જે વ્યક્તિ ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા હોય છે. તેમને દિન પ્રતિદિન ઘણી બધી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડતો હોય છે. કારણ કે, ખેતીનો મોટાભાગનો આધાર કુદરતી વાતાવરણ અને આફતો ઉપર રહેલો છે. અત્યારે એક ખેડૂત પરિવારના મોઢામાંથી બૂમ બરડા નીકળી જાય અને સહન ન થાય તે પ્રકારની મુશ્કેલ ભરી પરિસ્થિતિ આવી પડી હતી..
આ ઘટના અતિયાળા ગામની છે. આ ગામમાં શંભુભાઈ નામના ખેડૂત રહે છે. તેઓ તેમની સીમમાં આવેલી 35 વીઘા જમીનમાં કપાસનો પાક દર વર્ષે લે છે. તેમણે તેમના ખેતરની અંદર લીધેલા આ પાક જ્યારે તૈયાર થઈ ગયો ત્યારે તમામ કપાસ તેઓ તેમના ઘરે બનાવેલા ગોડાઉનની અંદર સંગ્રહ કરી નાખ્યો હતો…
તેઓ રાહ જોઈને બેઠા હતા કે, જો કપાસનો ભાવ થોડોક વધારે મળી જશે. એટલે તેઓ કપાસ વેચી નાખશે. પરંતુ એ પહેલા તો તેમને માથે એક મોટી આફત આવી પડી હતી. તેમના ઘરે ભેગો કરેલા કપાસમાંથી એવી જીવાંતો આખા ઘરની અંદર ઉડવા લાગી હતી કે, આ જીવાંત જે વ્યક્તિના શરીર ઉપર બેસે તેને આખા શરીરમાં ખંજવાળ ઉપડવા લાગતી હતી..
શરૂઆતના ત્રણ ચાર દિવસ તો ખેડૂત પરિવારના દરેક સભ્યોને લાગ્યું કે, તેમને ખાવામાં કોઈ ચીજ વસ્તુમાં ફરક આવી ગયો હશે. જેના કારણે તેમને સમગ્ર શરીર ઉપર ખંજવાળ આવી રહ્યું છે. પરંતુ જ્યારે તેમના ઘરે મહેમાન રોકાવા માટે આવી પહોંચી ત્યારે એ મહેમાનને પણ અતિશય પ્રમાણમાં શરીરના દરેક ભાગોએ ખંજવાળ આવવા લાગી હતી..
તેઓએ તેમના કપાસના ગોડાઉનમાં નજર ફેરવીને જોયું તો જ્યાં જુઓ ત્યાં નકરી જીવાંતો જ દેખાતી હતી. તેઓ તરત જ દવાખાને દોડતા થયા હતા. પરિવારના કુલ સાત સભ્યોના શરીર ઉપર ચામઠે ચામઠા ઉપડી ગયા હતા. કારણ કે, આ ખંજવાળ એટલી બધી ભયંકર હતી કે તેના કારણે સમગ્ર શરીરમાં બળતરા પણ ઉત્પન્ન થવા લાગી હતી..
તેઓએ દવા લીધી છતાં પણ આ ઘટનાનો કોઈ પણ ફરક પડ્યો નહીં અને અંતે તેઓને આ ઘર મૂકીને તેમના અન્ય ભાઈઓના મકાનમાં રહેવા માટે ચાલ્યું જવું પડ્યું હતું. આ કપાસના પાકમાંથી એવી જીવતો ઉડવા લાગી હતી કે, જે વધારે પ્રમાણમાં જો કોઈ વ્યક્તિને કરડી જાય તો તેનું ઝેર શરીરમાં ચડવાને કારણે તેની હાલત ખૂબ જ નાજુક પણ બની જતી હોય છે..
પરંતુ આ પરિવાર તાત્કાલિક ધોરણે સારવાર હેઠળ ખસેડાઈ ગયો એટલા માટે અત્યારે તેઓએ રાહતનો શ્વાસ લીધો છે. આગળ પણ એક એવી ઘટના સામે આવી હતી કે, જેમાં ખેડૂત જ્યારે તલના પાકને વેચવા માટે તમામ પાક તેમના ટ્રેક્ટરમાં ઠાલવી રહ્યા હતા. એ વખતે અંદર રહેલી જીવાંત કરડી જવાને કારણે ખેડૂતની હાલતો ગંભીર બની ગઈ હતી. અને પાંચ દિવસના અતિશય તાવ આવી જવાને કારણે તેમને સારવાર માટે શહેરની મોટી હોસ્પિટલમાં દાખલ થવાની પણ ફરજ પડી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]