Breaking News

ખેડૂતો માટે માઠા સમાચાર : ખાતરના ભાવમાં જંગી વધારો થતા ખેડૂતોને માથે સંકટ જન્મ્યું, જાણીલો ખાતરોના નવા ભાવ..!

ખેતી આપણા દેશનો મુખ્ય આધાર છે. કારણકે ખેતર માંથી નીકળતી પેદાશોને કારણે સૌ કોઈ લોકોના પેટ ભરાય છે. એટલા માટે ખેડૂતોને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. પરંતુ આજકાલના સમયગાળામાં આપણા ખેડૂત મિત્રોને એ પછી એક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે..

ગયા વર્ષમાં એક પછી એક વાવાઝોડા અને વરસાદી માવઠાઓ વરસવાને કારણે ખેડૂતોને ખેતરમાં ઘણું નુકસાન થયું હતું. આ ઉપરાંત તેઓને અનિયમિત તેમજ ખૂબ જ ઓછા પ્રમાણમાં વીજળી મળે છે. એટલા માટે ખેતરમાં પાણી પીવડાવવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો…

આ સાથે સાથે પાક માં આવેલા રોગોને તેમજ ખાતર વગેરેની કાળજી રાખવી પડતી હતી. એમાં પણ જો જ્યારે પાકની વેચવામાં આવે ત્યારે યોગ્ય ભાવ ન મળે તો બધી જ મહેનત વ્યર્થ જતી હોય છે. છતાં પણ આપણા ખેડૂત મિત્રો ખૂબ જ મહેનત કરીને ખેતી કરે છે. પરંતુ હાલ વધુ એક સંકટ ઊભું થયું છે..

કારણકે ખાતર બનાવતી કંપનીઓએ ખાતરના ભાવમાં એક સામટો વધારો ઝીંકી દેતા ખેડૂત અને વધુ એક મુશ્કેલી નો સામનો કરવો પડશે મોટાભાગના ખેડૂતો ડીએપી ખાતર અને એનપીકે ખાતર જેવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરતા હોય છે. જેથી કરીને જમીન વધુ પડતી ઉપજાવ બની શકે અને ધાર્યા કરતા વધારે પાક લઈ શકાય…

પરંતુ આ ખાતરના ભાવમાં મોટો વધારો ઝીંકી દેતાં ખેડૂત માટે પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઇફકો કંપની કે જે રાસાયણિક ખાતર બનાવે છે. તેણે ડીએપી ખાતર માં 150 રૂપિયાનો વધારો કર્યો છે. જ્યારે એનપીકે ખાતર માં 285 રૂપિયાનો વધારો કર્યો છે. ઇફકો કંપની ની સાથે સાથે બીજી ત્રણ રાસાયણિક ખાતર બનાવતી કંપનીઓ પણ થોડાક જ સમયમાં ભાવ વધારો કરશે તેવી શક્યતાઓ રહેલી છે..

આ ભાવ વધારા સામે ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાના ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો. જેમાં મહેસાણા જિલ્લાના ખેડૂતો રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે જો ખાતરના ભાવ તેમજ બિયારણના ભાવ આવી રીતે વધતા રહેશે તો અંતે ખેડૂતોને હાથમાં કશું જ હશે નહીં. ઇફકો કંપનીના ડીએપી ખાતર નહીં 50 કિલોની થેલી 1200 રૂપિયામાં મળતી હતી..

પરંતુ આ વધારો થતાં ની સાથે જ હવે તે 1350 રૂપિયામાં મળશે. જ્યારે એક કંપનીના એનપીકે ખાતર ની 50 કિલોની થેલી 1150 રૂપિયામાં મળતી હતી પરંતુ આ વધારો થતાં ની સાથે જ નવો ભાવ તેનો 1270 રૂપિયા થઈ ગયો છે. ઇફકો કંપનીની સાથે સાથે જીએનએફસી કંપની, આઈપીએલ કંપની તેમજ અન્ય ત્રણ થી ચાર કંપનીઓ પણ ભાવ વધારો જાહેર કરે તેવી શક્યતાઓ રહેલી છે.

અમુક ખેડૂતો રાસાયણિક ખાતર વાપરતા નથી. તેના બદલે દેશી ખાતરથી જ પોતાની જમીનને ફળદ્રુપ બનાવે છે. પરંતુ મોટાભાગના ખેડૂતો દેશી ખાતરને બદલે રાસાયણિક ખાતર વાપરતા હોય છે. પરંતુ આ ભાવ વધારાથી કદાચ અમુક ખેડૂતો રાસાયણિક ખાતરને પડતું મૂકીને દેશી ખાતર તરફ ફરી એકવાર વળે તેવી પણ શક્યતાઓ રહેલી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *