ગુજરાતમાં રોજ રોજ એવા કેટલાય ગુનાઓ નોંધાયા છે. જે ભવિષ્ય માટે ખૂબ જ હાનિકારક છે. જેમ કે દારૂ અને ગાંજા તેમજ ડ્રગ્સ જેવા કેફી પદાર્થોના કારણે યુવાનો તેમજ યુવતીઓ નું ભવિષ્ય બરબાદ થઈ જતું હોય છે. ગુજરાતમાં આવા નશીલા પદાર્થો ઉપર સખત મનાઈ છે.
પરંતુ બુટલેગરો અને ડ્રગ્સના સપ્લાયરો પૈસા કમાવાની આડમાં કેટલાય લોકોનું જીવન બરબાદ કરી નાખે છે. ગાંજા ની ખેતી ગુજરાતમાં જોવા મળતી નથી. કારણ કે ગુજરાતમાં આ પ્રકારની ખેતી ઉપર સખત મનાઈ ફરમાવવામાં આવી છે. જો કોઈ પણ વ્યક્તિ આ પ્રકારના નશીલા પદાર્થની ખેતી કરે તો અન્ય કોઈ લોકોને જાણ થઈ જાય છે….
કારણ કે આ પ્રકારના કેફી પદાર્થોની સુગંધ ખૂબ જ વધારે હોવાના કારણે તેઓ ઝડપાઇ જતાં હોય છે. પરંતુ પિપલોદ ગામમાં એસઓજી પોલીસે દરોડા પાડયા હતા. એ દરમિયાન ખેતરમાંથી મકાઈના પાકમાં વચ્ચેથી જે મળી આવ્યું છે. તે જોઈને સૌ કોઈની આંખો પહોળી થઇ ગઇ છે.
ગુજરાતના પોલીસ અધિકારી આશિષ ભાટિયાએ નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે તેમજ ગુજરાતના યુવાધનને નશીલા પદાર્થો થી દુર રાખવા માટે નશીલા પદાર્થો ને ગુજરાતમાં જોતાની સાથે જ તેના કાયદેસર પગલાં ભરવા માટે તૈયાર થઈ જતા હોય છે. પંચમહાલ જિલ્લામાં ગોધરા રેન્જના અધિકારીઓએ પિપલોદ ગામમાં રેડ કરી હતી..
એ દરમિયાન માલપુર ફળિયામાં રહેતા મંગાભાઈ ભોળાભાઈ પટેલના ખેતરમાંથી મકાઈના પાકની વચ્ચોવચ ગાંજાના છોડ લહેરાતા જોવા મળ્યા હતા. આ જોતાની સાથે જ પોલીસે ખેતરના માલિકની અટકાયત કરી લીધી હતી. પોલીસે જોયું તો આજુબાજુમાં મકાઈનો પાક ઉભો હતો..
જેમાં વચોવચ ગાંજાની ખેતી કરવામાં આવી રહી હતી. ખેતરમાં ઉભેલા 192 છોડ પોલીસે જપ્ત કર્યા હતા. જેનું કુલ વજન 255 નોંધાયું હતું જે અંદાજિત 26 થી 30 લાખ રૂપિયાનો મુદ્દામાલ હતો. ખૂબ મોંઘા ભાવના આ ગાંજાને તેઓ ખેતરમાં ઉગાડતા હતા. તેમજ તેમને સૂકવવામાં પણ આવતા હતા…
પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે અને ખેતર માલિક સામે આગળની કાર્યવાહી શરૂ કરી છે. ગુજરાતમાં વાત કરીએ તો છેલ્લા પાંચ મહિનામાં ટોટલ સાત કરોડ રૂપિયાનો ગાંજો પકડાયો ચૂક્યો છે. જેમાં સપ્ટેમ્બર મહિનામાં 6500 કિલો, ઓક્ટોબર મહિનામાં 2700 કીલો તેમજ 94 કિલો…
ડિસેમ્બર મહિનામાં ૧.૧૪ કરોડ રૂપિયાનો મુદ્દામાલ તેમજ હાલ 30 કિલો ગાંજો જપ્ત કરતાની સાથે જ ટોટલ સાત કરોડ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડયો છે. દાહોદ જિલ્લામાંથી ખેતરોમાં શાકભાજી અને ફળફળાદી તેમજ અન્ય પાકોની આડમાં ગાંજા ની ખેતી થઈ રહ્યો હોવાની બાતમી મળતા ની સાથે જ પોલીસે ઘણી જુદી જુદી જગ્યાએથી ગાંજા ની ખેતી કરતા લોકોની અટકાયત કરી લીધી છે..
તેમજ તેમની સામે કાર્યવાહી કરી રહ્યા છે હાલ કેટલાય ખેતર માલિકો ની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ બનાવ બાદ ખેતર માલિક આ ગાંજાને કોને વેચતા હતા તેમજ કોના આદેશોથી આ લીલીયાવાડી ચાલી રહી છે આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરશે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]