Breaking News

ખેડૂતો માટે ખુશીના સમાચાર, હવે મોદી સરકાર ખેડૂતોને આપશે આટલા રૂપિયાની સહાય.. આજે જ વાંચી લો સહાય વિષે.

આ વર્ષે ગુજરાતમાં ચોમાસું ખુબ જ નુકસાન કારક નીવડ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. કારણ કે વરસાદ અનિયમિત રીતે ખુબ જ વરસ્યો હતો એટલે ખેતરોના ખેતરો સીધા મેદાનની જેમ ધોવાઈ ગયા હતા.

કપાસ અને મગફળી ણા પાકમાં ભરપુર નુકસાન થતા આ વર્ષે મગફળી અને કપાસના ભાવ પણ સાતમા આસમાને પહોચી ગયા છે તેમજ શીંગ તેલના ભાવ પણ ધાર્યા કરતા વધારે પ્રમાણમાં વધી જશે. તેથી સરકારે ખેડૂતોના નુકસાનને ઓછા કરવા માટે સહાયની જાહેરાત કરી દીધેલી હતી.

પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના મુજબ નોંધાયેલા દેશના 12.13 કરોડથી વધુ ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યા છે. મોદી સરકાર ટૂંક સમયમાં જ તેમને મોટી ભેટ આપવા જઈ રહી છે. કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાની રકમ બમણી કરવાનું વિચારી રહી છે.

જો આવું થાય તો ખેડૂતોને વાર્ષિક 6000 ને બદલે ત્રણ સમાન હપ્તામાં 12000 રૂપિયા મળશે. જેથી ખેડૂતને થયેલી નુકસાનીમાં થોડો તો થોડો ખાડો પુરાઈ શકે. આ યોજનાના મહત્વપૂર્ણ સુધારા અંગે બિહારના કૃષિ મંત્રી અમરેન્દ્ર પ્રતાપ સિંહે હાલ માં જ દિલ્હીમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને નાણામંત્રી નિર્મલા સીતારમણને મળ્યા હતા.

બિહારના કૃષિ મંત્રીના જણાવ્યા અનુસાર પીએમ કિસાન સન્માન નિધિની રકમ બમણી થવા જઈ રહી છે. આ માટે સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે. જોકે, કેન્દ્ર સરકારે મંત્રીના દાવાની પુષ્ટિ કરી નથી. તે જ સમયે, સામાન્ય ખેડૂતોને પણ આશા છે કે 2024 પહેલા સરકાર પીએમ કિસાનની રકમમાં વધારો કરી શકે છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2018 માં શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો છે. અમરેન્દ્ર પ્રતાપે કહ્યું કે અત્યાર સુધી આ યોજના હેઠળ 1.38 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ ખાતામાં મોકલવામાં આવી છે.

જો તમે એક ખેડૂત છો અને આ યોજનાથી વંચિત રહો છો તેમજ એમાં જોઈન્ટ થવા માંગો છો તો આ લેખ આંખો વાંચજો.

પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં નોંધણી કરાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે બધા જ પગલાઓ પુરા કરેલા હોવા ખાસ જરૂરી છે. આ યોજનાની નોંધણી માટે, તમારી પાસે ખેતીની જમીનના કાગળો હોવા જોઈએ. આ સિવાય, આધાર કાર્ડ, અપડેટ કરેલું બેંક ખાતું, સરનામાંનો પુરાવો, ક્ષેત્રની માહિતી અને પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ જરૂરી છે.

પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં નોંધણી માટે આ પગલાં અનુસરો.

પહેલું પગલું : પ્રધાન મંત્રી કિસાનની સત્તાવાર વેબસાઇટ (https://pmkisan.gov.in/) ની વિઝીટ કરો. અહીં નવા રજિસ્ટ્રેશનનો વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરો. હવે એક નવું પેજ ખુલશે.

બીજું પગલું : જે નવું પેજ ખુલે તેમાં તમારો આધાર નંબર દાખલ કરો, ત્યારબાદ નોંધણી ફોર્મ ખુલશે.

ત્રીજું પગલું : નોંધણી ફોર્મ ખુલ્યા બાદ તમારે રાજ્ય, જિલ્લા, બ્લોક અથવા ગામની માહિતી આપવી પડશે. આ સિવાય ખેડૂતોએ પોતાનું નામ, લિંગ, શ્રેણી, આધાર કાર્ડની માહિતી, બેંક ખાતા નંબર કે જેમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે.

આઈએફએસસી કોડ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ વગેરે આપવાના રહેશે. તમારે તમારા ખેતરની માહિતી આપવાની જરૂર પડશે. આમાં સર્વે અથવા એકાઉન્ટ નંબર, ઓરી નંબર, કેટલી જમીન છે, આ બધી માહિતી આપવી પડશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *