાના કામકાજ માટે ચાલ્યા જતા અને મોડી રાત્રે ઘરે પરત આવતા હતા..
તેઓ સવારના સમયે જ્યારે ખેતરે પહોંચ્યા અને ત્યાં પાક વચ્ચે ઉગેલા ગોઠણ સમા ઘાસને કાપવાનું કામગીરી તેઓએ શરૂ કરી હતી, તેઓ પાક વચ્ચેથી બિનજરૂરી ઘાસની કાપણી કરી રહ્યા હતા ત્યારે અચાનક જ તેમની એક વિચિત્ર અવાજ સંભળાવા લાગ્યો હતો. આ અવાજ સાંભળીને તેઓના હોશ છૂટી ગયા કારણ કે, આ અવાજ ખૂબ જ વિચિત્ર અને કોઈ મોટા વન્ય પ્રાણીનો હોઈ તેવું લાગતું હતું..
તેઓ જ્યારે તપાસ કરી કે, આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે. ત્યારે તેમના ખેતરની વચ્ચોવચ ઉગેલા ભાગમાં રહેલા ગોઠણ સમા ઘાસની વચ્ચેથી આ અવાજ આવતો હતો. જ્યારે તેઓ ત્યાં નજીક જઈને જોવાની કોશિશ કરી ત્યારે તેમને દેખાયું કે, અહીં સિંહના બે બચ્ચાઓ અવાજ કરી રહ્યા હતા..
આ બચ્ચાઓને જોઈ સોમાભાઈના તો મોતિયા મરી ગયા અને તેઓ તાબડતોબ પોતાનું ખેતર મૂકીને ઘરે આવવા માટે નીકળી ગયા હતા, ઘરે આવીને તેઓએ તેમના પરિવારના દરેક સભ્યોને આ બાબતની જાણકારી આપી હતી કે, તેમના ખેતરની અંદરથીના બચ્ચા વિચિત્ર અવાજ કરતા દેખાયા હતા..
અને જોતજોતામાં તેમના મોતિયા મરી ગયા અને તેઓ અહી ઘરે આવી પહોંચ્યા છે, સિંહના બે બચાઓ વીખોટા પડીને તેમના ખેતરની વચ્ચોવચ આવી ચૂક્યા હતા, પરંતુ જો તેમના બચ્ચા અહીં છે તો સિંહ પણ કદાચ વિસ્તારની અંદર આંટાફેરા મારી રહ્યો હશે તેવું લાગી રહ્યું છે. જ્યારે ઘણા બધા લોકો તેમના ખેતર પાસે પહોંચી ગયા અને તપાસ મેળવવા લાગ્યા હતા..
ત્યારે ખબર પડી કે, તેમના બાજુના ખેતરમાંથી સિંહ અને સિંહણ પણ મળી આવ્યા છે. જ્યારે સોમાભાઈના ખેતરમાંથી બે સિંહના બચ્ચા મળી આવ્યા હતા, સિંહ આવ્યા હોવાની માહિતી મળતા જ સીમ વિસ્તારમાં ફફડાટ મચી ગયો હતો, ખેતરની અંદર રહેતા મજૂરોએ પણ પોતાની ઓરડી બહારથી બંધ કરી દીધી હતી..
દરેક લોકો સુરક્ષિત જગ્યાએ ગયા સીમમાં તપાસ કરવા માટે આવેલું લોકોનું ટોળું પણ કોઈ સુરક્ષિત જગ્યાએ ખસેડાઈ ગયું અને તેઓ વન વિભાગના અધિકારીઓને ફોન કરીને માહિતી આપી હતી કે, તેમના ખેતરની અંદર સિંહના બચ્ચાઓની સાથે સિંહ અને સિંહણનો પરિવાર આવી પહોંચ્યો છે..
જેનાથી ગામના લોકોમાં ભય ફેલાઈ ગયો છે, વન્ય વિભાગના અધિકારીઓ સાધન સામગ્રીઓની સાથે તેમજ ઢોર ડોક્ટરને પણ સાથે લઈને ત્યાં આવી પહોંચી હતા. તેઓએ સફળ રીતે સિંહને પાંજરામાં પૂરી વન્ય વિસ્તારમાં લઈ જઈને છોડી મૂકવામાં આવ્યા હતા. હકીકતમાં સિંહ વન્ય વિસ્તારમાંથી રખડતા રખડતા સોમાભાઈના ખેતર સુધી આવી પહોંચ્યા હતા..
જો થોડી ઘણી પણ ચૂક થઈ ગઈ હોત તો સિંહ કોઈ વ્યક્તિ ઉપર હુમલો પણ કરી શકે, કહેવાય છે કે મોટા ભાગે સિંહ માનવ પ્રત્યે ખૂબ જ પ્રેમાળ હોય છે. તે મનુષ્ય ઉપર ક્યારેય પણ હુમલો કરતા નથી, પરંતુ ભૂખ્યા સિંહની વાત બિલકુલ જુદી જ હોય છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]