Breaking News

ખેતરમાં લગાવેલા ઝટકા મશીને એક માતા અને 2 બાળકોનો ભોગ લીધો.. ખેડૂતો ખાસ ધ્યાન રાખજો આ બાબતોનું..

ખેડૂત પોતાના ખેતરોમાં જાતમેહનતથી વાવેલા પાકોના જતન માટે અવનવા નુસખાઓ અપનાવતા હોઈ છે. કોઈક ખેતર ફરતે તાર બાંધે છે , તો કોઈક ચાડિયો ઉભો કરે છે તો કોઈક વળી ફટાકડાના આવાજ વાળા મ્યુઝીક મુકે છે.. પરતું હમણેના થોડાક સમયથી તો અઘરી પદ્ધતિ અપનાવામાં આવી છે.

ખેતરમાં એક ઝટકા મશીન મુકવામાં આવે છે. જે સોલારથી ચર્જ થતું હોઈ છે. તેમજ તે ઝટકા મશીનની સાથે આખા ખેતરની ફરતે બાંધેલા તાર જોઈન્ટ હોઈ છે. તે મશીનમાંથી તારમાં વીજ પરવાહનું વાહન થાય છે. તેથી તે તારને કોઈક અડકે તો તરત જ ઝટકો લાગે છે. અને તે સાવચેત બનીને ખેતરની નજીક આવતું નથી. આ ઝટકા મશીન હંમેશા વીજનો ઝટકો જ આપે છે તે ક્યારેય જીવ લે તેવો કરંટ આપતો નથી.

પરતું પાલનપુર તાલુકાના ગઠામણ ગામે એક એવી ઘટના બની છે જે વાંચીને તમારા રુંવાડા બેઠા થઈ જશે. આ ગામના મંદિરની પાછળ એક ખેતર આવેલું છે. તે ખેતરમાં કોઈ અજાણ્યા પશુઓ તેમજ કોઈ હાનીકારક ચીજ વસ્તુ કે માણસ ન પ્રવેશે તે માટે ઝટકા મશીન મૂકીને તેની સરહદ સીલ કરવામાં આવી હતી. પરતું એક માતા સાથે તેના બે બાળકો આ ખેતરમાં પ્રવેશતા જ તેને વીજ કરંટ લાગ્યો હતો અને તેઓના મોત નીપજ્યા હતા.

આ ખેતર પાલનપુર જીલ્લાના લક્ષ્મીપુરા વિસ્તારમાં રેહતા ખુશાલભાઈ હીરાભાઈ જગાણિયા નું છે. આ ઘટના બનતાની સાથે જ લોકોમાં ચકચાર મચી ગયો હતો. આ અંગે મોદી રાત સુધી પોલીસ થાના માં ફરિયાદ નોંધવામાં આવી નોહતી. મોટા ભાગે કાળીયાર, ભૂંડ અને અન્ય પશુઓથી ખેતીના પાકોને રક્ષણ આપવા માટે ત્યાં ઝટકા મશીન લગાવવામાં આવ્યું હતું પરતું એવી કોને ખબર હતી કે આ મશીન ઘરના જ લોકોના ભોગ લેશે.

ખુશાલભાઈ હીરાભાઇ જગાણિયાના પુત્ર ભાવેશભાઈની પત્ની કોકિલાબેન અને બાળકો જૈમિન (ઉં.વ 12) અને વેદુ (ઉં.વ.10) ખેતર પાસેથી પસાર થતાં ત્યારે આ વીજ વાયરની ઝપેટમાં આવતાં કરંટ લાગતાં માતા અને બંને પુત્રનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.

જોકે આ અંગે પોલીસ મથકે કોઈ ફરિયાદ નોંધાઈ ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ અંગે ઉત્તર ગુજરાત વીજ કંપની પાલનપુરના અધિકારી એલ. એ. ગઢવીએ જણાવ્યું હતું કે ગઠામણ નજીક ખેતરમાં મૂકેલા ઝટકા મશીનના કરંટથી 3નાં મોત નીપજ્યાની માહિતી મળી છે. આ અંગે વીજ કંપનીના કર્મચારીઓની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *