રોજની જિંદગીની અંદર ઘણા બધા વ્યક્તિઓ કોઈને કોઈ છેતરપિંડીનો ભોગ બની જતા હોય છે, જ્યારે માણસ સાથે છેતરપિંડી થાય તેના અમુક કલાકો કે અમુક દિવસો પછી તેને ખબર પડતી હોય છે કે, તેની સાથે ખૂબ જ મોટી છેતરપિંડી થઈ છે, અને તેનો તે ભોગ બની ગયો છે જ્યારે આપણને ખબર પડે કે આપણે કોઈ છેતરપિંડીનો ભોગ બન્યા છે..
ત્યાં સુધીમાં તો ખૂબ જ મોડું થઈ જતું હોય છે, અત્યારે છેતરપિંડીનો ભોગ એક સામાન્ય અને મહેનત કરીને જીવન ગુજારતો એક ખેડૂત બની ગયો હતો. આ ઘટનાને સાંભળીને તમે પણ કહેવા લાગશો કે, અત્યારના સમયમાં ડગલેને પગલે ખૂબ જ ધ્યાન રાખવીને ચાલવું જોઈએ નહીં તો એક ને એક દિવસ જરૂર પછતાવાનો વારો આવી જતો હોય છે..
આ ઘટના દરેક ખેડૂત મિત્રોએ ખાસ વાંચી લેવી જોઈએ અને અન્ય ખેડૂત મિત્રો સુધી પણ પહોંચાડવી જોઈએ, આ હચમચાવી દેતી વિચિત્ર ઘટના નિરાસુ ગામમાંથી સામે આવી છે. આ ગામની અંદર રહેતા પ્રવીણભાઈ નામના ખેડૂત ગામની સીમ વિસ્તારની અંદર આવેલી તેમની 20 વીઘાના ખેતરમાં મજૂરો પાસે મજૂરી કામકાજ કરાવીને પાકનું વાવેતર કરાવતા હતા..
અને આ પાકને વેચ્યા બાદ જે પણ રૂપિયા મળે તેમનાથી તેમના પરિવારનું જીવન ગુજરાન ચાલતું હતું, પ્રવીણ ભાઈની સાથે સાથે તેમના પડોશના ખેતરના રસિકલાલ, લક્ષ્મણભાઈ તેમજ ગોવિંદરામ પણ આ પ્રકારની જ ખેતી કરી રહ્યા હતા. આસપાસના પડોશીઓના તમામ ખેડૂતો ભેગા મળીને એક સાથે મજૂરોને તેમના ખેતરમાં કામકાજ કરવા માટે બોલાવતા હતા..
તેઓ મજૂરો પાસે જ મજૂરી કામકાજ કરાવીને તેમને રોજની મજૂરીના રૂપિયા આપી દેતા અને તેમના ખેતરમાં પાક પકાવતા હતા, પરંતુ આ તમામ મજૂરોએ ભેગા થઈને ખેડૂતો સાથે એવું કરી નાખ્યું કે, આ વાતની જાણકારી દરેક ખેડૂતો સુધી પહોંચાડવી ખૂબ જ જરૂરી છે. જ્યારે સાંજનો સમય થાય ત્યારે આ તમામ મજૂરો ભેગા થઈને આસપાસના ખેતરોમાંથી પાકની ચોરી કરી લેતા..
અને અન્ય કોઈ સુરક્ષિત જગ્યાએ પાકનો સંગ્રહ કરી લેતા હતા, રોજ રોજ આસપાસના ચારથી પાંચ ખેતરોની અંદરથી પાકની ચોરી કરીને તેઓ આ પાકને બારોબાર વેચીને પૈસા કમાતા હતા. સમગ્ર દિવસ દરમિયાન તેઓ જે પાકને એકઠો કરીને ખેડૂતને આપતા એ પાક ખેડૂત તેના જ ખેતરમાં બનાવેલા ઓરડાઓની અંદર સંગ્રહ કરતા હતા..
અને ત્યાંથી આ મજૂરો સાથે એકઠા થઈને ચોરી કરી લઈ તેને બરોબર વેચીને પૈસા કમાવા લાગ્યા હતા, આ મજૂરોને ખેડૂતો રોજી રોટી પૂરી પાડતા હતા અને એ જ મજૂરોએ એક સાથે ભેગા મળીને આ તમામ ખેડૂતોને ચૂનો ચોપડવાનું કામકાજ શરૂ કરી નાખ્યું હતું, અને તેમનો આ કારનામુ છેલ્લા ઘણા મહિનાઓથી ચાલતું હતું..
રોજબરોજ ખેડૂતોને શંકા જતી હતી, પરંતુ કોઈ પણ વ્યક્તિએ આ બાબત વિશે વધારે માહિતી મેળવવાની તપાસ કરી નહીં અને પરિણામે મજૂરોની આ કાળી કામગીરી સતતને સતત ચાલતી રહી હતી, એક દિવસ રાત્રીના સમયે પ્રવીણભાઈ નામના ખેડૂત તેમના ખેતરે પરત આવ્યા હતા..
ખેતરમાં સવારના સમયે તેઓ આવ્યા ત્યારે તેમનો મોબાઇલ ફોન ખેતરે જ ભૂલી જવાને કારણે તેઓ આ મોબાઈલ ફોનને લેવા માટે રાત્રીના સમયે ખેતર પાસે પહોંચે અને તેઓએ જોયું તો તેમના ખેતરની ઓરડીની અંદર મુકેલા પાકને કોઈ અજાણ્યા યુવકો ચોરી કરીને ત્યાંથી જતા હતા..
પ્રવીણભાઈએ પોચા પગે આ યુવકોનો પીછો કરવાની કોશિશ કરી ત્યારે ખબર પડી કે, આ યુવકો અન્ય કોઈ નહીં પરંતુ તેમના જ ખેતરમાં મજૂરી કામ કરનારા મજૂરો છે. જે તેમના જ ખેતરનો પાક ચોરી કરીને જતા રહ્યા હતા, એટલું જ નહીં પરંતુ તેમના પડોશના ખેતરમાં પણ તેઓએ ચોરી કરી હતી..
આ વાતની જાણકારી પ્રવીણભાઈ રસિકલાલ લક્ષ્મણભાઈ તેમજ ગોવિંદરામ નામના આસપાસના વિસ્તારના વાડીઓના માલિકને આપી હતી અને તમામ ખેડૂતોએ ભેગા થઈને મજૂરોની આ ચોરીનો પરદાફાશ સામે લાવ્યા હતા, આ ઘટનાને લઇ તેઓએ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી..
જેમાં મજૂરોએ કબૂલી લીધું હતું કે, અત્યાર દિન સુધી તેઓએ કુલ સાત લાખ રૂપિયાના પાકની ચોરી કરી છે અને આ તમામ પાક તેઓએ એક મોટા વેપારીને ખૂબ જ ઓછી કિંમતમાં વેચવાનું કાવતરું પણ શરૂ કરી નાખ્યું હતું. આ ઘટનાને લઈને બિચારા ખેડૂત મોટી મૂંઝવણમાં મુકાઈ ગયા હતા..
તેઓ દિવસ રાહત તનતોડ મહેનત કરીને પૈસા કમાવા માટે પાકની વાવણી કરતા અને આ જ મજૂરો તેમના ખેતરમાં થી ચોરી કરી લેતા હતા. ચોકાવનારી આ ઘટનાની દરેક ખેડૂતો સુધી પહોંચાડવી જરૂરી છે, કારણ કે દરેક ખેડૂતો તેમના ખેતરમાં કામકાજ કરના મજૂરો ઉપર વિશ્વાસ મૂકે છે. પરંતુ આ મજૂરોએ ખેડૂતોના વિશ્વાસને ઠુકરાવી દઈને તેમના ખેતરમાં ચોરી કરીને પૈસા કમાવાની ખોટી દાનત અપનાવી લીધી હતી..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]